આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Sunday 3 February 2019

♥ મહેંદીના લીલા પાનમાંથી લાલ રંગ કેવી રીતે બને છે? ♥


🔰  મહેંદી સૌંદર્ય પ્રસાધનનું મહત્વનું અંગ છે. શુભપ્રસંગોએ હાથમાં મહેંદી મુકવાની પ્રથા પુરાણી અને વિશ્વભરમાં ફેલાયેલી છે.

🔰  મહેંદી એક વનસ્પતિ છે. તેના લીલા પાન છૂંદીને હાથ ઉપર લગાડવાથી હાથમાં લાલ રંગ બેસી જાય છે અને તે ઘણા દિવસ સુધી રહે છે.

🔰  મહેંદીના છોડની ૪૦૦થી વધુ જાત છે. એશિયાના તમામ દેશો અને વિશ્વના કેટલાક દેશોમાં તે થાય છે. તેના પાનની મહેંદી મુકવા સિવાય છોડનો કોઈ ઉપયોગ નથી. તમામ જાતની મહેંદીના પાન તો મહેંદી મૂકવા ઉપયોગ થાય છે.

🔰 લોસોન નામનું  ખાસ તત્ત્વ હોય છે. તે મહેંદી શરીર પર લગાડવાથી ઠંડક પેદા કરે છે. કેટલાક દેશોમાં લોકો વાળ પણ મહેંદી વડે રંગે છે.

🔰 મહેંદીના પાનનો ઉન, કપાસ અને રેશમના કાપડને રંગવામાં ઉપયોગ થાય છે.

♥ ગેસ માસ્કનો શોધક - ગેરેટ ઓગસ્ટસ મોર્ગન ♥


👉🏻  શ્વસન તંત્રના રોગોથી બચવા માટે શ્વાસમાં શુદ્ધ હવા લેવાય તે જરૂરી છે. પ્રદૂષિત વાતાવરણમાં હવામાં ધૂળના રજકણો સહિત ઘણી અશુધ્ધિ હોય છે. આ અશુદ્ધિ શ્વસનતંત્રના રોગો કરે છે તેનાથી બચવા માસ્ક પહેરવા જોઈએ.

👉🏻  વળી લેબોરેટરી કે અન્ય રાસાયણિક કારખાનાઓમાં, ગેસ લીકેજ વખતે ઝેરી ગેસથી બચવા પણ વિશિષ્ટ પ્રકારના માસ્ક ઉપયોગમાં લેવાય છે. ગેસ માસ્કની શોધ અમેરિકન વિજ્ઞાની મોર્ગને કરેલી.

👉🏻  ગેરેટ મોર્ગનનો જન્મ અમેરિકાના સિનસિનેટી શહેરમાં ઈ.સ. ૧૮૭૭ના માર્ચની ચોથી તારીખે થયો હતો.

👉🏻  ગરીબ પરિવારમાં જન્મેલા મોર્ગનને બાળવયમાં જ જમીનદારને ત્યાં નોકર તરીકે કામ કરવું પડેલું. એટલે તેને ભણવાની તક મળી નહોતી.

👉🏻  યુવાન વયે તે નોકરીની શોધમાં કિલવલેન્ડ ગયો અને ત્યાં સિલાઈ મશીન રિપેરિંગનું કામ કરવા લાગ્યો. ધીમે ધીમે તેણે દરજીની દુકાન શરૂ કરી. આ દરમિયાન અકસ્માત જ તેને એવું એક રસાયણ મળ્યું કે જેમાં કપડા પલળવાથી કડક થઈ જતાં. આ રસાયણનો ઉપયોગ કરીને તેણે ગેસ માસ્ક બનાવ્યા.

👉🏻  તેના ગેસ માસ્ક ધૂમાડા સામે રક્ષણ આપતા.

👉🏻  ૧૯૧૬માં એક વિસ્ફોટ વખતે આ ગેસ માસ્કનો વ્યાપક ઉપયોગ થયો અને તે સમગ્ર અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયો. સરકારે તેને સુવર્ણચંદ્રક એનાયત કર્યો.

👉🏻  મોર્ગન વિજ્ઞાની નહોતો પરંતુ તેણે ગેસ માસ્ક ઉપરાંત ટ્રાફિક સિગ્નલ લાઈટની શોધ પણ કરેલી.

👉🏻  ૧૯૬૩ના જુલાઈની ૨૭ તારીખે તેનું અવસાન થયેલું.

♥ ઓક્ટોપસ ♥


🌷 ઓક્ટોપસની લગભગ 300 જાત છે.કેટલાંક ગરમ સમુદ્રમાં રહે છે તો કેટલાંક દરિયાના ઊંડા તળિયે રહે છે.

🌷 ઓક્ટોપસના ગોળાકાર માથામાં બે આંખો હોય છે.

🌷 ઓક્ટોપસને હાડકા હોતા નથી એટલે ગમે તેવી સાંકડી જગ્યામાં પ્રવેશી શકે છે.

🌷 ઓક્ટોપસને પોપટની ચાંચ જેવું સખત જડબું હોય છે.

🌷 ઓક્ટોપસને ત્રણ હૃદય હોય છે.

