આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Thursday 27 November 2014

♥ ડેરી- જીલ્લો ♥

૧. દૂધસાગર- મેહસાણા

૨. અમુલ- આણંદ
(એશિયા ની સૌથી મોટી ડેરી)

૩. સાબર- સાબરકાંઠા

૪. બનાસ- પાલનપુર

૫. મધર- ગાંધીનગર

૬. મધુર- ગાંધીનગર

૭. દુધસરીતા- ભાવનગર

૮. માધાપર- ભુજ

૯. આબાદ- અમદાવાદ

૧૦ . સુમુલ- સુરત

૧૧ . દુધધારા- ભરુચ

Wednesday 26 November 2014

♥ '' V '' FOR VICTORY ♥

~ ♦ 'વી' ફોર વિકટરીની સંજ્ઞાા કઇ રીતે શરૂ થઇ? ♦ ~

બે આંગળાને પહોળા કરીને વિજય તરીકેની સંજ્ઞાા બતાવવાનું કયારે શરૂ થયું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે પ્રથમ
બે આંગળાને પહોળા કરીને બીજા વિશ્વયુદ્ધની વિજય ઘોષણા માત્ર સંકેત દ્વારા કરી હતી તે પછી ઘણી વખત શાંતિના ચિહ્ન તરીકે પણ 'વી'ની નિશાની કરાય છે. હવે તો વિદ્યાર્થીઓ, ખેલાડીઓ,
બળવાખોરો, દાણચોરો વગેરે તમામ જીતની નિશાની આ પ્રકારે બતાવે છે. રમૂજની વાત એ છે કે અસલમાં ઇંગ્લેન્ડમાં બે આંગળા પહોળા કરીને બતાવવા તે અશ્લિલ ચેષ્ટા ગણાય છે. ચર્ચિલે
'વી'ની નિશાનીને સામે હથેલી બતાવીને વિજય તરીકે ઘોષિત કરી તે સારું થયું. કારણ કે ઇંગ્લેન્ડમાં કોઇ માણસ તમારી સામે બે આંગળા પહોળા કરીને
હથેળી પોતાની તરફ રાખે તો તે ગાળ
ગણાય છે!

Monday 24 November 2014

♥ જયપ્રકાશ નારાયણ ♥

→ જયપ્રકાશ નારાયણ સ્વતંત્ર સેનાની અને રાજનેતા હતા. દેશમાં ઘર કરી ગયેલાં ભષ્ટ્રાચાર,
ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓથી દેશને
આઝાદ કરાવવા જેપીએ તેમનું જીવન ખર્ચી નાખ્યું હતું. આજે પણ જેપીને આપણે તેમણે શરૂ કરેલા સંપૂર્ણ ક્રાંતિ આંદોલનને કારણે યાદ કરીએ છીએ. જેપીએ પોતાના જીવનને પ્રથમ પ્રાધાન્ય
આપવાને બદલે હંમેશાં દેશની જનતા અને
તેમની જરૂરિયાતને અગ્રિમતા આપી હતી.

→ જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઓક્ટોબર, ૧૯૦૨ના રોજ બિહારના સારણ ગામે થયો હતો. જયપ્રકાશ નારાયણ દેશના લોકતંત્રમાં રહેલી ખામીઓની આલોચના કરતા થાકી ગયા હતા.
સરકારની નીતિમાં કોઈ જ પરિવર્તન જોવા મળ્યું ન હતું. ઉપરાંત દિવસે દિવસે દેશમાં ગરીબી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી સમસ્યાઓ વધતી જતી હતી. જયપ્રકાશ નારાયણે તેમના જીવનના અંતિમ દશકામાં અનુભવ્યુ કે ભારતની આ બધી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જેનો એકમાત્ર ઉપાય સંપૂર્ણ ક્રાંતિ છે.

→ જયપ્રકાશ નારાયણે ૫ જૂન, ૧૯૭૫ના રોજ
પટનાના ગાંધી મેદાન ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનોની એક મોટી રેલી તૈયાર કરીને એક
આંદોલનની શરૂઆત કરી. આ આંદોલનનું નામ સંપૂર્ણ ક્રાંતિ રાખવામાં આવ્યું હતું. સંપૂર્ણ આંદોલનની શરૂઆત કર્યા પહેલાં જયપ્રકાશ નારાયણ રાજકારણ ક્ષેત્રે સક્રિય હતા. આંદોલનની શરૂઆતની સાથે જ તેમણે રાજકારણ મૂકી દીધું, પણ દેશની જનતા જનાર્દનની સમસ્યાઓથી તેઓ ક્યારેય ભાગ્યા નથી.

