આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Wednesday 30 September 2015

♥ સેટેલાઇટનું અવનવું ♥

» સેટેલાઇટ એટલે વિજ્ઞાનીઓએ બનાવેલો કૃત્રિમ ઉપગ્રહ કે જે પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહીને સંદેશા વ્યવહાર, જાસૂસી, હવામાનના વર્તારા કરવામાં ઉપયોગી થાય છે.

» વિશ્વનો પ્રથમ સેટેલાઇટ ૧૯૫૭ના ઓક્ટોબરમાં રશિયાએ છોડેલો. તેનું નામ સ્પુટનિક-૧ હતું. ત્યારબાદ અમેરિકાએ ૧૯૫૮માં એક્સપ્લોરર-૧ સેટેલાઇટ અવકાશમાં તરતો મૂકેલો.

» ભારતે તેનો પ્રથમ સેટેલાઇટ રોહિણી ડી-૧ ૧૯૮૦ના જુલાઈમાં અવકાશમાં તરતો મૂકેલો. તે અગાઉ ૧૯૭૫માં આર્યભટ્ટ સેટેલાઇટ તરતો મૂકેલો.

» હાલ સુધીમાં લગભગ ૬૬૦૦ સેટેલાઇટ લોન્ચ થયા છે જેમાંથી ૩૬૦૦ જેટલા ભ્રમણ કક્ષામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે તેમાંથી ૧૦૦૦ જેટલા હાલમાં કાર્યરત છે.

» અમેરિકાનું સ્પેસ સર્વેલન્સ નેટવર્ક અવકાશમાં ફરતા સેટેલાઇટ અને અન્ય પદાર્થોનું નિરીક્ષણ રાખે છે. તેના હિસાબે પૃથ્વીની આસપાસ ૮૦૦ જેટલા માનવરહિત પદાર્થો ફરી રહ્યા છે.

» ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહેલો સૌથી મોટો સેટેલાઇટ છે.

» પૃથ્વીના વિષુવવૃત્તને સમાંતર રહી પૃથ્વીની ગતિ સાથે તાલ મેળવી ફરતા સેટેલાઇટને જીઓસ્ટેશનરી સેટેલાઇટ કહેવાય છે તે પૃથ્વીના એક જ સ્થળ પર રહે છે.

♥ પ્લાસ્ટર ઓફ પેરિસ ♥

→ મૂર્તિઓ અને રમકડાં બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ નામનો સફેદ નરમ, વજનમાં હળવો અને મુલાયમ માટી જેવો પદાર્થ વપરાય છે. પ્લાસ્ટર ઓફ પેરિસ ચૂના જેવો પદાર્થ છે. કેલ્શિયમ સલ્ફેટ અને જિપ્સમના મિશ્રણને ખૂબ જ ગરમીમાં તપાવીને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. ફ્રાન્સમાં પેરિસ નજીક મોન્ટમાર્ટરની ટેકરીઓમાં પુષ્કળ પ્રમાણમાં જીપ્સમ મળી આવે છે એટલે તેનો ઉદ્યોગ વધુ ખીલ્યો છે. પેરિસ નજીક હોવાથી જ તેનું નામ પ્લાસ્ટર ઓફ પેરિસ પડયું છે. તેનું રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીડિડાઇટેટ છે.

→ પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ માટી જેવો હોય છે તેમાં પાણી ભેળવીને તેને ગમે તે ઘાટ આપી શકાય છે. ઘાટ આપ્યા પછી તે સૂકાઈ જાય ત્યારે તેનો ઘાટ અકબંધ રહે છે અને ફરીવાર પાણીમાં પીગળતો નથી એટલે તેને પ્લાસ્ટર કહે છે. રમકડાં, મૂર્તિઓ અને હોસ્પિટલોમાં તૂટેલા હાડકા સાંધવા માટે બાંધવામાં આવતું પ્લાસ્ટર પણ આ જ પદાર્થનું હોય છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી વસ્તુઓ જો કે ટકાઉ હોતી નથી.

→ પ્લાસ્ટર ઓફ પેરિસને પાણીમાં પલાળ્યા બાદ ૧૦ મિનિટે જામવાની પ્રક્રિયા શરૃ થાય છે ને ૪૫ મિનિટમાં જામીને તે આકાર ધારણ કરી લે છે. ૭૨ કલાક સુકાયા બાદ તે મજબૂત બને છે.

♥ ફૂલોની અજાયબ દુનિયા ♥

→ વનસ્પતિથી પૃથ્વી સુંદર બની છે. વનસ્પતિનું સૌંદર્ય ફૂલોને આભારી છે. રંગબેરંગી અને સુગંધીદાર ફૂલ એ સૌંદર્યનું પ્રતીક છે. અન્ય સજીવ સૃષ્ટિની જેમ ફૂલોમાં પણ વૈવિધ્ય હોય છે. કેટલાંક અજાયબીભર્યા ફૂલોને પણ ઓળખવા જેવાં છે.