🌷 સૌથી મોટું ઓક્ટોપસ પણ ૧૫ કિલો વજનનું હતું અને ૧૪ ફૂટ ઘેરાવો ધરાવતું હતું. તે પેસેફિક મહાસાગરમાં ઘણી ઊંડાઈએ જોવા મળ્યું હતું.

🌷 ઓક્ટોપસ સાંકડી જગ્યામાં સંકોચાઈને, રંગીન પ્રવાહીનો ફૂવારો છોડીને તેમજ રંગ બદલીને સ્વરક્ષણ કરી શકે છે.

🌷 ઓક્ટોપસ સૌથી બુદ્ધિશાળી જળચર હોવાનું કહેવાય છે.

Thursday 31 January 2019

♥ માનવ શરીરના અજાયબ અંગ ♥

♦ માનવ શરીર અબજો કોષો, ૨૦૬ હાડકાં, ૬૦૦ સ્નાયુઓ અને ૨૨ આંતરિક અવયવોનું બનેલું છે.

♦ શરીરનું સૌથી મજબૂત અંગ કદની દ્રષ્ટિએ જીભ છે.

♦ શરીરના હાડકા ૨૩૦ સાંધા વડે જોડાયેલા છે. શરીરના કુલ હાડકાનો ચોથા ભાગના બંને પગમાં આવેલા છે.

♦ શરીરનો સૌથી ઝડપી સ્નાયુ આંખનાં પોપચાંમાં છે તે સેકંડના પાંચ પલકારા મારી શકે છે.

♦ જીભ પરના સ્વાદકેન્દ્રો દર દસ દિવસે નાશ પામીને નવા બને છે.

♦ આપણે બોલવા માટે જુદા જુદા ૭૨ સ્નાયુઓનો ઉપયોગ કરીએ છીએ.

♦ માણસની હોજરીનું અંદરનું આવરણ દર ૧૫ દિવસે નવું બને છે.

♦ માણસની આંખ કેમેરાની જેમ કામ કરે છે અને લાખો પ્રકારના રંગો પારખી શકે છે.

♦ ફિંગરપ્રિન્ટની જેમ આંખની કીકીની છાપ પણ દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે તે ૨૫૬ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે.

♦ આંખનો કોર્નિયા એક માત્ર અવયવ છે કે જેમાં રક્તવાહિની નથી.

♥ દેશ-વિદેશનું અવનવું ♥

♦ જાપાનમાં લગભગ ૨૦૦ જ્વાળામુખી પર્વતો છે. વિશ્વના સક્રિય જ્વાળામુખીના ૧૦ ટકા એકલા જાપાનમાં જ છે.

♦ એશિયાનો એક જ દેશ થાઈલેન્ડ એવો છે કે જ્યાં કદી પશ્ચિમી સત્તા નહોતી.

♦ ઈ.સ. ૧૬૩૧માં છપાયેલા એક બાઈબલમાં સેવન્થ કમ્પાન્ડમેન્ટમાં 'કદી દૂરાચાર કરીશ નહીં વાક્યમાં ભૂલથી 'નહીં છાપવાનું રહી ગયેલું. આ બાઈબલ આજે પણ 'વિકેડ એટલે કે ખરાબ બાઈબલ તરીકે જાણીતું છે.

♦ સૌથી ટૂંકુ યુદ્ધ ઈ.સ. ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ  વચ્ચે લડાયેલું. માત્ર ૩૮ મિનિટમાં જ ઝાંઝીબારે શરણાગતિ સ્વીકારેલી.

♦ અમેરિકાએ અલાસ્કા વિસ્તાર રશિયા પાસેથી વેચાતો લીધેલો અને એક એકરના બે સેન્ટ ચૂકવેલા.

♦ ફિનલેન્ડ સૌથી વધુ તળાવ ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૧૮૭૮૮૮ તળાવ છે. તમામ ૫૦૦ ચોરસમીટરના છે. કેનેડામાં પણ બે લાખ કરતાં વધુ તળાવ છે. તળાવની વ્યાખ્યા ગુંચવણભરી હોવાથી સૌથી વધુ તળાવ ધરાવતા દેશનું બિરૂદ વિવાદાસ્પદ છે.

♦ બેલ્જિયમમાં સ્ટ્રોબેરીનું મ્યુઝિયમ છે. તેમાં જાત જાતના સ્ટ્રોબેરી, તેની વાનગીઓ અને સ્ટ્રોબેરીના બગીચાનું મધ પણ જોવા મળે છે.

♦ ગ્રીસનું હવામાન એટલું શાંત છે કે ત્યાં મોટાભાગના થિયેટરો  ઓપનએર હોય છે.

♦ અમેરિકામાં વર્ષે લગભગ એક લાખ વાવાઝોડા થાય છે. તેમાંના દસ ટકા વાવાઝોડા ગંભીર મનાય છે.

Monday 7 January 2019

♥ દરિયાની અજાયબ જીવસૃષ્ટિ ♥

🌷 વિશ્વના મહાસમુદ્રોમાં જીવંત એવી માછલીની ૨૫૦૦૦ જાત છે. તેમાં ૨૫૦ જાતની શાર્ક છે.

🌷 સમુદ્રમાં માછલી ઉપરાંત ૭ જાતના દરિયાઈ કાચબા જોવા મળે છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન, ટર્ટલ, રીડલી ટર્ટલ અને લેધર બેક ટર્ટલ એમ ૩ જાતના કાચબા જોવા મળે છે.