→ જયપ્રકાશ નારાયણે જ્યારે સંપૂર્ણ આંદોલનની શરૂઆત કરી ત્યારે દેશમાં ઇન્દિરા ગાંધીનું શાસન ચાલતું હતું. જેપીના આંદોલનના પગલે તત્કાલીન
સમયની સરકાર ખળભળી ઊઠી હતી. પરિણામે ૨૫ જૂન, ૧૯૭૫ના રોજ દેશમાં મધ્યરાત્રિએ કટોકટી જાહેર કરી દીધી હતી. જેપી સહિત ઘણા બધા વિપક્ષી નેતાઓને જેલમાં જવું પડયું હતું.

→ ૧૮ જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ દેશમાં કટોકટીને હટાવવામાં આવી અને દેશમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ ચૂંટણીમાં જેપીના સંગઠનથી જનતા પાર્ટીને જોરદાર સફળતા મળી અને દેશમાં પહેલી વાર કોંગ્રેસ સિવાયની સરકાર સત્તા ઉપર આવી.

→ જયપ્રકાશ નારાયણે દેશને અંધકારમાંથી પ્રકાશ તરફ લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તેઓ સફળ રહ્યા હતા. તેમનું મૃત્યુ ૮ ઓક્ટોબર, ૧૯૭૯ના રોજ બિહારના પટના ખાતે થયું હતું.

→ ભારતના સ્વતંત્ર સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૧૯૯૮માં લોકનાયક જયપ્રકાશ નારાયણને ભારત સરકારે દેશના સર્વોચ્ચ સન્માન ♠ ભારતરત્ન ♠ થી સન્માનિત કર્યા હતા.

Sunday 23 November 2014

♥ PAPER CLIP ♥

→ પેપર ક્લિપથી આમ તો બધા પરિચિત હશે અને એ લગભગ લોકોએ જોઈ હશે. ખાસ કરીને ઓફિસમાં કામ કરતી વ્યક્તિઓ માટે પેપર ક્લિપ ખૂબ જ ઉપયોગી છે.

→ પેપર ક્લિપ બે કે એનાથી વધારે કાગળોને એક સાથે ભેગા કરી રાખવામાં ખૂબ જ મદદરૃપ થાય છે અને એ પણ કાણું પાડયા વગર. આમ તો ટાંકણી અને સ્ટેપલર પણ કાગળોને ભેગા કરી રાખે છે, પણ એ વસ્તુઓ કાગળમાં કાણાં પાડીને આ કામ કરી આપે છે. જ્યારે કે પેપર ક્લિપથી કાગળોમાં કાણાં નથી પડતાં.

→ પેપર ક્લિપ જેવી નાનકડી પણ ખૂબ જ ઉપયોગી એવી આ વસ્તુની શોધ જોહાન વાલેર નામના માણસે ૧૯૦૦ની સાલમાં કરી હતી. ત્યારે એ જર્મનીમાં કામ કરતા હતા.

→ એક પેપર ક્લિપ એ માત્ર એક તારનો વાળેલો ટુકડો હોય છે, પરંતુ પોતાના દબાણથી એ અનેક કાગળોને એક સાથે પકડી રાખે છે. પેપર ક્લિપની શોધ કરનાર જોહાન વાલેરના સન્માનમાં એક વિશાળ પેપર ક્લિપ નોર્વેના ઓસ્લો શહેર નજીક
રાખવામાં આવી છે.