♣ વનસ્પતિ જગતનું સૌથી મોટું ફૂલ રાફલેશિયા ૩ ફૂટ વ્યાસનું હોય છે અને વજન ૭ કિલો. આ ફૂલ સુગંધને બદલે દુર્ગંધ ફેલાવે છે.

♣ ઘણા ફૂલોના ઝૂંડ હોય છે. બોલિવિયાનું રાયમોન્દી ફૂલનાં ઝુમખાં ૮ ફૂટ વ્યાસના હોય છે. એક ઝુમખામાં ૮ થી ૧૦ હજાર ફૂલ હોય છે.

♣ બધા ગુલાબ સવારે ખીલે પણ પ્રાઈમ રોઝ ગુલાબ સાંજે ખીલે છે. સૂર્યાસ્ત થાય એટલે પ્રાઈમ રોઝની પાંદડીઓ અવાજ સાથે ખીલે છે.

♣ તણખલા જેવા ઘાસને પણ ફૂલો હોય છે. આયરિશ ઘાસ જેવો છોડ તેમાં નાનકડું એક જ ફૂલ ખીલે. તે કરમાઈને ખરી પડયા પછી જ બીજું  ફૂટે.

♣ ઘણા ફૂલોનો આકાર વિચિત્ર હોય છે. ઉત્તર આફ્રિકામાં થતાં સ્નેપડ્રેગનનો આકાર ડ્રેગનના મોઢા જેવો હોય છે. ૧૫ થી ૩૦ ઈંચ ઉંચાઈના છોડ પર થતાં સ્નેપડ્રેગન ફૂલની વિવિધ રંગની ૨૧ જાત થાય છે.

♣ તમને જાણીને નવાઈ લાગશે પણ સ્નેપડ્રેગન ફૂલમાંથી કાળા રંગના ફળ બેસે છે તેનો આકાર માનવ ખોપડી જેવો બિહામણો હોય છે.

Tuesday 29 September 2015

♥ श्राद्ध में क्यों चढ़ता है कौए को पहला भोग ? ♥


श्राद्ध पक्ष से जुड़ी कई परंपराएं हमारे समाज में प्रचलित है । ऐसी ही परंपरा है जिसमें कौओं को आमंत्रित कर उन्हें श्राद्ध का पहला भोग खिलाया जाता है ।

मान्यता है कि हिन्दू पुराणों में कौए को देवपुत्र माना गया है , इन्द्र के पुत्र जयंत ने ही सबसे पहले कौए का रूप धारण किया था । पौराणिक कथा के अनुसार त्रेता युग में जब भगवान श्रीराम ने अवतार लिया और जयंत ने कौऐ का रूप धर कर माता सीता को घायल कर दिया था, तब भगवान श्रीराम ने गुस्से में तिनके से ब्रह्मास्त्र चलाकर जयंत की आंख फोड़ दी थी । जब उसने अपने किए की माफी मांगी तब राम ने उसे यह वरदान दिया की कि तुम्हें अर्पित किया गया भोजन पितरों को मिलेगा । तभी से श्राद्ध में कौओं को भोजन कराने की परंपरा चली आ रही है और यही कारण है कि श्राद्ध पक्ष में कौओं को ही पहले भोजन कराया जाता है । माना जाता है कि कौए के रूप में हमारे पूर्वज ही भोजन करते हैं । कौए को भोजन कराने से सभी तरह का पितृ और कालसर्प दोष दूर हो जाता है ।

Monday 28 September 2015

♥ નવી ચલણી નોટોની લાક્ષણિકતા ♥


♥ પિતૃતર્પણનું પર્વ - શ્રાદ્ધ ♥

સૌજન્ય :- દિવ્ય ભાસ્કર 


♥ GOOGLE ની કમાણી - દર મિનિટે 15 લાખ ♥



→ ગુગલ પોતાના યૂઝર્સને ફ્રીમાં સર્વિસ આપી રહી છે પણ તમને ખબર છે દુનિયાની આ નંબર વન કંપની ફ્રીમાં સર્વિસ આપવા છતાં પણ કરોડો રૂપિયાનો વેપાર કરે છે. ગુગલ એક મિનિટના લગભગ 15 લાખ રૂપિયા કમાય છે. તમને ખબર છે આપણે જે સેવાઓને મફતમાં સમજીએ છીએ ગુગલ તેના જ આધારે અન્ય પાસેથી આવક મેળવે છે. જુદીજુદી કંપનીઓ આપણા વિશેની માહિતીઓ ગુગલ પાસેથી ખરીદે છે અથવા તો જાહેરાતો માટે પૈસા આપે છે. ગુગલ આવી અનેક જાહેરાતો પરના એક ક્લિકના એક સેન્ટથી માંડીને સેંકડો ડૉલર વસુલે છે.
  
••♦મિનિટના કેટલા રૂપિયા કમાય છે ગુગલ ♦••

→ Gizmodo Australia વેબસાઇટ અનુસાર, વર્ષ 2014માં પ્રત્યેક મિનિટમાં ગુગલ 149,288 ડૉલર (લગભગ - 99 લાખ રૂપિયા)ની આવક જનરેટ કરે છે, જેમાં પ્રોફિટ 23509 ડૉલર (લગભગ 15 લાખ રૂપિયા) છે.