🌷 વિરાટકાય વ્હેલ માછલી નથી પણ સસ્તન દરિયાઈ પ્રાણી છે.

🌷 માછલીના શરીર પર ભિંગડા હોય છે. જાણકારો ભિંગડા ગણીને માછલીની ઉંમર જાણી શકે છે.

🌷 વેનેઝુએલાની કિલી કિશ તળાવમાં રહે છે. તળાવનું પાણી સુકાય તો તે બે મહિના સુધી જીવીત રહે છે.

🌷 કોસ્મોપોલિટન સેઇલ ફિશ ચિત્તા કરતા પણ ઝડપી છે. તે ૧૧૦ કિલોમીટરથી વધુ ઝડપથી તરી શકે છે.

🌷 વ્હેલ તેની આંખના ડોળા ફેરવી શક્તી નથી તેને બીજી દિશામાં જોવા માટે આખું શરીર ફેરવવું પડે છે.

🌷 શાર્કને ચૂઈમાં સતત પાણી પ્રવેશે તે માટે તરતાં રહેવું પડે છે. તે તરતી અટકે તો ડૂબીને મરી જાય.

🌷 વાઈપર ફિશને અણિયાળા દાંત જડબાંની બહાર લંબાયેલા હોય છે. તે ઝડપથી ઘસીને શિકારના શરીરમાં દાંત ખોસી દે છે.

🌷 કેટ ફિશ મોંમા ઇંડા રાખીને સેવે છે. બચ્ચાને જન્મ થાય ત્યાં સુધી ભૂખી રહે છે.

🌷 જાયન્ટ સ્કવીડની આંખો જીવજગતમાં સૌથી મોટી હોય છે. તેની આંખો દોઢ ફૂટ વ્યાસની હોય છે.

♥ પ્રાચીન સ્મારકોનો ખજાનો: હમ્પી ♥

FOR VIDEO CLICK HERE



★ કર્ણાટકમાં આવેલું હમ્પી સંખ્યાબંધ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું વિશ્વપ્રસિધ્ધ સૌંદર્ય ધામ છે. જો કે તેના મોટા ભાગના સ્મારકો આજે ખંડેર જેવી સ્થિતિમાં છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી પ્રાચીન વિજયનગર રાજયનું પાટનગર હતું.

★ નાની મોટી ટેકરીઓ વચ્ચે લગભગ પાંચસોથી વધુ પ્રાચીન બાંધકામો અહીં જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, તળાવ, ગઢ, ચબુતરા, મંડપ, બજાર, જેલ અને રાજભંડાર જેવી ઇમારતો છે.

★ હમ્પીમાં આવેલું વિઠલ મંદિર સૌથી વધુ સુંદર છે. તેના મુખ્ય હોલમાં ૫૬ સ્થંભ છે. તેને ટકોરા મારવાથી મધુર રણકાર થાય છે. મંદિરની બહાર પથ્થરનો કોતરેલી રથ છે. અહીંના કમલ મહેલ અને સ્નાનાગાર પણ જોવા મળે છે. કમલ મહેલ કમળના આકારનું બે માળનું સ્થાપત્ય છે. હવાઉજાસ માટેની તેની રચના અદ્ભુત છે.

★ હમ્પી ઇસુની પ્રથમ સદીનું શહેર ગણાય છે. તેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે.

Sunday 6 January 2019

♥ મુખ્યમંત્રી અને રાજ્યપાલ ♥

On 3-1-2019

♥ ગિરનારના વૃક્ષો ♥

🌳 આપણા ગિરનારમાં થતા 220 જેટલા વૃક્ષોની પુરી ફોટા સાથેની માહિતીની 218 પેજની pdf book ડાઉનલોડ કરો.🌳

CLICK HERE

♦ Thank You ♦

www.happytohelptech.in

Friday 4 January 2019

♥ CURRENT AFFAIRS ♥

🌟 अमेरिका और इज़राइल ने आधिकारिक रूप से यूनेस्को छोड़ने का निर्णय लिया l 🌟

हाल ही में, अमेरिका और इज़राइल आधिकारिक तौर पर 01 जनवरी 2019 को संयुक्त राष्ट्र शैक्षणिक, वैज्ञानिक एवं सांस्कृतिक संगठन (यूनेस्को) से अलग हो गए हैं। दोनों देशों ने यूनेस्को से अलग होने की प्रक्रिया लगभग एक वर्ष पहले शुरू की थी। दोनों देशों का आरोप है कि यूनेस्को इज़राइल के खिलाफ पूर्वाग्रह से ग्रस्त है। अमेरिका और इज़राइल का यूनेस्को से अब अलग होना महज प्रक्रियाओं से जुड़ा मामला है, लेकिन फिर भी इसे वैश्विक संगठन के लिए झटका माना जा रहा है। गौरतलब है कि द्वितीय विश्व युद्ध के बाद स्थापित किए गए यूनेस्को के संस्थापक देशों में अमेरिका भी शामिल रहा है।