♥ शहर - राज्य ♥

~~~ ||| ♦ भारत के 205 शहर ♦ ||| ~~~

1 मुंबई  महाराष्ट्र
2 दिल्ली  दिल्ली
3 बैंगलोर  कर्नाटक
4 कोलकाता  पश्चिमबंगाल
5 चेन्नई  तमिलनाडु
6 हैदराबाद  आंध्र प्रदेश
7 अहमदाबाद  गुजरात
8 पुणे  महाराष्ट्र 
9 सूरत  गुजरात
10 कानपुर  उत्तर प्रदेश
11 जयपुर  राजस्थान
12 लखनऊ  उत्तर प्रदेश
13 नागपुर  महाराष्ट्र
14 पटना  बिहार
15 इन्दौर  मध्यप्रदेश
16 थाने  महाराष्ट्र
17 भोपाल  मध्यप्रदेश
18 लुधियाना  पंजाब
19 आगरा  उत्तरप्रदेश
20 शिरडी  महाराष्ट्र
21 नासिक  महाराष्ट्र
22 वडोदरा  गुजरात
23 फरीदाबाद  हरियाणा
24 दिल्ली  राजधानी प्रदेश
25राजकोट  गुजरात
26 मेरठ  उत्तर प्रदेश
27 परली  महाराष्ट्र
28 नवी मुंबई  महाराष्ट्र
29 अमृतसर  पंजाब
30 वाराणसी  उत्तरप्रदेश
31 औरंगाबाद  महाराष्ट्र
32 शोलापुर  महाराष्ट्र
33 इलाहाबाद  उत्तरप्रदेश
34जबलपुर  मध्यप्रदेश
35 श्रीनगर  जम्मू और कश्मीर
36 रांची  झारखंड
37 विशाखापट्टनम  आंध्रप्रदेश
38 चंडीगढ़  चंडीगढ़
39 मैसूर   कर्नाटक
40 हावड़ा   पश्चिम बंगाल
41 जोधपुर  राजस्थान
42 गुवाहाटी  असम
43 कोयम्बटूर  तमिलनडु
44 विजयवाडा  आंध्रप्रदेश
45 अजंता   महाराष्ट्र
46 ग्वालियर  मध्यप्रदेश
47 हुबली धारवाड़  कर्नाटक
48 भुवनेश्वर  उड़ीसा
49 जालंधर   पंजाब
50 सेलम  तमिलनाडु
51 मदुराइ  तमिलनाडु
52 अलीगढ़  उत्तरप्रदेश
53 भिवंडी  महाराष्ट्र
54 कोटा  राजस्थान
55 बरेली  उत्तरप्रदेश
56 तिरूअनंतपुरम  केरल
57 मुरादाबाद  उत्तरप्रदेश
58 तिरुचिरापल्ली  तमिलनाडु
59 रायपुर  छत्तीसगढ़
60 गोरखपुर  उत्तरप्रदेश
61 भिलाई   छत्तीसगढ़
62 जमशेदपुर  झारखंड
63 अमरावती  महाराष्ट्र
64 कटक  उड़ीसा
65 राजपुर सोनारपुर  पश्चिमबंगाल
66 बीकानेर  राजस्थान
67 कोच्चि(कोचीन)  केरल
68 भावनगर   गुजरात
69 वारंगल  आंध्र प्रदेश
70 सिलीगुड़  पश्चिम बंगाल
71 उल्हासनगर  महाराष्ट्र
72 कोल्हापुर  महाराष्ट्र
73 देहरादून  उत्तराखंड
74 जम्मू  जम्मू और कश्मीर
75 नागपुर  महाराष्ट्र
76 नांदेड़  महाराष्ट्र
77 अजमेर  राजस्थान
78 दुर्गापुर  पश्चिम बंगाल
79 गुलबर्ग कर्नाटक
80 गुंटूर  आंध्रप्रदेश
81 जामनगर  गुजरात
82 भाटपाट  पश्चिम बंगाल
83 सहारनपुर  उत्तरप्रदेश
84 दक्षिणदमदम  पश्चिम बंगाल
85 जलगांव  महाराष्ट्र
86 नोएडा  उत्तरप्रदेश
87 महेशतला  पश्चिम बंगाल
88 कोरबा छत्तीसगढ़
89 आसनसोल  पश्चिमबंगाल
90 उज्जैन  मध्यप्रदेश
91 गया   बिहार
92 मालेगांव  महाराष्ट्र
93 तिरुनेलवेली  तमिलनाडु
94 उदयपुर  राजस्थान
95 बेलगम कर्नाटक
96 अकोला  महाराष्ट्र
97 दावनगेरे  कर्नाटक
98 तिरुपुर  तमिलनाडु