♦ ગુગલ 97 ટકા કમાણી જાહેરાતોમાંથી કરે છે. ♦

→ 2015ની Q2 (બીજી ત્રિમાસિક) રિપોર્ટ અનુસાર, ગુગલની કુલ કમાણી 17.3 બિલીયન ડૉલર (લગભગ 109284.1 કરોડો રૂપિયા) હતી. તેમાંથી 97 ટકા માત્ર જાહેરાતોમાંથી આવી હતી. ગુગલની એડવર્ટાઇજીંગ સ્ટ્રેટેજી પ્રમાણે કીવર્ડ્ઝના હિસાબે પૈસા વસુલાય છે. wordstream.comના આર્ટિકલ અનુસાર 20 સૌથી એક્સપેન્સિવ કીવર્ડ઼સમાંથી પહેલો કીવર્ડ ઇન્સ્યોરન્સ (insurance) છે ત્યાર પછી (loan) કીવર્ડ બીજા નંબરે છે (આ આંકડા બદલાતા રહે છે.)

Source - androidcentral.com
Gizmodo

♦ કૉસ્ટ પર ક્લિક મૉડલ ♦

→ investopedia.com અનુસાર Googleની એડ પોલીસી ખાસ કરીને કૉસ્ટ પર ક્લિક મૉડલ પર કામ કરે છે. એટલે કે એડવર્ટાઇઝરના પેજ પર એકપણ ક્લિક ના થાય તો તેને એકપણ પૈસો ચૂકવવો પડતો નથી. જેટલી ક્લિક થાય તેના હિસાબે પેમેન્ટ વસુલાય છે

→ Googleની જાહેરાતોથી પોટેન્શિયલ ક્લાઇન્ટ્સને ટારગેટ કરવો સરળ બની ગયો છે. કોઇ પોટેન્શિયલ ક્લાઇન્ટ એડ પર ક્લિક કરે ત્યારે ગુગલ તેની સંબંધિત એડ આપવાવાળી કંપની પાસેથી પૈસા વસુલે છે. આ આખી પ્રક્રિયા AdWords સર્વિસ હેઠળ થાય છે. ડ્યુલ રેવન્યુ સ્ટ્રેટેજી અંતર્ગત AdSense સર્વિસ પણ આવે છે.

→ અગાઉ ગુગલે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે તેની 70 ટકા એડ રેવન્યુ AdWords મારફતે આવે છે અને બાકીની AdSense સર્વિસથી આવે છે.

→ ગુગલ પેજ પર એડ પોસ્ટ કરવાની સાથે સાથે ગુગલ બીજી વેબસાઇટ્ના ઓનરને ગુગલના બ્રાન્ડેડ એડ સર્વિસ સાથે જોડાવવાનો મોકો આપે છે. આમ બીજી કંપનીઓ પણ ગુગલ સાથે મળીને એડ આપી શકે છે.

♥ અનામત પ્રથાનો ઇતિહાસ ♥


Sunday 27 September 2015

♥ દેશ - વિદેશમાં શક્તિપીઠોની સંખ્યા ♥

    
♦પશ્ચિમ બંગાળ = 12
♦મધ્યપ્રદેશ = 4
♦તમિળનાડુ = 4
♦બિહાર = 3
♦ઉત્તર પ્રદેશ = 3
♦આંધ્ર પ્રદેશ = 2
♦રાજસ્થાન = 2
♦મહારાષ્ટ્ર = 2
♦જમ્મુ કાશ્મીર =2
♦હરિયાણા = 2
♦ગુજરાત = 1
♦પંજાબ = 1
♦ઓરિસ્સા = 1
♦હિમાલય પ્રદેશ = 1
♦આસામ = 1
♦મેઘાલય = 1
♦ત્રિપુરા = 1
♦નેપાળ = 2
♦તિબેટ = 2
♦બાંગ્લાદેશ = 2
♦પાકિસ્તાન = 1
♦શ્રીલંકા = 1

•••★ કુલ = 51 ★ •••

♥ 1 ₹ રૂપિયો ♥

આજે વિશ્વ પર્યટન દિવસ ( 27 May ) છે, અહીં કેટલાંક એવા દેશોની વાત કરવામાં આવી છે કે જ્યાં તમે માત્ર રૂપિયો લઈને જશો તો પણ ઘણું બધું ખરીદી શક્શો. ડોલર સામે ભલે રૂપિયો નાનો હોય પણ આ દેશોની કરન્સીમાં તો ભારત આગળ છે. અહીં ભારતનો રૂપિયો સ્થાનિક કરન્સી કરતાં વધુ મજબૂત છે તો આપણે જાણીએ કયાં દેશોમાં ભારતની કરન્સીની માર્કેટ વેલ્યૂ કેટલી છે.