डोनाल्ड ट्रंप प्रशासन ने यूनेस्को से अलग होने के लिए अक्टूबर 2017 में नोटिस दाखिल किया था। इसके बाद इज़राइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने भी यूनेस्को से अलग होने का नोटिस दे दिया था। अमेरिका ने यूनेस्को में बुनियादी सुधार की मांग की है। माना जा रहा है कि दोनों देशों के यूनेस्को से अलग होने का इस संगठन पर वित्तीय प्रभाव पड़ने की संभावना नहीं है, क्योंकि वह 2011 से ही धनराशि में कटौती से जूझ रहा है।

🌟 मशहूर अभिनेता कादर खान का निधन l 🌟

हाल ही में, भारतीय सिनेमा के प्रसिद्ध अभिनेता और लेखक कादर खान का 01 जनवरी 2019 को निधन हो गया। वे 81 वर्ष के थे। कादर खान लंबे समय से बीमार चल रहे थे l

🌟 चीन बना चंद्रमा की दूसरी ओर यान उतारने वाला दुनिया का पहला देश I 🌟

हाल ही में, चीन ने चांद के अनदेखे हिस्से पर दुनिया का पहला अंतरिक्ष यान उतारने में सफलता हासिल की है। उसके अनदेखे हिस्से का अध्ययन करने के लिए पहली बार कोई मिशन लांच किया गया है। यह उपलब्धि अंतरिक्ष में सुपरपावर बनने की दिशा में चीन के बढ़ते कदम की गवाह है। चीन के राष्ट्रीय अंतरिक्ष प्रशासन (सीएनएसए) ने घोषणा की कि यान चांग ई-4 ने चंद्रमा की दूसरी ओर की सतह को छुआ। चांद के इस हिस्से को डार्क साइड भी कहा जाता है। चांग ई-4 का प्रक्षेपण शिचांग के प्रक्षेपण केंद्र से 08 दिसंबर 2018 को लॉन्ग मार्च 3बी रॉकेट के जरिये किया गया था। चीन को 03 जनवरी को 2019 को सफलता हासिल हुई। ये यान अपने साथ एक रोवर भी लेकर गया है। लो फ्रीक्वेंसी रेडियो एस्ट्रोनॉमिकल ऑब्जर्वेशन की मदद से चांद के इस हिस्से के बारे में पता लगाएगा।

चंद्र अभियान चांग ई-4 का नाम चीनी पौराणिक कथाओं की चंद्रमा देवी के नाम पर रखा गया है। इस मिशन के तहत वहां की भू-संरचनाओं व घाटियों का अध्ययन किया जाएगा। इसके अतिरिक्त चांद पर मौजूद खनिजों और उसकी सतह की संरचना का भी पता लगाया जाएगा। इस यान के साथ चार विशेष वैज्ञानिक उपकरण भी भेजे गए हैं जिनका इस्तेमाल मिशन के दौरान किया जाएगा।

पृथ्वी से ना दिखाई देने के कारण चांद के उस हिस्से से सीधे संचार स्थापित करना लगभग नामुमकिन है। इसी कारण चांग ई-4 से संपर्क स्थापित करने के लिए एक सेटेलाइट भी लांच किया गया है। क्यूकिआओ नाम का यह सेटेलाइट मई 2018 में लॉन्च कर दिया गया था। उल्लेखनीय है कि चंद्रमा का आगे वाला हिस्सा हमेशा धरती के सम्मुख होता है और वहा कई समतल क्षेत्र हैं। इस पर उतरना आसान होता है, लेकिन इसकी दूसरी ओर की सतह का क्षेत्र पहाड़ी और काफी ऊबड़-खाबड़ है।

🌟 केंद्र सरकार ने बैंक ऑफ बड़ौदा, विजया बैंक और देना बैंक के विलय को स्वीकृति प्रदान की I 🌟

हाल ही में, प्रधानमंत्री नरेन्द्रण मोदी की अध्यिक्षता में केन्द्री य मंत्रिमंडल ने 02 जनवरी 2019 को बैंक ऑफ बड़ौदा, विजया बैंक तथा देना बैंक के विलय के लिए विलय योजना को अपनी मंजूरी दे दी है। बैंक ऑफ बड़ौदा हस्तां्तरण प्राप्तकर्ता बैंक होगा और विजया बैंक तथा देना बैंक हस्तांीतरणकर्ता बैंक होंगे। भारत में पहली बार बैंकों का यह त्रिपक्षीय विलय होगा। विलय के बाद यह बैंक भारत का दूसरा सबसे बड़ा सार्वजनिक बैंक होगा।

🌟 मशहूर क्रिकेट प्रशिक्षक रमाकांत आचरेकर का निधन l 🌟

हाल ही में, दिग्गज क्रिकेटर सचिन तेंदुलकर के बचपन के कोच रमाकांत आचरेकर का 02 जनवरी 2019 को निधन हो गया। वे 87 वर्ष के थे। उन्होंने मुंबई स्थित अपने घर में अंतिम सांस ली। वह लंबे समय से बीमार थे। वे सचिन तेंदुलकर के अलावा विनोद कांबली, प्रवीण आमरे, समीर दीघे समेत कई मशहूर खिलाड़ियों को भी प्रशिक्षण दे चुके थे। आचरेकर को क्रिकेट में दिए योगदान के लिए साल 2010 में पद्म श्री (देश का चौथा सर्वोच्च नागरिक सम्मान) और द्रोणाचार्य पुरस्कार (1990 में) से सम्मानित किया गया था। उन्हें 12 फरवरी 2010 को भारतीय क्रिकेट टीम के तत्कालीन कोच गैरी कर्स्टन द्वारा “लाइफ टाइम अचीवमेंट अवार्ड” से सम्मानित किया गया। यह पुरस्कार स्पोर्ट्स इलस्ट्रेटेड द्वारा खेल में विभिन्न श्रेणियों के लिए दिए गए पुरस्कारों का हिस्सा था।