99 अहमदनगर  महाराष्ट्र
100 झांसी  उत्तरप्रदेश
101 बोकारो  झारखंड
102 कालीकट  केरल
103 मेंगलोर  कर्नाटक
104 कोल्लम  केरल
105 नेल्लोर  आंध्रप्रदेश
106 गोपालपुर  पश्चिम बंगाल
107 लातूर  महाराष्ट्र
108 लालबहादुर नगर  आंध्र प्रदेश
109 पनिहाटी पश्चिम बंगाल
110 ब्रह्मपुर  उड़ीसा
111 अंबात्तुर  तमिलनाडु
112 धुले  महाराष्ट्र
113 कुतबुलपुर  आंध्र प्रदेश
114 तुमकुर  कर्नाटक
115 मुजफ्फरनगर  उत्तरप्रदेश
116 भीलवाडा  राजस्थान
117 भागलपुर  बिहार
118 शिवमोगा  कर्नाटक
119 मथुरा   उत्तरप्रदेश
120 मुजफ्फरपुर  बिहार
121 पटियाला   पंजाब
122 बेल्लारी   कर्नाटक
123 रोहतक   हरियाणा
124 सिंगरौली  मध्यप्रदेश
125 कमरहाटी  पश्चिम बंगाल
126 हिसार   हरियाणा
127 चंद्रपुर  महाराष्ट्र
128 शाहजहा  उत्तरप्रदेश
129 बेअदबीसे  पश्चिमबंगाल
130 फिरोजाबाद  उत्तरप्रदेश
131 नाला सोपरा  महाराष्ट्र
132 पानीपत  हरियाणा
133 तृशूर   केरल
134 निज़ामाबाद  आंध्रप्रदेश
135 परभानी  महाराष्ट्र
136 बिलासपुर  छत्तीसगढ़
137 कुल्टी  पश्चिमबंगाल
138 इटावा   उत्तर प्रदेश
139 बर्धमान  पश्चिमबंगाल
140 अलवर  राजस्थान
141 दरभंगा   बिहार
142 रामपुर   उत्तरप्रदेश
143 नैहाटी   पश्चिमबंगालज
144 काकीनाडा  आंध्रप्रदेश
145 आइजोल  मिज़ोरम
146 देवास  मध्यप्रदेश
147 मऊ  उत्तरप्रदेश
148 सतना   मध्यप्रदेश
149 जलना   महाराष्ट्र
150 जाफराबाद  गुजरात
151 कुरनूल  आंध्रप्रदेश
152 रायपुर  छत्तीसगढ़
153 राजमंद्री  आंध्रप्रदेश
154 दुर्ग   छत्तीसगढ़
155  हापुड़   उत्तरप्रदेश
156 देवली   दिल्ली
157 ओझुकरि   पुडुचेरी
158 तिरुपति   आंध्रप्रदेश
159 गांधीनगर  गुजरात
160 बठिंडा   पंजाब
161 अवाडी  तमिलनाडु
162 बड़नगर   पश्चिमबंगाल
163 नंगलोई   जाटदिल्ली
164 करीमनगर  आंध्रप्रदेश
165 श्रीरामपुर  पश्चिमबंगाल
166 बीजापुर  कर्नाटक
167 सागर  मध्यप्रदेश
168 भरतपुर  राजस्थान
169 अनंतपुर   आंध्रप्रदेश
170 श्रीगंगानगर  राजस्थान
171 वरंगल  आंधप्रदेश
172 पावापुरी  बिहार
173 रतलाम  मध्यप्रदेश
174 फर्रुखाबाद  उत्तरप्रदेश
175 रायचूर  कर्नाटक
176 उत्तरदमदम  पश्चिमबंगाल
177 रामगुंडम   आंध्रप्रदेश
178 तिरुवो  त्तमिलनाडु
179 होसपेट  कर्नाटक
180 बीदर   कर्नाटक
181 आरा बिहार
182 पनवेल   महाराष्ट्र
183 अम्बरनाथ  महाराष्ट्र
184 लोनी   उत्तरप्रदेश
185 उलूबेरिया  पश्चिमबंगाल
186 धनबाद  झारखंड
187 बिधाननगर  पश्चिमबंगाल
188 रेवा   मध्यप्रदेश
189 नई  दिल्ली  दिल्ली
190 पाली   राजस्थान
191 नवघर   महाराष्ट्र
192 पूर्णिया   बिहार
193 इम्फाल   मणिपुर
194 गुलमर्ग  जम्मू कश्मीर