(1) ઝિમ્બાબ્વે: 1 રૂપિયો એટલે 5.88 ઝિમ્બાબ્વે ડોલર, જે તમે ઝિમ્બાબ્વે ગયા હોય તો તમારા માટે રૂપિયાની કિંમત વધી જશે અને શોપિંગ વગેરે બાબતોમાં ખર્ચ કરવાની પણ મજા પડી જશે, તમને લાગશે કે એક રૂપિયાની ઘાણાની દાળ ખાવા મળતી ભારતમાં પણ હવે આ દેશમાં તો ઘણી બધી વસ્તુ મળે છે.

(2) વિયેતનામ: 1 રૂપિયો એટલે 341 ડોન્ગ, વિયેતનામમાં તમારા એક રૂપિયાની કિંમત એટલી બધી છે કે તમારું ખિસ્સુ ભરાઈ જશે. અહીં સ્થાનિક કરન્સી તરીકે ડોન્ગનો ઉપયોગ પ્રચલિત છે. એટલે કે એક રૂપિયાની સામે અહીં 341 ડોન્ગ તમને મળશે, જેનાથી ઈચ્છો તો શોપિંગ કરી શક્શો.

(3) શ્રીલંકા: 1 રૂપિયો એટલે 2.14 શ્રીલંકન રૂપિયા, શ્રીલંકા આપણી નજીક છે અને ઘણા જોવા લાયક સ્થળો પણ છે. શ્રીલંકામાં પણ સ્થાનિક રૂપિયાનું ચલણ છે. જોકે, આપણા રૂપિયાની વેલ્યુ શ્રીલંકાના રૂપિયા કરતા સવા બે ઘણી વધુ છે. એટલે કે એક ભારતીય રૂપિયો તમે અહીં આપશો તો તમને અહીં સામે અઢી રૂપિયા જેટલા મળશે.

(4) જાપાન: 1 રૂપિયો એટલે 1.81 યેન, જાપાનમાં સ્થાનિક કરન્સી છે જેને યેન તરીકે ઓળખવામાં આવે છે, અહીં યેનનું ચલણ પૂપિયાની જેમ જ થાય છે. જોકે, રૂપિયાની વેલ્યુ યેન કરતા વધુ છે. એટલે કે જો જાપાનમાં તમે એક રૂપિયો લઈને જશો તો તમને 1.81 યેન પરત મળશે.

(5) ઈન્ડોનેશિયા: 1 રૂપિયાના 215 રૂપિયા, ઈન્ડોનેશિયામાં તમે ભણવા જાવ કે ફરવા જાવ તમારા માટે રૂપિયો સૌથી પાવરફુલ કરન્સી હશે કેમ કે ઈન્ડોનેશિયામાં એક રૂપિયાની સામે તમને 215 રૂપિયા આપવામાં આવશે. એટલે કે ઈન્ડોનેશિયન રૂપિયાની વેલ્યુ ભારતના રૂપિયા સામે ઘણી નાની છે.

(6) હંગેરી: 1રૂપિયાના 4,12 ફોર્રિટ, હંગેરી ખૂબ જ પ્રખ્યાત દેશોમાંનો એક છે. અહીં જો તમે ફરવા જાવ તો એક રૂપિયાના તમને 4.12 ફોર્રિટ મળશે. એટલે કે અહીં ફોર્રિટ નામની કરન્સીનું ચલણ છે. અહીંની ઈમારતો બહુ જ ભવ્ય અને વિશ્વ વિખ્યાત છે.

(7) પૈરાગ્વે: 1 રૂપિયાના 84.37 ગુઆરની, પૈરાગ્વેમાં જઈ એટલે સુંદર સ્થળો જોવા મળે. એક સર્વે અનુસાર દુનિયાનો સૌથી સસ્તો દેશ પૈરાગ્વે છે. ભારતના રૂપિયાની પણ આ દેશમાં ડોલર જેટલી જ હેસિયત છે. અહીં તમે લેન્ડસ્કેપ, વોટરફોલ, રિવર રાર્ફિટગ વગેરેની મજા માણી શકો છો.

(8) કોસ્ટા રિકા: 1 રૂપિયાના 8.15 કોલોન્સ, કોસ્ટા રીકામાં તમે એક રૂપિયો લઈને જશો તો તમને 8.15 કોલોન્સ મળશે. એટલે કે એક રૂપિયાના ખર્ચે તમને આ દેશમાં ભોજન મળી રહેશે જ્યારે આપણે ત્યાં ચોકલેટ માંડ મળે. આ ટાપુઓના દેશોમાં સામેલ છે માટે ફરવા લાયક છે.

(9) બેલારુસ: 1 રૂપિયાના 268 રુબલ, બેલારુસમાં રૂપિયો મજબૂત છે, અહીં એક રૂપિયાના તમને સ્થાનિક ચલણ માટેના 268 બેલારુસી રુબલ મળશે. અહીં તમે એક રૂપિયો લઈને જશો તો કપડાં ખરીદી શકશો. અહીંના ફરવા લાયક સ્થળો તો છે જ સાથે સાથે આર્કિટેક્ચર પણ ખૂબ જ જાણીતા છે.