🌟 विश्व भर में पहला ‘ब्रेल दिवस (Brail Day)’ मनाया गया l 🌟

हाल ही में, दुनियाभर में 04 जनवरी 2019 को पहला अंतरराष्ट्रीय ब्रेल दिवस मनाया गया। संयुक्त राष्ट्र महासभा ने इस दिवस के लिए 06 नवम्बर 2018 को प्रस्ताव पारित किया था। आज ही के दिन ब्रेल लिपि के आविष्कारक लुइस ब्रेल का जन्म दिवस है इसलिए 04 जनवरी को ब्रेल दिवस के रूप में मनाया जाना तय किया गया। संयुक्त राष्ट्र के अनुसार विश्व भर में लगभग 39 मिलियन लोग देख नहीं सकते जबकि 253 मिलियन लोगों में कोई न कोई दृष्टि विकार है। विश्व ब्रेल दिवस का उद्देश्य दृष्टि-बाधित लोगों के अधिकार उन्हें प्रदान करना तथा ब्रेल लिपि को बढ़ावा देना है।

♥ ભૂલભૂલામણીવાળી પ્રાચીન ઇમારત: લખનઉની ભૂલભૂલૈયા મસ્જિદ ♥



TO SEE & DWNLD THE VIDEO

CLICK HERE

💥 કોયડા, ઉખાણાં અને મગજમારી પણ લોકપ્રિય રમતો છે. અટપટા રસ્તાવાળા બાંધકામો ઘણે સ્થળે જોવા મળે. ભારતમાં પણ એક પ્રાચીન મસ્જિદમાં પ્રવેશો પછી ભૂલા પડી જવાય એવી ભૂલભૂલામણી છે.

💥 ઇ.સ. ૧૭૮૨મા દૂષ્કાળ પડેલો ત્યારે ઉત્તરપ્રદેશના લખનઉમાં અસદ્ ઉદ્ દૌલા નામના બાદશાહે લોકોને રોજી રોટી આપવા એક વિશાળ ઇમારત બાંધવાનું આયોજન કર્યુ. બાદશાહે ભૂલભૂલામણી વાળુ અટપટ્ટુ મકાન બાંધવા નક્કી કર્યું. ૧૦ વર્ષ સુધી ચાલેલા બાંધકામમાં હજારો લોકોને રોજગારી મળેલી. આ બાંધકામને ભૂલભૂલૈયા મસ્જિદ કહે છે.

💥 લખનઉના લોકપ્રિય જોવા લાયક સ્થળોમાં ભૂલભૂલૈયા મસ્જિદ પણ છે. મસ્જિદનો મુખ્ય ખંડ ૫૦ મીટર લાંબો અને ૧૬ મીટર પહોળો છે. ૧૫ મીટર ઉંચાઈએ તેની છત એક પણ થાંભલા વિના ટકી રહી છે. 

💥 ખંડની ફરતે જુદી જુદી ઊંચાઈની આઠ ચેમ્બર છે. ફરતે પરસાળ છે. તેમાં ૪૮૯ બારણા છે. કયા બારણેથી પ્રવેશ્યા અને ક્યાંથી બહાર નિકળ્યા તે યાદ જ ન રહે. તેવી આ મસ્જિદ છે. સંકૂલમાં પ્રવેશવા માટે ૧૮ મીટર ઊંચો દરવાજો છે. દિવાલો અને બારણા પર સુંદર નકશીકામ અને શિલ્પકળા છે. સાથે સાથે વાવ અને ઇમામવાડા પણ જોવા જેવા સ્થળો છે.

♥ અંતરીક્ષની અજાયબી ♥



🌎 શનિનો એન્સીલેડસ નામનો નાનકડો ચંદ્ર સૂર્યપ્રકાશનું ૯૦ ટકા રિફલેક્શન કરે છે એટલે બરફના ચોસલા જેવો પારદર્શક દેખાય છે.

🌎 ગુરૂને ૬૭ કરતાંય વધુ ચંદ્ર છે પરંતુ તેમાંના ૫૩ ને જ ઓળખીને નામ અપાય છે.

🌎 યુરેનસ પર મિથેન વાયુ ભારોભાર છે. તે લાલ રંગનું શોષણ કરે છે એટલે આખો ગ્રહ ભૂરો દેખાય છે.

🌎 પ્લૂટો હવે ગ્રહ ગણાતો નથી પરંતુ તેને પણ તેના જેટલાજ કદનો કેરોન નામનો ચંદ્ર છે.

🌎 પૃથ્વી ઉપરથી ઉત્તર ક્ષિતિજમાં એન્ડ્રોમેડા અને ટ્રાંયંગુલુમ ગેલેકસી નરી આંખે દેખાય છે.