195 चेन्नई  तमिलनाडु
196 अमृतसर  पंजाब
197 भोपाल  मध्यप्रदेश
198 अगरतला  त्रिपुरा
199 जयपुर राजस्थान
200 अजमेर  राजस्थान
201 उदयपुर  राजस्थान
202 जैसलमेर  राजस्थान
203 जोधपुर  राजस्थान
204 नागौर  राजस्थान
205 पुष्कर  राजस्थान

Saturday 22 November 2014

♥ Indian Towns on River ♥

Allahabad  - At the confluence the Ganga and Yamuna

Patna - Ganga

Varanasi - Ganga

Kanpur - Ganga

Haridwar - Ganga

Badrinath - Alaknanda

Agra - Yamuna

Delhi - Yamuna

Mathura - Yamuna

Ferozpur - Satluj

Ludhiana  - Satluj

Srinagar - Jhelum

Lucknow- Gomti

Jaunpur - Gomti

Ayodhya - Saryu

Bareillly - Ram ganga

Ahmedabad - Sabarmati

Kota - Chambal

Jabalpur - Narmada

Panji - Mandavi

Ujjain - Kashipra

Surat - Tapti

♥ INCREDIBLE ♥



♥ અદભુત બાળકો ♥



Thursday 20 November 2014

♥ જરખ ♥


♥ ચ્યુઇંગમ ♥

~ ♦ ચ્યુઇંગમ ઘાતક નીવડી શકે? ♦ ~

ચ્યુઇંગમ ચાવવી સલામત નથી. લંડનમાં એક દાખલો બની ગયો. માયકલ બીડોઝ નામનો ૧૦ વર્ષનો બાળક બબલગમ ચાવતો હતો ત્યારે એકાએક તે એક દોડતી કાર સામે આવ્યો અને કચડાઇને મરી ગયો. તેનું પોસ્ટમોર્ટમ કરાયું ત્યારે
ખબર પડી કે આ છોકરો બબલગમ (ચ્યુઇંગમ)
ચાવ્યા કરતો તેમાં ટારટ્રાઝીન નામનું કૃત્રિમ રંગ આપતું રસાયણ હતું તેને કારણે તે એકાએક ભાન ગુમાવીને મોટર સામે જ અથડાઇ ગયો. ચ્યુઇંગમ
ખાવાથી બાળકો હાયપર એક્ટિવ (વધુ પડતા તોફાની) પણ થાય છે.

→ નોર્વે, ફિનલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્વીડનમાં ચ્યુઇંગમમાં આવા ઘાતક કૃત્રિમ રંગ ઉમેરવાની છૂટ નથી. ચ્યુઇંગમ કદી જ નિર્દોષ નથી. તેનું કૃત્રિમ ગળપણ અને કૃત્રિમ રંગ બાળકોની તબિયત બગાડે છે.

Tuesday 18 November 2014

♥ Vaseline ♥

→ પેટ્રોલપંપમાંથી એક પ્રકારનો અર્ધપ્રવાહી પદાર્થ મળે છે તેનો ઉપયોગ દાઝેલી વ્યક્તિને ઘા રૂઝવવામાં મદદ કરે છે. રોબર્ટ ચેજ્રેબો નામના યુવાન રસાયણશાસ્ત્રીએ એક પ્રકારની ઔષધીની શોધ કરી અને તેને નામ આપ્યું વેસેલીન. હવે
રોબર્ટ ચેજ્રેબોને એક મુશ્કેલી નડી કે આ વેસેલીનનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે કરવો? તેણે વેસેલીન વેચવા માટે અનેક યુક્તિઓ અજમાવી. લોકોને આ દવાની જાણ થાય અને લોકો સુધી આ વાત પહોંચે તે માટે તેણે અથાગ મહેનત કરી.

→ સૌ પ્રથમ તો તેણે વેસેલીનને નાની બોટલમાં ભરીને ડોક્ટરોને નમૂના તરીકે મોકલી. તે ઉપરાંત દરરોજ એક બગીમાં બેસીને જુદાં જુદાં ગામોમાં જતો. ત્યાં લોકોને વેસેલીનનો ઉપયોગ સમજાવતો અને નમૂના મફત આપતો હતો. આ યુક્તિ કારગત નીવડી. તેણે ઘણી ખ્યાતિ મળી.