Saturday 26 September 2015

♥ क्यों किया जाता है गणपति विसर्जन? ♥

गणपति बप्पा मोरया, मंगलमूर्ति मोरया, अगले बरस तू जल्दी आ इस नारे के साथ देश में जगह-जगह गणपति की मूर्ति विसर्जित की गई। लेकिन क्या आप जानते हैं कि धार्मिक मान्यताओं के अनुसार भाद्रपद शुक्ल चतुर्थी से अगले 10 दिन तक गणपति को वेद व्यास जी ने महाभारत कथा सुनाई थी। इस कथा को गणपति जी ने अपने दांत से लिखा था।

दस दिन तक लगातार कथा सुनाने के बाद वेद व्यास जी ने जब आंखें खोली तो पाया कि लगातार लिखते-लिखते गणेश जी का तापमान बढ़ गया है। वेद व्यास जी ने फौरन गणेश जी को पास के कुंड में ले जाकर ठंडा किया। इसीलिए भाद्र शुक्ल चतुर्थी को गणेश स्थापना की जाती है। और भाद्र शुक्ल चतुर्दशी यानी अनंत चतुर्दशी को शीतल जल में विसर्जन किया जाता है।

Friday 25 September 2015

♥ फ्रांसिस ड्रेक ♥

••• ♥ आज का इतिहास - 26 सितंबर ♥•••

1580 में आज ही के दिन ब्रिटिश नाविक फ्रांसिस ड्रेक समुद्री रास्ते से पूरे विश्व  का चक्कर लगाकर वापस स्वदेश इंग्लैंड पहुंचे थे.

♦GK BLOG ♦
www.aashishbaleja.blogspot.com

♦ ड्रेक वह पहले ब्रिटिश नागरिक थे जिसने पानी के रास्ते पूरी दुनिया की परिक्रमा पूरी की थी. 13 दिसंबर, 1577 को ड्रेक ने पांच जहाजों के बेड़े के साथ इंग्लैंड से अपनी यात्रा शुरु की. अटलांटिक को पार करने के बाद ड्रेक ने अपने दो जहाज दक्षिण अमेरिका में ही छोड़ कर आगे बढ़ने का फैसला किया. बाकी तीन जहाजों के साथ सफर जारी रखते हुए ड्रेक ने मैगेलन स्ट्रेट्स को पार किया. इस बीच उन्हें कई भयंकर तूफानों से निपटना पड़ा. इसी जद्दोजहद में उनका एक और जहाज दुर्घटनाग्रस्त हो गया और दूसरे को मजबूरन इंग्लैंड वापस भेजना पड़ा.

♦ प्रशांत महासागर तक पहुंचने में ड्रेक के पास केवल एक जहाज 'गोल्डन हाइंड' ही रह गया था. बहादुर नाविक ड्रेक ने यात्रा नहीं रोकी. ड्रेक ने दक्षिणी अमेरिका के पश्चिमी तट के पास एक स्पेन के एक खजाने से भरे हुए जहाज को अपने कब्जे में ले लिया. फिर वहां से अटलांटिक में लौटने का रास्ता तलाशने की कोशिश में ड्रेक वहां तक पहुंचे जहां आज की तारीख में वॉशिंगटन है. प्रशांत महासागर में अपने बेड़े के साथ चलते हुए ड्रेक ने कई टापू देखे. अफ्रीका के एक टापू से होते हुए वह अटलांटिक में लौट आए.

♦ 26 सितंबर 1580 को गोल्डेन हाइंड इंग्लैंड के प्लेमाउथ शहर में लौट आया. उसके साथ था इस लंबी यात्रा में लूटा गया खजाना और दुनिया भर के महासागरों से जुड़ी अनगिनत जानकारी.

♦ 1581 में उनकी इस बहुमूल्य उपलब्धि के लिए ब्रिटेन की महारानी एलिजाबेथ प्रथम ने ड्रेक को नाइट की उपाधि से सम्मानित किया. इस महान अंवेषक का 1596 में 56 की उम्र में देहांत हो गया.

🔰♦GK BLOG 🔰♦
www.aashishbaleja.blogspot.com

Tuesday 22 September 2015

♥ ब्लड ग्रुप की तुलना ♥

→ आपका ब्लड कौनसा है और उसकी उपलब्धता कितनी है?

O+       1 in 3        37.4%
(प्रचुरता में उपलब्ध)

A+        1 in 3        35.7%

B+        1 in 12       8.5%

AB+     1 in 29        3.4%

O-        1 in 15        6.6%

A-        1 in 16        6.3%

B-        1 in 67        1.5%

AB-     1 in 167        .6%
(दुर्लभ)

••• ♥ Compatible Blood Types ♥ •••

O-    ले सकता है      O-

O+   ले सकता है      O+, O-

A-    ले सकता है       A-, O-

A+ले सकता है A+, A-,O+,O-

B- ले सकता है  B-, O-

B+ ले सकता है B+,B-,O+,O-

AB-ले सकता है AB-,B-,A-,O-

AB+ ले सकता है  AB+, AB-, B+, B-, A+,  A-,  O+,  O-

ये एक महत्वपूर्ण मेसेज है जो किसी की जिंदगी बचा सकता है ...

♥ भारत में उघोगों की स्थापना ♥

1. भारत में पहली कोयले की खान - रानीगंज (1820)

2. भारत की पहली ट्रेन - मुम्बई से ठाणे (1853)

3. भारत का पहला राकेट - रोहणी (1967)

4. भारत का पहला उपग्रह - आर्यभट् (1975)

5. भारत की पहली इस्पात फैक्टी - टाडा जमशेदपुर (1907)

6. भारत का पहला कृषि विश्व विद्यालय - पंतनगर विश्व विद्यालय(1960)

7. भारत का पहला नेशनल पार्क - जिम कार्बेट (1935)

8. भारत की पहली हवाई उड़ान - इलाहाबाद से नैनी (1911)

9. भारत का पहला जूट कारखाना - रिसरा (कलकत्ता में 1855)

10. भारत की पहली सीमेण्ट फैक्ट्री - चेन्नई (1904)

11. भारत की पहली रबड़ की फैक्टी - बरेंली (1955)

Monday 21 September 2015

♥ આહારમાં ઉપયોગી મીઠું ♥

→ ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં મીઠું નખાય છે. આપણે મીઠાઇ સિવાયની દરેક વાનગીમાં  મીઠું નાખીએ છીએ. મીઠા વિનાના દાળ- શાક ફિક્કા લાગે આ જાણીતી વાત છે પરંતુ મીઠા વિશે કેટલીક નવાઇ ભરી વાતો પણ રસપ્રદ છે.

♦ આપણા શરીરમાં ૦.૨૮ ટકા મીઠું હોય છે. મગજમાંથી શરીર તરફ આવતા જતાં સંદેશા હળવા વીજ પ્રવાહથી થાય છે. તેમાં મીઠાની ભૂમિકા મહત્વની છે.

♦ મીઠું સમુદ્રનું પાણી સુકાઇ ગયા પછી  વધેલો સામાન્ય ક્ષાર છે. તેનું રાસાયણિક નામ સોડિયમ ક્લોરાઇડ  છે. આ બંને ધાતુઓ છે.

♦ દરિયાના પાણી ઉપરાંત કેટલીક જગ્યાએ જમીનમાંથી ખનીજ તરીકે પણ મીઠું મળે છે.

♦ મીઠું બેક્ટેરિયાનો નાશ કરે છે. ખોરાકને લાંબો સમય સાચવી રાખવા મીઠાનો ઉપયોગ થાય છે.

♦ તમને નવાઇ લાગશે પરંતુ ઇથોપિયા, તિબેટ જેવા કેટલાક દેશોમાં પ્રાચીન કાળમાં મીઠાના ગાંગડાનો નાણાંના સિક્કાની જેમ ચલણમાં ઉપયોગ થતો.

♦ પ્રાચીન રોમમાં સૈનિકોને પગારમાં મીઠું આપવામાં આવતું. પગાર માટેનો 'સેલેરી' શબ્દ 'સોલ્ટ' ઉપરથી બન્યો છે.

♦ જાપાનમાં શુભ કાર્યો કરતાં  પહેલા આસપાસમાં મીઠું  છાંટવાની પરંપરા છે. તેનાથી અનિષ્ટ તત્વો દૂર રહે છે. તેવી માન્યતા છે.

♦ ઠંડા પ્રદેશોમાં રસ્તા પર જામેલો બરફ દૂર કરવા તેની ઉપર મીઠું છાંટવામાં આવે છે. અમેરિકામાં ખોરાક કરતા રસ્તા સાફ કરવામાં વધુ મીઠું વપરાય છે.

♥ સૌથી મોટું અને વજનદાર પક્ષી - શાહમૃગ ♥

♠ પક્ષી જગતમાં સૌથી કદાવર અને વજનદાર પક્ષી શાહમૃગ ૧૦ ફૂટ ઊંચું અન ૨૦૦ કિલોગ્રામ વજનનું હોય છે.

♠ શાહમૃગ ઊડી શકતા નથી પરંતુ સૌથી વધુ કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

♠ શાહમૃગના લાંબા પગ એક જ ડગલામાં ૧૦થી ૧૫ ફૂટની ફાળ ભરીને દોડે છે.

♠ શાહમૃગના આંતરડાં ૧૪ ઇંચ લાંબા હોય તેથી તે અન્ય પક્ષીઓ ખાઇ ન શકે તેવી વનસ્પતિ પણ ખાય છે.

♠ શાહમૃગના ઇંડાં ૬ ઇંચ લાંબાં અને દોઢ કિલો વજનના હોય છે.

♠ બધા પક્ષીઓમાં શાહમૃગની આંખ મોટી હોય છે. શાહમૃગની આંખની કીકી ૨ ઇંચ વ્યાસની હોય છે.

♠ શાહમૃગના પગ શક્તિશાળી હોય છે. તેની એક જ લાતથી ચિત્તો  પણ ભોંયભેગો થઇ જાય.