🌎 સૂર્યમાળાના બધા ગ્રહોના ચંદ્રો મળીને કુલ ૧૬૬ કરતાં વધુ થાય છે.

🌎 બુધ ઉપર વાતાવરણ નથી એટલે ત્યાં પવન કે પાણી નથી.

🌎 નેપચ્યૂનનો ચંદ્ર ટ્રાઈટન તેની ફરતે અવળી દિશામાં પ્રદક્ષિણા કરે છે.

🌎 યુરોપિયન સ્પેસ એજન્સીનું ઓલિમ્પસ સ્પેસક્રાફટ એક માત્ર એવું છે કે જે ઉલ્કાપાતમાં નાશ પામેલું.

♥ માનવ શરીર ♥

🌷 માણસના અંગૂઠાની છાપ અલગ અલગ હોય છે. તે જ રીતે શરીરની ગંધ પણ અલગ અલગ અને વારસાગત સામ્યતા ધરાવે છે.

🌷 માનવ શરીરના લોહીમાંના લાલ કણ ૨૦ સેંકડમાં આખા શરીરમાં ફરી વળે છે.

🌷 માનવશરીરની સૌથીવધુ શક્તિ મગજ વાપરે છે.

🌷 માણસનું નાનું આંતરડુ ૨૨ ફૂટ લાંબુ હોય છે.

🌷 માણસ ખોરાક વિના મહિનાઓ જીવી શકે પણ ઉંઘ વિના ૧૦ દિવસ પણ ન જીવે.

🌷 માણસના મગજમાં હાથના અંગૂઠાનું હલનચલન કરવા આખું અલગ તંત્ર હોય છે.

🌷 તંદુરસ્ત માણસ એક શ્વાસમાં ત્રણ થી ચાર લીટર હવા ફેફસામાં લઈ શકે પણ તેનો પાંચ ટકા ભાગજ ઉપયોગી થાય છે.

🌷 માણસની જીભ પરના સ્વાદ કેન્દ્રો દસ દિવસે નાશ પામીને નવા બને છે.

♥ સૌથી લાંબા પાન વાળું વૃક્ષ: રાફિઆ પામ ♥



🌴 વનસ્પતિમાં સૌથી લાંબા પાન ધરાવતા તાડ જેવા વૃક્ષો પશ્વિમ આફ્રિકાના નાઈજિરિયા, કેમેરૂન, કોંગો અને એંગોલામાં જોવા મળે છે.

🌴 રાફિઆ પામ તરીકે ઓળખાતા આ વૃક્ષના પાન ૨૫ મીટર લાંબા હોય છે એટલે જમીનમાંથી પાન ફૂટયા હોય તેવુ દેખાય છે. ૨૫ મીટર લાંબા પાનની ધરી પર બંને તરફ ૧૮૦ જેટલા પાતળા પાનની કતાર હોય છે. તે લગભગ છ થી સાત સેન્ટીમીટર લાંબા હોય છે. પાનની ઉપરનો ભાગ લીલો અને નીચેનો ભાગ ભૂખરો અને ચીકણો હોય છે.

🌴 રાફિયા પામ પુખ્ત થાય ત્યારે થડની ઊંચાઈ વધે છે. અને પાનની વચ્ચે ફૂલ બેસે છે. ત્યારબાદ ૯ સેન્ટીમીટર લાંબા લંબગોળ ફળ બેસે છે. ફળ ઉપર ચોરસ પેટર્ન હોય છે.

🌴 રાફિયા પામના પાનનો ઉપયોગ ટોપલા, ટોપલી જેવી ચીજો બનાવવામાં થાય છે. સ્થાનિક લોકો આ પાનનો ઉપયોગ ઝૂંપડા બનાવવા પણ કરે છે.

♥ આપણે પીધેલા પાણીનું શરીરમાં શું થાય છે ? ♥




💦 આપણે જમ્યા પછી પાણી પીએ છીએ. દિવસમાં ઘણી વાર તરસ લાગે એટલે પાણી પીએ. આપણે ખોરાક કરતાં વધુ પાણી શરીરમાં નાખીએ છીએ. આટલા બધા પાણીનું શરીરમાં શું કામ ? તે જાણો છો ?

💦 ખોરાક પોષક દ્રવ્યો પુરા પાડે છે. આ દ્રવ્યોને શરીરના ભાગોમાં મોકલવા માટે પ્રવાહીની જરૂર પડે. જમ્યા પછી પીધેલું પાણી ખોરાકને અર્ધપ્રવાહી બનાવે છે અને પાચન તંત્રમાં આગળ ધકેલે છે. પાણી શરીરમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી.

💦 લોહીને પ્રવાહી રાખવા માટે પાણીની જરૂર પડે. આમ શરીરમાં વિવિધ દ્રવ્યોના વહન માટે પાણી ઉપયોગી થાય છે. પાણી ૧૦૦ ડિગ્રી તાપમાન સુધી પ્રવાહી રહે છે અને મોટાભાગના દ્રવ્યો તેમાં ઓગળે છે. શરીરને લચીલું રાખવા ઉષ્ણતામાન જાળવી રાખવા પાણીની જરૂર પડે.