લોકોના હોઠ પર વેસેલીનનું નામ રમતું થયું.

→ ઈ.સ. ૧૯૧૨માં ન્યુયોર્કના લાઇફ ઇન્સ્યોરન્સ બિલ્ડિંગમાં પ્રચંડ આગ લાગી અને અનેક લોકો દાઝી ગયા. રોબર્ટ ચેજ્રેબોએ ત્યાં વેસેલીનનો ઉપયોગ કર્યો અને અનેક લોકોને સાજા કર્યા. હવે વેસેલીનને પ્રચંડ પ્રસિદ્ધિ મળી. રેડક્રોસ સંસ્થાએ પણ વેસેલીનની ભલામણ કરી. આ રીતે
વેસેલીનનો બહોળો પ્રચાર થયો.

Sunday 16 November 2014

♥ બ્લેઇઝ પાસ્કલ ♥

~ ♦ યાંત્રિક કેલ્ક્યૂલેટરનો શોધક - બ્લેઇઝ પાસ્કલ ♦ ~

→ આજે આપણી પાસે ગણતરી કરવા માટે ઇલેકટ્રોનિક કેલ્ક્યૂલેટર છે. પરંતુ આજથી ૪૦૦
વર્ષ પહેલાં વીજળીનો ઉપયોગ પણ જાણીતો નહોતો ત્યારે ઘણાં બધાં મશીનો શોધાયેલાં. તે
મશીનો હાથ વડે ફેરવીને ચાલતા ચક્રો વડે ઉપયોગી થતા તમને નવાઇ લાગશે પરંતુ તે જમાનામાં બ્લેઇઝ પાસ્કલ નામના વિજ્ઞાાનીએ
ઝડપથી સરવાળા બાદબાકી કરી શકે તેવું યંત્ર બનાવેલું. આ યંત્રમાં એક ચોરસ પેટી ઉપર અંકો લખેલા આઠ ચક્રો હતા તેની ઉપર આંકડા દર્શાવતા ખાના હતા. ચક્ર ફેરવો એટલે ઉપરના ખાનાનો આંકડો બદલાય. આઠે ચક્રોને ઇચ્છીત રકમમાં ગોઠવી શકાતા અને તેની ઉપર રહેલા ખાનામાં પરિણામના આંકડા જોવા મળતા.

→ આ મશીનને પાસ્કલાઇન કહેતા. જગતનું એ
પ્રથમ વપરાશમાં આવેલું કેલ્ક્યુલેટર હતું. બ્લેઇઝ પાસ્કલે આ ઉપરાંત પણ ઘણી શોધો કરેલી.

→ પાસ્કલનો જન્મ ફ્રાન્સના ક્લેરમોન્ટ ગામે ઇ.સ. ૧૬૨૩ના જૂન માસની ૧૯ તારીખે થયો હતો.
તેના પિતા રાજ્યમાં કરવેરા અધિકારી હતા. પાસ્કલે ૧૬ વર્ષની નાની વયમાં જ ગણિત અને ભૂમિતિમાં નિપૂણતા મેળવી.પિતાના કામમાં મદદરૃપ થાય તેવા યંત્ર બનાવવાની તેને ઇચ્છા હતી. પાસ્કલની બાળવય દરમિયાન જ તેની માતાનું અવસાન થયું હતું.

→ ૧૬૩૧માં તેનો પરિવાર પેરિસમાં રહેવા આવી ગયો. પાસ્કલ ગણિતમાં નિપૂણ હોવાથી તેના પિતાએ તેને વધુ ભણાવવાનું નક્કી કર્યું.

→ ઇ.સ.૧૬૪૨માં પાસ્કલે તેનું યાંત્રિક કેલ્ક્યુલેટર બનાવ્યું. તેણે ૨૦ મશીનો બનાવીને બજારમાં પણ મુકેલા. પાસ્કલાઇન યંત્ર ઉપરાંત પાસ્કલ તેણે
શોધેલા પાસ્કલના સિધ્ધાંત માટે જાણીતો છે.

→ પ્રવાહી ચારે દિશામાં એક સરખું દબાણ કરે છે તેવો નિયમ શોધેલો. આ નિયમને આધારે ભારે વજન ઉંચકતા હાઇડ્રોલિક ક્રેન કામ કરે છે. વિજ્ઞાન ઉપરાંત પાસ્કલ અધ્યાત્મ ક્ષેત્રે પણ જાણીતો હતો. તેણે ધર્મ સંબંધી ઘણાં પુસ્તકો લખેલા તેના ધર્મસંબંધ પુસ્તકો અગમનિગમ જ્ઞાન જેવા હતા અને વિવાદાસ્પદ બનેલા.

→ ઇ.સ.૧૬૬૨માં ઓગસ્ટની ૧૯ તારીખે પેરિસમાં તેનું અવસાન થયેલું.

♥ હોજરી ♥

~~♦ ખોરાકનું પાચન કરતી હોજરી ♦ ~~

→ આપણા શરીરને ખોરાકમાંથી શક્તિ મળે છે.
આપણી દિવસભરમાં બે વાર ભોજન ઉપરાંત