♠ શાહમૃગ કદી પાણી પીતા નથી તે ખોરાકમાંથી જ પાણી મેળવી લે છે.

♥ અજાયબ જીવજગત ♥

♦ ઓક્ટોપસ પોતાના શરીરને સૌથી વધુ સંકોચી શકે છે. ૨૭૦ કિલો વજનનું ઓક્ટોપસ નાનકડી વીંટીમાંથી પણ પસાર થઈ શકે છે.

♦ ટુઅટારા જાતની ગરોળીના કપાળમાં ત્રીજી આંખ હોય છે જેનાથી તે અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે.

♦ અમેરિકાના ઓરેગાંવમાં ૨૪૦૦ વર્ષ જુનું હની મશરૂમ ૮.૪ કિલોમીટર જગ્યા રોકે છે. વિશ્વનો આ સૌથી મોટો સજીવ કહેવાય છે.

♦કાંગારૃ રેટ જીવનભર પાણી વિના જીવી શકે છે.

♦ ડોલ્ફિન પાણીમાં તરતી રહીને એક આંખ બંધ કરીને ઊંઘ લઈ લે છે.

♦ કેટફિશ પોતાનાં ઇંડાં મોંમાં રાખીને સેવે છે.

♦ અલાસ્કાના વૂડ ફ્રોગ દેડકાં, બરફમાં થીજી ગયા પછી પણ ઘણા મહિના જીવીત રહે છે અને બરફ પીગળતાં જ જીવતાં થઈ સક્રિય થઈ જાય છે.

♦ કેટલાંક અળસીયાના શરીરમાં ૧૦ હૃદય હોય છે એટલે તેના ટૂકડા થયા પછી પણ સ્વતંત્ર રીતે બંને ટુકડા જીવી શકે છે.

♥ भगवान गणेश का वाहन चुहा क्यो?

गणपति बप्पा का ये विशाल स्वरुप देखकर आप सभी के मन में ये सवाल जरूर उठता होगा कि आखिर गजानन का वाहन इतना छोटा चुहा क्यों ?

→ गणेश पुराण के अनुसार, भगवान गणेश का चूहा अपने पूर्व जन्म में एक अर्द्ध-भगवान थे और उनका नाम उस समय क्रोंच था।भगवान इंद्र की सभा में, क्रोंच का पैर धोखे से एक मुनि वामादेव के पैरों पर पड़ गया जो एक महान संत थे। मुनि वामादेव को लगा कि क्रोंच ने यह जानबूझकर किया है और उन्होंने उसे चूहा बनने का शाप दे दिया। क्रोंच भयभीत हो गए और वह ऋषि के चरणों पर गिर पड़े और शाप का निवारण करने के लिए कहा जिससे ऋषि का गुस्साा ठंडा पड़ गया । लेकिन उनका दिया हुआ शाप बेकार नहीं जा सकता था, इसलिये उन्होंने कहा कि, जाओ तुम भगवान गणेश के वाहन बनोगे और उनकी सेवा करोगे। उसके बाद क्रोंच ऋषि के चरणों में ही चूहा बन गया और महर्षि पराशर के आश्रम में जा गिरा। वास्तव में वह इतना बड़ा था जैसे पर्वत हों और सभी को अपने में समां लेता हों। वह बड़ा भयावह था। वह अपने रास्तेे में आने वाली सभी चीजों को नष्ट कर देता था। धरती पर उसे आंतक का दूसरा नाम माना जाता था। उसी समय भगवान गणेश को महर्षि परमार के आश्रम में आमंत्रित किया गया । इस चूहे के आंतक को सुनकर भगवान गणेश ने इसे पकड़ने का फैसला किया। भगवान ने एक फंदा बनाया और उसे हवा में चूहे को फंसाने के लिए फेंका। इस फंदे से पूरे संसार में रोशनी हो गई और इस चूहे का पीछा करना शुरू कर दिया और पीछा करते हुए इस चूहे को भगवान गणेश ने पकड़ लिया।

इस प्रकार, क्रोंच ने क्षमा मांगी और भगवान ने उसे क्षमा कर दिया और अपना वाहन बना लिया।

Sunday 20 September 2015

♥ श्री कृष्ण ने क्यों किया कर्ण का अंतिम संस्कार अपने ही हाथों पर?, जानिए कर्ण से जुडी कुछ ऐसी ही रोचक बातें । ♥


→ कर्ण के पिता सूर्य और माता कुंती थी, पर चुकी उनका पालन एक रथ चलाने वाले ने किया था, इसलिए वो सूतपुत्र कहलाएं और इसी कारण उन्हें वो सम्मान नहीं मिला, जिसके वो अधिकारी थे।  इस लेख में आज हम महारथी कर्ण से सम्बंधित कुछ रोचक बातें जानेंगे।

•••♦ क्यों नहीं चुना द्रौपदी ने कर्ण को अपना पति? ♦•••

→ कर्ण द्रोपदी को पसंद करता था और उसे अपनी पत्नी बनाना चाहता था साथ ही द्रौपदी भी कर्ण से बहुत प्रभावित थी और उसकी तस्वीर देखते ही यह निर्णय कर चुकी थी कि वह स्वयंवर में उसी के गले में वरमाला डालेगी। लेकिन फिर भी उसने ऐसा नहीं किया।

→ द्रोपदी और कर्ण, दोनों एक-दूसरे से विवाह करना चाहते थे लेकिन सूतपुत्र होने की वजह से यह विवाह नहीं हो पाया। नियति ने इन दोनों का विवाह नहीं होने दिया, जिसके परिणामस्वरूप कर्ण, पांडवों से नफरत करने लगा।

→ द्रोपदी ने कर्ण के विवाह प्रस्ताव को ठुकरा दिया क्योंकि उसे अपने परिवार के सम्मान को बचाना था। क्या आप जानते है द्रौपदी के विवाह प्रस्ताव को ठुकरा देने के बाद कर्ण ने दो विवाह किए थे। चलिए आपको बताते हैं किन हालातों में किससे कर्ण ने विवाह किया था।

••••• ♦कर्ण ने किए थे दो विवाह ♦•••••

अविवाहित रहते हुए कुंती ने कर्ण को जन्म दिया था। समाज के लांछनों से बचने के लिए उसने कर्ण को स्वीकार नहीं किया। कर्ण का पालन एक रथ चलाने वाले ने किया जिसकी वजह से कर्ण को सूतपुत्र कहा जाने लगा। कर्ण को गोद लेने वाले उसके पिता आधीरथ चाहते थे कि कर्ण विवाह करे। पिता की इच्छा को पूरा करने के लिए कर्ण ने रुषाली नाम की एक सूतपुत्री से विवाह किया। कर्ण की दूसरी पत्नी का नाम सुप्रिया था। सुप्रिया का जिक्र महाभारत की कहानी में ज्यादा नहीं किया गया है।

रुषाली और सुप्रिया से कर्ण के नौ पुत्र थे। वृशसेन, वृशकेतु, चित्रसेन, सत्यसेन, सुशेन, शत्रुंजय, द्विपात, प्रसेन और बनसेन। कर्ण के सभी पुत्र महाभारत के युद्ध में शामिल हुए, जिनमें से 8 वीरगति को प्राप्त हो गए। प्रसेन की मौत सात्यकि के हाथों हुई, शत्रुंजय, वृशसेन और द्विपात की अर्जुन, बनसेन की भीम, चित्रसेन, सत्यसेन और सुशेन की नकुल के द्वारा मृत्यु हुई थी।

वृशकेतु एकमात्र ऐसा पुत्र था जो जीवित रहा। कर्ण की मौत के पश्चात उसकी पत्नी रुषाली उसकी चिता में सती हो गई थी। महाभारत के युद्ध के पश्चात जब पांडवों को यह बात पता चली कि कर्ण उन्हीं का ज्येष्ठ था, तब उन्होंने कर्ण के जीवित पुत्र वृशकेतु को इन्द्रप्रस्थ की गद्दी सौंपी थी। अर्जुन के संरक्षण में वृशकेतु ने कई युद्ध भी लड़े थे।

•••♦ श्री कृष्ण ने क्यों किया कर्ण का अंतिम संस्कार अपने ही हाथों पर? ♦•••

जब कर्ण मृत्युशैया पर थे तब कृष्ण उनके पास उनके दानवीर होने की परीक्षा लेने के लिए आए। कर्ण ने कृष्ण को कहा कि उसके पास देने के लिए कुछ भी नहीं है। ऐसे में कृष्ण ने उनसे उनका सोने का दांत मांग लिया।

कर्ण ने अपने समीप पड़े पत्थर को उठाया और उससे अपना दांत तोड़कर कृष्ण को दे दिया। कर्ण ने एक बार फिर अपने दानवीर होने का प्रमाण दिया जिससे कृष्ण काफी प्रभावित हुए। कृष्ण ने कर्ण से कहा कि वह उनसे कोई भी वरदान मांग़ सकते हैं।

कर्ण ने कृष्ण से कहा कि एक निर्धन सूत पुत्र होने की वजह से उनके साथ बहुत छल हुए हैं। अगली बार जब कृष्ण धरती पर आएं तो वह पिछड़े वर्ग के लोगों के जीवन को सुधारने के लिए प्रयत्न करें। इसके साथ कर्ण ने दो और वरदान मांगे।

दूसरे वरदान के रूप में कर्ण ने यह मांगा कि अगले जन्म में कृष्ण उन्हीं के राज्य में जन्म लें और तीसरे वरदान में उन्होंने कृष्ण से कहा कि उनका अंतिम संस्कार ऐसे स्थान पर होना चाहिए जहां कोई पाप ना हो।

पूरी पृथ्वी पर ऐसा कोई स्थान नहीं होने के कारण कृष्ण ने कर्ण का अंतिम संस्कार अपने ही हाथों पर किया। इस तरह दानवीर कर्ण मृत्यु के पश्चात साक्षात वैकुण्ठ धाम को प्राप्त हुए।