💦 આપણા શરીરમાં ૫૦ થી ૬૦ ટકા પાણી હોય છે. તે પ્રમાણ જળવાવું જોઈએ. શરીરના કોષોને સક્રિય રાખવા પાણી જોઈએ. અને શરીરની પરસેવા દ્વારા અશુધ્ધિઓ દૂર કરવા માટે પાણી મદદરૂપ થાય છે.

♥ ઇજિપ્તનો વિરાટ કરોળિયો: કેમલ સ્પાઈડર ♥



To see or download video.

CLICK HERE

👉🏼 ઇજિપ્તની દંતકથાઓમાં ભયાનક હિસંક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. આ વાતો અતિશયોક્તિ ભરેલી હોય છે. પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઇડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે.

🕷 રણપ્રદેશમાં થતા આ કરોળિયા ૨ ફૂટ લાંબા હોય છે. તેને આઠ પગ હોય છે. કેમલ સ્પાઈડરમાં પણ જુદી- જુદી હજાર જાત જોવા મળે છે. આ કરોળિયાના માથામાં બે ડંખ હોય છે. તેને દાંત હોતા નથી પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાખે છે.

🕷 આ કરોળિયા ઊંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે. કરોળિયાના આઠે પગમાં ઘણા સાંધા હોય છે. તે ઝડપથી દોડી શકે છે. તેના પાછલા પગમાં સૂક્ષ્મવાળ હોય છે. તેના વડે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે. તેની મોટી આંખ આકારોને ઓળખી શકે છે.

🕷 આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે.

🕷 કેમલ સ્પાઈડર ગરોળી, સાપ, અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે. તેની લાળ જલદ હોવાથી તેને સન સ્પાઈડર પણ કહે છે. ઇજિપ્ત ઉપરાંત આફ્રિકાના દેશોના રણપ્રદેશમાં પણ આ કરોળિયા જોવા મળે છે. કહેવાય છે કે પહેલા વિશ્વ યુધ્ધમાં ઇજિપ્તમાં કરોળિયા અને વીંછીની લડાઈનો કાર્યક્રમો જોવા રોકાતા.

♥ થર્મોમીટર ♥



👉🏼 ઉષ્ણતામાન માપવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. વાતાવરણ, કોઈ પણ વસ્તુ કે શરીરનું તાપમાન જાણવા માટે જુદી જુદી જાતના થર્મોમીટર ઉપયોગમાં લેવાય છે. અને માપ પણ સેલ્સીયસ, ફ્રેરનહીટ કે કેલ્વીન જેવા જુદા જુદા પ્રમાણમાં.

👉🏼 થર્મોમીટરની શોધનો ઇતિહાસ પણ રસપ્રદ છે બે હજાર વર્ષ પહેલા ઇ.સ.૧૨૯માં થઈ ગયેલા વિજ્ઞાની ગેલનને પહેલીવાર ગરમીનું માપ જાણવાનો વિચાર આવેલો. તે સમયે ગરમી વિશે લોકોને બહુ જ્ઞાન નહોતું. ગરમ લાગે કે દાઝી જવાય એટલી જ ખબર.

👉🏼 તે જમાનામાં ગેલને ઉકળતા પાણી અને બરફ વચ્ચેની ગરમીના પ્રમાણના ચાર ભાગ પાડી ગરમીનું માપ કાઢવાની પધ્ધતિ શોધેલી. ૧૫મી સદીના વિજ્ઞાનીઓ ગરમી વિશે વધુ જાણતા થયા.

👉🏼 જાણીતા ગેલેલિયો એ ૧૬મી સદીમાં ગરમીનું માપ જાણવા પ્રથમ થર્મોસ્કોપ બનાવેલું. તેમાં પ્રવાહી ભરેલ વાસણમાં કાચની નળી ઊભી મુકવામાં આવતી એટલે ગરમ થયેલું પ્રવાહી નળીમાં ઊંચે ચડતું.

👉🏼 ત્યારબાદ આ ઊંચાઈ અને મૂળ પ્રવાહીની સપાટી વચ્ચેના અંતર ઉપરથી ગરમીનું માપ કઢાતું. પરંતુ આ સાધનમાં ચોકસાઈ રહેતી નહોતી.

👉🏼 ઇ.સ.૧૬૦૮માં થઈ ગયેલા વિજ્ઞાની ઇવાન્જેલિસ્ટા ટોરીસેલીએ કાચની સીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું. ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાનીએ રંગીન આલ્કોહોલ ટોરી સેવીએ કાચની શીલ કરેલી નળીમાં પ્રવાહી ભરીને નવું થર્મોમીટર બનાવ્યું.

👉🏼 ત્યારબાદ રોબર્ટ હૂક નામના વિજ્ઞાાનીએ રંગીન આલ્કોહોલ ભરેલું થર્મોમીટર બનાવ્યું. તેણે પાણી થીજીને બરફ બને ત્યાંથી શૂન્ય શરૂ કરીને ૫૦૦ સુધીના આંક લખ્યા. ઇંગ્લેન્ડની રોયલ સોસાયટીએ આ થર્મોમીટરનો માન્યતા આપી હતી.

👉🏼 ત્યારબાદ ઇ.સ.૧૭૦૨માં ઓલસ રોમર નામના વિજ્ઞાનીએ પણ નવી જાતનું થર્મોમીટર શોધેલું.

👉🏼 થર્મોમીટરની શોધ બાદ ડેનિયલ ફેરનહીટ નામના વિજ્ઞાનીએ સ્ટેનહીટ ડીગ્રીના માપની શોધ કરી. ત્યારબાદ સેલ્સીયસ અને કેલ્વીન પ્રમાણે શોધાયા. સેલ્સિયસ અને ફેરનહીટ આજે ઉપયોગમાં લેવાય છે. જ્યારે કેલ્વીન પ્રમાણમાપ વિજ્ઞાાનીઓ પ્રયોગ દરમિયાન ઉપયોગમાં લે છે.

Saturday 29 December 2018

♥ आयुर्वेदिक दोहे ♥

पानी में गुड डालिए, बीत जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!!

*धनिया की पत्ती मसल, बूंद नैन में डार!*
दुखती अँखियां ठीक हों, पल लागे दो-चार!!

*ऊर्जा मिलती है बहुत, पिएं गुनगुना नीर!*
कब्ज खतम हो पेट की, मिट जाए हर पीर!!

*प्रातः काल पानी पिएं, घूंट-घूंट कर आप!*
बस दो-तीन गिलास है, हर औषधि का बाप!!

*ठंडा पानी पियो मत, करता क्रूर प्रहार!*
करे हाजमे का सदा, ये तो बंटाढार!!

*भोजन करें धरती पर, अल्थी पल्थी मार!*
चबा-चबा कर खाइए, वैद्य न झांकें द्वार!!

*प्रातः काल फल रस लो, दुपहर लस्सी-छांस!*
सदा रात में दूध पी, सभी रोग का नाश!!

*प्रातः- दोपहर लीजिये, जब नियमित आहार!*
तीस मिनट की नींद लो, रोग न आवें द्वार!!

*भोजन करके रात में, घूमें कदम हजार!*
डाक्टर, ओझा, वैद्य का , लुट जाए व्यापार !!

*घूट-घूट पानी पियो, रह तनाव से दूर!*
एसिडिटी, या मोटापा, होवें चकनाचूर!!

*अर्थराइज या हार्निया, अपेंडिक्स का त्रास!*
पानी पीजै बैठकर, कभी न आवें पास!!

*रक्तचाप बढने लगे, तब मत सोचो भाय!*
सौगंध राम की खाइ के, तुरत छोड दो चाय!!

*सुबह खाइये कुवंर-सा, दुपहर यथा नरेश!*
भोजन लीजै रात में, जैसे रंक सुजीत!!

*देर रात तक जागना, रोगों का जंजाल!*
अपच,आंख के रोग सँग, तन भी रहे निढाल^^

*दर्द, घाव, फोडा, चुभन, सूजन, चोट पिराइ!*
बीस मिनट चुंबक धरौ, पिरवा जाइ हेराइ!!

*सत्तर रोगों कोे करे, चूना हमसे दूर!*
दूर करे ये बाझपन, सुस्ती अपच हुजूर!!

*भोजन करके जोहिए, केवल घंटा डेढ!*
पानी इसके बाद पी, ये औषधि का पेड!!

*अलसी, तिल, नारियल, घी सरसों का तेल!*
यही खाइए नहीं तो, हार्ट समझिए फेल!

*पहला स्थान सेंधा नमक, पहाड़ी नमक सु जान!*
श्वेत नमक है सागरी, ये है जहर समान!!

*अल्यूमिन के पात्र का, करता है जो उपयोग!*
आमंत्रित करता सदा, वह अडतालीस रोग!!

*फल या मीठा खाइके, तुरत न पीजै नीर!*
ये सब छोटी आंत में, बनते विषधर तीर!!

*चोकर खाने से सदा, बढती तन की शक्ति!*
गेहूँ मोटा पीसिए, दिल में बढे विरक्ति!!

*रोज मुलहठी चूसिए, कफ बाहर आ जाय!*
बने सुरीला कंठ भी, सबको लगत सुहाय!!

*भोजन करके खाइए, सौंफ, गुड, अजवान!*
पत्थर भी पच जायगा, जानै सकल जहान!!

*लौकी का रस पीजिए, चोकर युक्त पिसान!*
तुलसी, गुड, सेंधा नमक, हृदय रोग निदान!

*चैत्र माह में नीम की, पत्ती हर दिन खावे !*
ज्वर, डेंगू या मलेरिया, बारह मील भगावे !!

*सौ वर्षों तक वह जिए, लेते नाक से सांस!*
अल्पकाल जीवें, करें, मुंह से श्वासोच्छ्वास!!

*सितम, गर्म जल से कभी, करिये मत स्नान!*
घट जाता है आत्मबल, नैनन को नुकसान!!

*हृदय रोग से आपको, बचना है श्रीमान!*
सुरा, चाय या कोल्ड्रिंक, का मत करिए पान!!

*अगर नहावें गरम जल, तन-मन हो कमजोर!*
नयन ज्योति कमजोर हो, शक्ति घटे चहुंओर!!

*तुलसी का पत्ता करें, यदि हरदम उपयोग!*
मिट जाते हर उम्र में,तन में सारे रोग।

*कृपया इस जानकारी को जरूर आगे बढ़ाएं*

💦💦💦💦💦💦💦💦💦