પણ ઘણું ખાઇએ છીએ. બધા જ ખોરાકમાં જુદા જુદા પ્રમાણમાં શક્તિ હોય છે. આપણે ખાધેલા ખોરાકમાંથી સીધી શક્તિ મળતી નથી. તે માટે ખોરાકને લાંબી પ્રક્રિયામાં વિવિધ અવયવોમાંથી પસાર થવું પડે છે. ખોરાક ચાવીને ગળે ઉતરીને અન્નનળીમાં થઇને સૌપ્રથમ હોજરીમાં જાય છે.

→ હોજરીએ ખોરાકનું પ્રાથમિક પાચન કરનાર મુખ્ય અવયવ છે. હોજરી આપણા પેટમાં પાંસળીની નીચે અન્નનળી સાથે જોડાયેલી કોથળી જેવો અવયવ છે. તેનો નીચેનો ભાગ આંતરડા સાથે જોડાયેલો હોય છે.

→ પુખ્ત વયના માણસની હોજરી ૧૨ ઇંચ લાંબી અને ૬ ઇંચ પહોળી હોય છે. તેમાં લગભગ એક લીટર ખોરાક સમાઇ શકે છે.

→ હોજરી સાદી કોથળી નથી પરંતુ તેની દીવાલને પાંચ પડ હોય છે. સૌથી આંતરિક પડમાં પાચક
રસો પેદા થાય છે અને ખોરાક સાથે ભળે છે. ત્યાર બાદ સ્નાયુઓનું બીજુ પડ. આ પડ આંકુચન સંકોચન કરીને ખોરાકને વલોવે છે. બાકીના બે પડ હોજરીના રક્ષણ માટે છે. તમને નવાઇ લાગશે પરંતુ હોજરીનું અંદરનું પડ થોડા દિવસોમાં ઘસાઇને નાશ પામે છે અને નવું બને છે.

→ હોજરી આપણા શરીરને બેક્ટેરીયા સામે રક્ષણ આપતું પ્રથમ પ્રવેશદ્વાર છે. તેમાં પેદા થતો હાઇડ્રોલિક એસિડ તમામ રોગજનક બેક્ટેરીયાનો નાશ કરે છે.

♥ ગ્રહોનો રાજા ગુરુ ♥

→ સૂર્યમાળાના સૌથી મોટા ગ્રહને સંસ્કૃતમાં દેવગુરુ પણ કહે છે. તે જ્ઞાનનો સાગર કહેવાય છે અને બીજા ગ્રહો તેના શિષ્યો છે. ગ્રીક સંસ્કૃતિમાં પણ ગુરુને દેવોનો દેવ કહેવાય છે.

→ આવી અદ્ભુત દંતકથાઓ ધરાવતા ગુરુનો ખગોળશાસ્ત્રીઓએ ઊંડો અભ્યાસ કર્યો છે. ગુરુ ગ્રહ
પૃથ્વી કરતા ૧૨ ગણો મોટો છે અને તેને ૬૨થી વધુ ચંદ્રો છે તે સૂર્યની ૧૨ વર્ષે એક પ્રદક્ષિણા કરે છે.

→ નાસાનું ડિસ્કવરી યાન ગુરુની નજીકથી પસાર થયું ત્યારે ગુરુ વિશે કેટલીક નવી વાતો જાણવા મળી. ગુરુ એ ગેસનો બનેલો પ્રચંડ ગોળો છે. તે સૂર્યથી ૭૭ કરોડ કિલોમીટરના અંતરે છે. ગુરુના કેન્દ્રમાં પ્રચંડ તાપમાન ધરાવતા પ્રવાહીનો ગોળો છે.

→ પૃથ્વી કરતા વજનમાં ૧૩૦૦ ગણો મોટો ગુરુ હાઇડ્રોજન, હિલિયમ અને મિથેન વાયુનો બનેલો છે. ગુરુની ધરી પર ફરવાની ગતિ પ્રચંડ છે તે
આપણા નવ કલાકમાં એક ધરીભ્રમણ પૂરું
કરી નાખે છે.

→ ગુરુ પ્રચંડ વેગે ફરતો હોવાથી તેની સપાટી પર ભયંકર વાવાઝોડા થાય છે. આવા તોફાન દૂરબીનમાંથી લાલ ધાબા જેવા દેખાય છે. વિજ્ઞાનીઓ ગુરુ પરના લાલ ધાબાને 'ગ્રેટ રેડ સ્પોટ' કહે છે.

Saturday 15 November 2014

♥ આતશબાજીનું અવનવું ♥

→ દિવાળી એટલે ફટાકડાના ધૂમધડાકા, રોશની અને આનંદનો ઉત્સવ. પ્રાચીન કાળમાં અગ્નિથી અશુભ તત્ત્વોનો નાશ થાય છે તેવી શ્રદ્ધાથી લોકો આગની જ્વાળામાં વિવિધ ચીજો હોમીને અગ્નિને વધુ પ્રજ્વલિત કરતાં.

→ ૧૨મી સદીમાં ચીનમાં ફટાકડાની શોધ થઈ હતી. ફટાકડાનો ઉપયોગ દુશ્મનો અને જંગલી પ્રાણીઓને દૂર ભગાડવા પણ થતો. ધીમે ધીમે વિવિધ સંસ્કૃતિમાં ફટાકડા અને આતશબાજીની પરંપરા શરૃ થઈ.

→ આપણે ત્યાં દિવાળીમાં ફટાકડાની પરંપરા છે તે જ રીતે વિશ્વના ઘણા દેશોમાં કોઇને કોઇ ઉત્સવમાં દારૃખાનું ફોડવાના રિવાજ છે.

→ આતશબાજીના બે પ્રકાર છે એક જમીન પર ફૂટે અને બીજી આકાશમાં જઈ ફૂટે. મોટા અવાજ
અને રંગબેરંગી તારલિયા એ આતશબાજીનું
આકર્ષણ છે.

→ આતશબાજીની કળાને પાયરોટેકનિક કહેવાય છે તેને લોકપ્રિય બનાવવા માટે એક આંતરરાષ્ટ્રીય
સંસ્થા ફિલિપાઇન્સમાં આતશબાજીની વર્લ્ડ
ઓલિમ્પિકનું આયોજન કરે છે.

→ આતશબાજીનું દારૂખાનું મુખ્ય ત્રણ રસાયણોનું બનેલું હોય છે. સળગી ઉઠે તેવો વિસ્ફોટક પદાર્થ, રંગ ઉમેરવા માટે વિવિધ રસાયણો અને આ બધાંને જોડી રાખવા માટે ગુંદર જેવું બાઈન્ડર.

→ કોઈપણ વસ્તુ સળગે એટલે ગરમી અને પ્રકાશ પેદા થાય. ગરમીના પ્રમાણમાં પ્રકાશ લાલ, કેસરી, પીળો કે ભૂરો હોય પરંતુ તેમાં વિવિધ ધાતુઓના ક્ષારની કણીઓ સળગે એટલે રંગબેરંગી તણખા પેદા થાય. મેગ્નેશિયમ, એલ્યુમિનયમ અને બેરિયમ જેવી ધાતુના ક્ષાર સળગે ત્યારે વિવિધ રંગના તણખા પેદા થાય છે.

Saturday 8 November 2014

♥ એમેદેઓ એવોગેડ્રો ♥


~ ♦ પાણીની ઓળખનો શોધક - એમેદેઓ એવોગેડ્રો ♦ ~

પાણી પૃથ્વી પરના સજીવોના જીવનનો આધાર
છે. ૧૬મી સદી સુધી લોકો અગ્નિ, પાણી અને વાયુને દેવ સમજતાં. વિજ્ઞાનના વિકાસની સાથે સાથે આ કુદરતી તત્ત્વોની ઓળખ પણ થવા લાગી આજે આપણે પાણીને તરીકે ઓળખીએ છીએ, પાણી ઓક્સિજનનો એક અને હાઇડ્રોજનના બે અણુઓનું સંયોજન છે તે વાત જાણીતી છે. આ શોધ એમેદેઓ એવોગેડ્રો નામના વિજ્ઞાાનીએ
કરી હતી.

→ એવોગેડ્રોની જન્મ ઇ.સ.૧૭૭૬ના જૂનની નવ તારીખે ઇટાલીમાં થયો હતો. બાળપણથી ભણવામાં હોશિયાર એવોગેડ્રોએ ૨૦ વર્ષની ઉંમરે ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી વિજ્ઞાાન ક્ષેત્રે સંશોધનો શરૂ કર્યા હતાં અને ઇટાલીની રોયલ કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે કારકિર્દી શરૃ કરી હતી. એવોગેડ્રોએ જીવનભર અનેક સંશોધનો કર્યા પરંતુ તે બહુ જાણીતા થયા નહોતા. ઇ.સ.૧૮૫૬માં ૮૦
વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો ત્યાં સુધી કોઇ તેને ઓળખતું પણ નહોતું.

→ એવોગેડ્રોએ ૧૮૧૧માં ફ્રેંચ ભાષામાં લખેલા સંશોધનપત્રોમાં પાણીના સંયોજન વિશે લખેલું. આ સંશોધનપત્ર કોઇએ વાંચ્યું નહોતું. એવોગેડ્રોના મૃત્યુ બાદ ઇ.સ.૧૮૬૦માં જર્મનીમાં મળેલી વિજ્ઞાન પરિષદમાં એવાગેડ્રોએ લખેલાં સંશોધનપત્રો રજૂ થયા ત્યારે વિશ્વના વિજ્ઞાનીઓએ પાણીની સાચી ઓળખ મેળવી તેને એવોગેડ્રોના સિધ્ધાંત તરીકે સ્વીકાર્યો અને એવોગેડ્રો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયો.