આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 31 October 2015

♥ ઝપાટા ♥

♥ લોહચુંબક વિશે ગેરમાન્યતા અને નિવારણ ♥

લોહચુંબકના અનેક ઉપયોગો હોવાથી આજના જમાનામાં તેનું મહત્ત્વ વધુ છે પરંતુ જ્યારે રાહુમાં પંદરમા સેક્ટરમાં લોહચુંબક વિશે અનેક ગેરસમજ હતી. લોહચુંબક પાસે જવાથી દુઃખ આવે છે, પ્રેમભંગ થાય છે, લોહચુંબકને લસણ વડે ઘસવામાં આવે તો તેનું ચુંબકત્ત્વ પાછું આપે છે. હીરાનાં સાંનિધ્યમાં ચુંબકની શક્તિ નાશ પામે છે, આવી બધી ગેરસમજને કારણે લોકો લોહચુંબકને સ્પર્શ કરવાનું ટાળતાં. વિલિયમ ગિલ્બર્ટ નામના વૈજ્ઞાાનિકે આ બધી ગેરસમજ દૂર કરી અને ખરી હકીક્ત લોકો સામે રજૂ કરી, પૃથ્વી એ મોટું ચુંબક છે, લોહચુંબક ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે. ઈ. સ. ૧૬૦૦માં તેણે લખેલાં પુસ્તકમાં આ માહિતી આપી હતી.

♥ દુનિયાનું અજબ-ગજબ ♥

♦ બ્રિટનના મધરવેલ શહેરમાં રહેતા કીથ રોસ નામના જાનવર પ્રેમી માણસે ઘરમાં ૬૦ ગરોળી, ૨૮ સાપ, ત્રણ કાચબા, એક અજગર અને ત્રણ કરોળીયા પાડયા છે. તેને નાનપણથી જ જાનવર પાળવાનો શોખ હતો.

 
♦ ટોમી નામના કાચબાની ઉંમર ૧૧૬ વરસની છે. જે બ્રિટનના ક્રોયડોનમાં શીલા ફલોરિસના ઘર રહે છે. આ કાચબો ૧૧ વરસનો હતો ત્યારે તેને ખરીદવામાં આવ્યો હતો. આ કાચબાએ ઘરમાં ત્રણ પેઢી જોઈ છે અને બે વિશ્વયુદ્ધ જોયા છે.

 
♦ આમ તો દરેક મહિલા પોતાનો અવાજ સુરીલો હોય તેમ ઈચ્છે છે પણ બ્રિટનના ગ્રેટ માન્ચેસ્ટરમાં રહેતી નોર્મા નામની ૫૬ વર્ષની મહિલાનો અવાજ પુરૃષ જેવો છે તે જયારે વાત કરતી હોય ત્યારે તેને જોવે નહીં તો સાંભળનારને એમ જ લાગે કે કોઈ પુરૃષ જ છે તે નાની હતી ત્યારથી તેનો અવાજ એવો જ છે.

 
♦ દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ શિકાર કરવા માટે વપરાતા તીર પર રંગબેરંગી દેડકાનું ઝેર લગાડે છે. આ દેડકા દેખાવમાં કાળા રંગના હોય છે પણ તેમના આ કાળા રંગ પર લાલ-લીલા-પીળા રંગના ધાબા હોય છે. એટલા માટે તેને રંગબેરંગી દેડકા કહેવાય છે. તેમનું ઝેર લગાડેલા તીરથી કોઈ પ્રાણી બચી શકતા નથી.

♥ દુનિયાના જુદા જુદા દરિયાને જુદા જુદા રંગે કેમ ઓળખવામાં આવે છે? ♥


≈♦ દુનિયામાં એવા દરિયા છે, જેને રંગોનાં નામ આપવામાં આવ્યાં છે, જેમ કે, કાળો દરિયો, લાલ દરિયો, સફેદ દરિયો અને પીળો દરિયો.

≈♦ આવાં નામો પાછળ કોઈને કોઈ કારણ રહ્યું છે, આવો, એ જાણવાની કોશિશ કરીએ કે એની પાછળ શું કારણ છે?

≈♦ કાળા દરિયાને રોમન પોંટસ યુક્સિનસ કહેતા હતા, જેનો અર્થ છે મિત્રતાભર્યો દરિયો, પરંતુ પછીથી એનું નામ કાળો દરિયો શા માટે પડયું? એનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે શિયાળાના દિવસોમાં અહીં વધારે પડતું ધુમ્મસ જામી જાય છે, જેને કારણે દરિયો એકદમ અંધકારભર્યો અને ભયાનક દેખાય છે.

≈♦ અરબ ટાપુ અને ઉત્તર-પૂર્વ આફ્રિકા વચ્ચે આવેલા હિંદ મહાસાગરની એક શાખાને લાલ દરિયો કહેવામાં આવે છે, જોકે એનું કારણ જાણમાં નથી કે એને લાલ દરિયો શા માટે કહેવામાં આવે છે.

≈♦ એક સિદ્ધાંત પ્રમાણે એને લાલ દરિયો એટલા માટે કહેવામાં આવે છે કે, શિયાળામાં એની સપાટી પર લાલ-ભૂરા રંગની લીલ જામી જાય છે.

≈♦ સફેદ દરિયો આર્કિટેક મહાસાગરની એક શાખા છે, એને સફેદ સાગર એટલા માટે કહેવામાં આવે છે કે, સપ્ટેમ્બરથી જૂન સુધીમાં એમાં બરફ રહે છે.

≈♦ પીળો દરિયો પ્રશાંત મહાસાગરમાં આવેલી એક ખાડી છે. એ ચીન અને કોરિયા વચ્ચે આવેલી છે. હુઆંગ નદી એમાં પીળા રંગનો ઘણોબધો કીચડ લઈ આવે છે, એ હિસાબે જ એને પીળો દરિયો કહેવામાં આવે છે.

    

♥ રેલવેનો ઇતિહાસ ♥

★ ૧૭૮૯માં લોગ બરોગ લિન્કેસ્ટશાયરમાં વિલિયમ જોસેફ દ્વારા પ્રથમ કોઈ એક પ્રકારની રેલવે ખુલ્લી મુકાઈ હતી પણ એના વિશે આજે બહુ ઓછાં લોકો જાણે છે.
માલ-સામાનનાં પરિવહન માટે બીજા જોસેફની રેલ્વે Surrey iron Railway હતી, જે ૧૯૦૩માં, લંડનમાં ખુલ્લી મુકાઈ હતી, આ બંને રેલ્વે,(ઇટ્વૈઙ્મુટ્વઅ એટલે રેલપથ)વેગનોને ખચ્ચરો અથવા ગધેડાઓ દ્વારા ખેંચતી હતી.

★ ૧૮૦૪માં વેલ્સમાં સર્વપ્રથમ લોકોમોટિવ દ્વારા એટલે કે વરાળયંત્રનાં એન્જિન દ્વારા રેલપથ પર ગાડી દોડી હતી એવો એક મત છે અને આ જ રેલવેમાં થોડા સમય પછી Carriage(મુસાફર યાન)માં બેસી પ્રવાસીઓએ પ્રવાસ કરેલો. આ બંને Carriages(મુસાફર યાનો) અને Railway (રેલપથ-રેલપાટા)ની શોધ રિચાર્ડ ટ્રેવિથિક નામના એન્જિનિયરે કરી હતી.

★ ૧૮૨૫માં "સ્ટોકસ્ટન એન્ડ ર્ડિલગટન રેલ્વે" ખુલ્લી મુકાઈ. ૨૭ માઈલ લાંબી અને સૌથી પ્રથમ જનતા રેલવે. આ રેલવેના કેરેજીજને લોકોમોટિવ એન્જિન ખેંચતું હતું.
લોકોમોટિવ એન્જિન સામાન અને પ્રવાસીઓ, બંનેને વેગન્સમાં એક સાથે જ ખેંચતું હતું.

★ એ પછી ૧૮૩૦માં સ્ટીમ લોકોમોટિવ એન્જિન દ્વારા કેવળ પ્રવાસીઓને જ લઈ જતી રેલવે દાખલ થઈ હતી. આ રેલવેનું નામ લિવરપૂલ એન્ડ માન્ચેસ્ટર રેલવે હતું. સૌથી પ્રથમ ડીઝલ લોકોમોટિવ એન્જિનનો પ્રયોગ ૧૯૧૨માં થયો હતો, જેનું નામ Prussian-Hessian state Railway હતું પણ એને ખાસ સફળતા મળી નહોતી જ્યારે સ્વિડીશ-દ્વારા બંધાયેલ ડીઝલ-ઇલેકિટ્રક લોકોમોટિવનો ઉપયોગ થયો અને એને Tunisian Railway નામ અપાયું ત્યારે ૧૯૨૧માં રેલવેને સફળતા મળી હતી.

★ ઉપર કેબલ્સ ધરાવતી ઇલેક્ટ્રિક ગાડીઓ, કે જે ગાડીઓ ઇલેક્ટ્રિક પાવરસપ્લાય દ્વારા ચાલતી હતી. તેેઓ ત્યાર પછી તરત જ આવી.

★ ઈ. સ. ૧૮૯૪માં યુ.એસ.એ.માં બાલ્ટિમોર અને ઓહિયો રેલરોડ, એ સૌથી પ્રથમ ઇલેક્ટ્રિક ગાડી હતી, તો આ છે 'રેલપથ'નો ઇતિહાસ.

♥ કબૂતર ચાલતી વખતે માથું આગળ - પાછળ કેમ કરે છે? ♥

♥ વિશ્વનું સૌથી લાંબુ 3d પેઇન્ટીંગ ♥

♥ ડૉ.હોમી જહાંગીર ભાભા ♥

♥ नशीले पदार्थ पैदा करने वाले प्रमुख देश ♥


संयुक्त राष्ट्र एजेंसी यूएनओडीसी के मुताबिक दुनिया भर में करीब 23.4 करोड़ लोग ड्रग्स का इस्तेमाल करते हैं. हर साल ड्रग्स के कारण करीब 2 लाख लोग जान गंवा बैठते हैं I

♥ अफगानिस्तान की अफीम ♥

अफगानिस्तान दुनिया भर में अफीम का सबसे बड़ा उत्पादक है. यहां सालाना 5,000 से 6,000 टन अफीम पैदा होती है. अफगानिस्तान से नाटो सेनाओं की वापसी के बाद इसके उत्पादन का और विस्तार हुआ है. अमेरिका और एशिया, यहां की अफीम के सबसे बड़े बाजार हैं  l

♥ कोलंबिया की कोकेन ♥

कोलंबिया, बोलीविया और पेरु कोकेन के उत्पादन में दुनिया भर में सबसे आगे हैं. इन तीनों देशों में कोका की पत्तियों की खेती 1,35,000 एकड़ में होती है. यूएन की एंटी नार्कोटिक्स एजेंसी यूएनओडीसी के मुताबिक कोलंबिया में हर साल 300 से 400 टन कोकेन तैयार होती है. कोकेन के प्रमुख बाजार दक्षिण अमेरिका, उत्तर अमेरिका और यूरोप हैं l

♥ मोरक्को का गांजा ♥

हर साल मोरक्को में 1500 टन चरस और गांजा तैयार होता है. मोरक्को में करीब 1,34,000 हेक्टेयर में गांजे के खेत हैं. अमेरिका के कुछ राज्यों और मेक्सिको में चिकित्सकीय मैरिजुआना को कानूनी दर्जा मिल जाने के बाद से इसकी खेती में वृद्धि हुई है l

♥ म्यांमार में हेरोइन ♥

दक्षिण पूर्वी एशिया में गोल्डन ट्राएंगल ऑफ म्यांमार, लाओस और कंबोडिया, अफीम और हेरोइन बनाने में आगे हैं. यहां सालाना 1000 टन अफीम तैयार होती है. यहां से इसे थाइलैंड और इंडोनेशिया समेत अन्य दक्षिण पूर्वी एशियाई देशों में सप्लाई किया जाता है I

♥ अमेरिका और मेक्सिको से क्रिस्टल मेथ ♥

यूएनओडीसी की रिपोर्ट के मुताबिक कृत्रिम ड्रग क्रिस्टल मेथ का इस्तेमाल नाटकीय रूप से बढ़ा है. यह ठीक ठीक नहीं पता कि इसके सबसे बड़े निर्माता देश कौन हैं. इसे घरेलू लैब में बनाना आसान है. जानकारी के मुताबिक साल 2014 में अमेरिकी पुलिस ने ऐसी 12,000 लेबों पर छापे मारे. 2014 में दुनिया भर से पकड़ी गई 144 टन क्रिस्टल मेथ में से 80 फीसदी अमेरिका और मेक्सिको में पकड़ी गई 

Thursday 29 October 2015

♥ श्रीमद् भागवत पुराण कथा क्या है ? ♥

→ श्रीमद् भागवत पुराण कथा = श्रीमद् + भागवत + पुराण + कथा (चार शब्दों से बना है) इसलिए चारों शब्दों को एक - एक करके निम्नलिखित रूप से समझा जा सकता है -

→ 'श्रीमद' शब्द भागवत का राज तिलक है । श्रीमद् शब्द संस्कृत वाङ्मय के केवल दो ही ग्रंथ के आगे प्रयोग होता हैं -

1. श्रीमद् भगवत गीता
2. श्रीमद् भागवत महापुराण

→ भागवत पुराणों का सम्राट है तो गीता स्मृतियों की साम्राज्ञी है ।

→ 'भागवत' = भा +ग + व + त = चार शब्दों से मिल कर बना है ।

→ भागवत का आध्यात्मिक अर्थ - भा यानी भक्ति, ग यानी ज्ञान, व मतलब वैराग्य और त से तत्व है । जब जीवन में भक्ति का शुभारम्भ होता है तो ज्ञान पैदा होता है और ज्ञान के होने पर वैराग्य की उत्पत्ति होती है और वैराग्य दृढ़ होने पर शनै: - शनै: तत्व (परमात्मा) की प्राप्ति हो जाती है ।

→ भागवत का भौतिक अर्थ - भा यानी भानु (सूर्य) या रोशनी का सूत्र, ग यानी गति (निरंतरता) व मतलब विवेचन (अध्ययन) एवं त से तत्व (ईश्वर) है । जब मानव के जीवन में प्रकाश होता है तभी वह क्रियात्मक स्थिति में आता है और जीवन के लक्ष्य - अलक्ष्य का विवेचन करके ही मानव तत्व यानी ईश्वर की प्राप्ति कर पाता है ।

→ व्याकरण की दृष्टि से पुराण का अर्थ होता है पुराना । परंतु पुराण अति प्राचीन होते हुए बी वर्तमान समस्याओं का समाधान करके सही दिशा निर्देश प्रदान करते हैं ।

••• ♥ पुराण ♥ •••

पूर्ण केवल एक ईश्वर ही है । पुराणों में केवल श्रीमद् भागवत पुराण ही ऐसा पुराण है जो मानव - जीवन के प्रत्येक पक्ष के लिए अपने आप में परिपूर्ण है ।

•••♥ कथा ♥•••

श्रीमद् भागवत जी की कथा देव दुर्लभ है । यह स्वर्ग में देवताओं को भी नहीं मिलती । यह कथा केवल पृथ्वी पर ही उपलब्ध है । इसलिए श्रीहनुमाान जी
ने स्वर्ग जाने से मना कर दिया था और वे साक्षात रूप से कथा सुनने पृथ्वी पर पधारते हैं । स्वर्ग में सुधा है परंतु कथा सुधा तो वसुधा पर ही है । —

Sunday 25 October 2015

♥ સૌથી વધુ પુલ-અપ્સ ♥

♥ સૌથી વધુ ટેટુનો રેકોર્ડ ♥

♥ शरद पूर्णिमा का महत्व ♥

एक अध्ययन के अनुसार शरद पूर्णिमा के दिन औषधियों की स्पंदन क्षमता अधिक होती है। रसाकर्षण के कारण जब अंदर का पदार्थ सांद्र होने लगता है, तब रिक्तिकाओं से विशेष प्रकार की ध्वनि उत्पन्न होती है।

लंकाधिपति रावण शरद पूर्णिमा की रात किरणों को दर्पण के माध्यम से अपनी नाभि पर ग्रहण करता था। इस प्रक्रिया से उसे पुनर्योवन शक्ति प्राप्त होती थी। चांदनी रात में 10 से मध्यरात्रि 12 बजे के बीच कम वस्त्रों में घूमने वाले व्यक्ति को ऊर्जा प्राप्त होती है। सोमचक्र, नक्षत्रीय चक्र और आश्विन के त्रिकोण के कारण शरद ऋतु से ऊर्जा का संग्रह होता है और बसंत में निग्रह होता है।

अध्ययन के अनुसार दुग्ध में लैक्टिक अम्ल और अमृत तत्व होता है। यह तत्व किरणों से अधिक मात्रा में शक्ति का शोषण करता है। चावल में स्टार्च होने के कारण यह प्रक्रिया और आसान हो जाती है। इसी कारण ऋषि-मुनियों ने शरद पूर्णिमा की रात्रि में खीर खुले आसमान में रखने का विधान किया है। यह परंपरा विज्ञान पर आधारित है।

शोध के अनुसार खीर को चांदी के पात्र में बनाना चाहिए। चांदी में प्रतिरोधकता अधिक होती है। इससे विषाणु दूर रहते हैं। हल्दी का उपयोग निषिद्ध है। प्रत्येक व्यक्ति को कम से कम 30 मिनट तक शरद पूर्णिमा का स्नान करना चाहिए। रात्रि 10 से 12 बजे तक का समय उपयुक्त रहता है।

वर्ष में एक बार शरद पूर्णिमा की रात दमा रोगियों के लिए वरदान बनकर आती है। इस रात्रि में दिव्य औषधि को खीर में मिलाकर उसे चांदनी रात में रखकर प्रात: 4 बजे सेवन किया जाता है। रोगी को रात्रि जागरण करना पड़ता है और औ‍षधि सेवन के पश्चात 2-3 किमी पैदल चलना लाभदायक रहता है। 

♥ ENGLISH GOVERNORS & VICEROYS ♥


♦ લોર્ડ કેનિંગ ( 1858- 1862) ♦

- તાજનો પ્રથમ પ્રતિનિધિ- વાઇસરોય, વાર્ષિક 500 રૂપિયાથી વધુ આવકવાળા પર 5 ટકા આવકવેરો દાખલ, પ્રથમ કાયદા આયોગની સ્થાપના કરી.
- 1858ના હિંદની અધિક સારી સરકારને કાયદા હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સઘળી સતા તાજને હસ્તક, રાણી વિકટોરિયાનો ઢઢેરો , સેનાનું પુનર્ગઠન, તોપખાના પર અંગ્રેજોનું નિયંત્રણ સ્થાપિત કર્યું.
- ખેડૂતોના હિત માટે 1854માં બેગાલ રેન્ટ એક્ટ પસાર કર્યો.
- ‘1861ના હિંદી ધારાસભાઓનો કાયદો’ એ કેનિંગની મહાન સિદ્ધિ .
 
♦ લોર્ડ એલ્ગિન પહેલો ( 1862- 1863) ♦
 
- પંજાબમાં અંબાલાના ઘાટમાં અંગ્રેજસેના અને વહાબીઓ વચ્ચે સંઘર્ષ.
 
♦ સર રોબર્ટ નેપિયર ( 1863: કામચલાઉ) ♦

♦ સર વિલિયમ ટેનીસન ( 1863: કામચલાઉ) ♦

♦ લોર્ડ લોરેન્સ (1864- 1869) ♦
 
- અફઘાનો પ્રત્યે અપનાવેલી ‘ કુનેહ્પ્રૂર્ણ નિષ્કિયતા’ની નીતિ, પંજાબ ટેનન્સી એક્ટ (1868) અને અવધ ટેનન્સી એક્ટ પસાર.
- બારી દોઆબ નહેર પ્રૂર્ણ, રોગો ડામવા સેનેટરી કમિશનની નિયુક્તિ, જેલ સુધારણા માટે એ.એ.રોબર્ટ્સની નિમણુંક.
- 1865-66 માં પ્રવર્તતી શિક્ષણની સ્થિતિની તપાસ કરવા સરકારના સચિવ એ.એમ.મોન્ટીથની નિયુક્તિ.
 
♦ લોર્ડ મેયો ( 1869- 1872) ♦
 
અફઘાન શેરઅલી અને મેયો વચ્ચે અંબાલા મુકામે મુલાકાત, પ્રથમ વસ્તી ગણતરી ( 1871), ખેતીવાડી ખાતાની સ્થાપના.અજમેરમાં ‘મેયો કૉલેજ’ અને રાજકોટમાં ‘રાજકુમાર કૉલેજ’, દુષ્કાળ સામે રેલ્વે અને નેહેરોનું બાંધકામ શરૂ, 1872 નો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ.
 
♦ સર જહોન સ્ટ્રેચી (1872: કામચલાઉ) ♦

♦ લોર્ડ નેપિયર મરચિસ્ટાઉન (1872: કામચલાઉ) ♦
લોર્ડ નોર્થબુક (1872- 1876) :-
 
- પંજાબમાં કૂકા ચળવળ પુર જોશમાં, આવક વેરો રદ કર્યો, સુએઝ નહેરને ખુલ્લી મૂકી, અલીગઢ ખાતે મુસ્લિમ એગ્લો-વર્નાક્યુલર કૉલેજ સ્થાપનાને સર સૈયદ અહમહની યોજનાને સરકારી ટેકો.
- 1874 માં બંગાળમાં પડેલા દુષ્કાળ સામે લેવાયેલા સરકારી પગલાં અને છેલ્લે 1875માં પ્રિન્સ ઓફ વેલ્સે ભારતની મુલાકાત લીધી.
 
♦ લોર્ડ લીટન (1876-1880) ♦
 
- વર્નાક્યુલર પ્રેસ એક્ટ-(1878) અને ઇન્ડિયન આર્મ્સ એક્ટ પસાર કર્યો.
- અલીગઢ યુની.નો પાયો નંખાયો, મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞનું બિરુદ અપાયું.
- બીજો અફઘાન વિગ્રહ (1878-80), સર –રીચાર્ડ સ્ટ્રેચીના પ્રમુખપદે દુષ્કાળપંચની નિમણુંક.
 
 
♦ લોર્ડ રિપન (1880-1884) ♦
 
- સ્થાનિક સ્વરાજ્યના પિતાનું બિરૂદ મેળવનાર, 1882માં વર્નાલ્પુકર પ્રેસ એક્ટની નાબૂદી, કેળવણી ઉપરપ ‘હંટર કમિશનની નિયુક્તિ’ (1882), પંજાબ યુનિવર્સીટીની સ્થાપના.
- પ્રથમ ફેક્ટરી એક્ટ (1881), ઈલ્બટ બીલ પસાર –સામે ભારે વાદવિવાદ, નાણાકીય વિકેન્દ્રીકરણને લગતો સુધારો.
 
♦ લોર્ડ ડફરીન (1884- 1888) ♦

- હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના (1885) કરી, ત્રીજો બર્મી વિગ્રહ (1885).
 
♦ લોર્ડ લેન્સડાઉન ( 1888-1893) ♦
 
- 1892માં હિંદી સમિતિઓનો ધારો પસાર, મણીપુર, સિક્કિમ અને કશ્મીર જેવા દેશી રાજ્યો સાથેના સંબંધો, નવો ફેક્ટરી ધારો (1891), વયમર્યાદા ધારો (1891), અને 1884 નો ઓફિસિયલ સિક્રેટ ધારો પસાર.
 
♦ લોર્ડ એગ્લીન બીજો ( 1894- 98:  કામચલાઉ) ♦

♦ લોર્ડ કર્ઝન (1899-19040 ♦
 
- દુષ્કાળ સામે પગલાં લેવા નિમાયેલ એન્થોની મેકડોનાલ્ડ કમિશન, બંગાળમાં પુસા ખાતે ખેતીવાડી સંસોધન સંસ્થાની સ્થાપના.
- સર થોમસ રોન અધ્યક્ષપદે કેળવણી કમિશન નિયુક્તિ (1904),
- 1905માં બંગાળના ભાગલા, વાયવ્ય સરહદ પ્રાંતની રચના.
- પહેલો કમિશન હતો લેફ્ટેનન્ટ કર્નલ ડીન, વિદેશનીતિક્ષેત્રે અફધાનિસ્તાન, તિબેટે વગેરે મામલાઓ સંકળાયેલ, તેના કાર્યોને એક શબ્દમાં રજુ કરી શકાય : કાર્યક્ષમતા

♦ લોર્ડ એમ્પથીલ (1904: કામચલાઉ) ♦
 
♦ લોર્ડ કર્ઝન ( બીજી વખત 1904-05) ♦
 
 
♦ લોર્ડ મિન્ટો બીજો (1905-1910) ♦

- મોર્લ –મિન્ટો સુધારા (1909) મુસ્લિમ લીગની સ્થાપના (1906).
 
 
♦ લોર્ડ હાર્ડીજ બીજો ( 1910-1916) ♦

- 1911માં રાજા જયોર્જની હિંદ મુલાકાત વખતે દિલ્હી દરબાર, બંગાળના ભાગલા રદ અને પાટનગર કલકતાથી ખસેડીને દિલ્હી લઈ જવાની જાહેરાત (1911).
- 1912 થી દિલ્હી પાટનગર બન્યું.
- 1913 ના ઉચ્ચ શિક્ષણને લગતી ભારત સરકારની નીતિ પરિભાષિત કરી.
- 1913 માં સર હાકોટ બટલરનો ઠરાવ, જેના આધારે બનારસ હિંદ વિશ્વવિદ્યાલયનો પાયો નંખાયો-સ્થાપક મદનમોહન માલવિયા.
- મેસોપોટેમીયા ગોટાળો, પૂનામાં તિલક અને મદ્રાસમાં એનીબેસ્ટ દ્વ્રારા હોમરૂલ આંદોલનનો આરંભ, ‘કોમગાટુ મારુ’ નો બનાવ.
 
 ♦ લોર્ડ ચેમ્સફર્ડ ( 1996-1921) ♦

- મોન્ટેગ્યું –ચેમ્સફર્ડ સુધારા (1919), રોલેટ એક્ટ, જલીયાવાલા બાગ, પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત, ખિલાફત ચળવળ અને અસહકારનું આંદોલન, કેળવણીને લગતું સેડલર કમિશન, ત્રીજો અફઘાન વિગ્રહ.
- સરકારે કલકતા વિશ્વવિદ્યાલયનો અધ્યયન કરીને તૈયાર કરવા ડો.એમ.ઈ. ‘સેલડર વિશ્વવિદ્યાલય આયોગ’ નીમ્યું.

 
♦ લોર્ડ રીર્ડીગ (1921-1926) ♦
 
- તે નિમણુંક પહેલા ઈગ્લેન્ડમાં લોર્ડ ચીફ જસ્ટિસનો દરરજો ભોગવતો, વાઇસરોયપદ દરમિયાન ઘણાં સ્થળોએ હડતાલ અને રમખાણો થયેલાં.
- સરકારમાં પ્રવેશીને અંદરથી સરકારને ખોરવી નાખનારા ક્રોગ્રેસમેનો ‘સ્વરાજ્યવાદીઓ’ –સિ.આર.દાસ, મોતીલાલ નહેરુ કહેવાતા.
- નવા બંધારણ હેઠળ ક્રીમું પ્રાંતાની ‘ડાયાર્ચી’ ની કામગીરી અંગે મુડ્ડીમેન કમિટીનો રીપોર્ટ પ્રસિદ્ધ થયો.
 
♦ લોર્ડ લિટન બીજો ( 1925: કામચલાઉ) ♦
 
♦ લોર્ડ ઇર્વિન (1926-1931) ♦
 
- તેના સમયમાં ‘સાયમન કમિશન’ (1927-30) ની નિમણુંક; જે સામે દેશવ્યાપી વિરોધ.
- ક્રોગ્રેસ દ્વ્રારા 1903 ની 26મી જાન્યુઆરીએ ભારત માટે સ્વાતંત્ર્યદિનની ઘોષણા,સવિનય કાનૂન ભંગની લડત; દેશભરમાં શરૂ, નેતા મહાત્મા ગાંધી.
- શૈક્ષણિકક્ષેત્રે પ્રવર્તતા અસંતોષને દૂર કરવા સરકાર દ્વારા 1929 માં સર ફિલિપ હાટોગના અધ્યક્ષપદે સહાયક સમિતિ ની નિમણુંક.
- 1930 માં લંડન ખાતે પ્રથમ ગોળમેજી પરિષદ ભરાઈ, સપ્રૂ અને જયકરના પ્રયાસોથી 1931 માં ‘ગાંધી-ઇર્વિન કરાર’ થયેલ,નહેરુ રીપોર્ટ (1928).
 
 
♦ લોર્ડ વિલિંગ્ડન (1931-1936) ♦
 
- તે પહેલા 1931 થી 1924 સુધી મુંબઈ અને મદ્રાસના ગવર્નર તરીકે કામગીરી બજાવેલ, 1926-30 સુધી કેનેડાના ગવર્નર જનરલ તરીકે રહેલા.
- 1932 ના ઓગસ્ટમાં રામ્સે મેકડોનાલ્ડે ‘કોમીચુકાદાની’ઘોષણા, તેના વિરોધમાં ગાંધીજીના આમરણાંત ઉપવાસ, છેવટે ‘પૂના કરાર’ દ્વારા કોમી ચુકાદામાં કચડાયેલા વર્ગને લગતી જોગવાઈમાં પરિવર્તન.
- 1932માં ‘ત્રીજી ગોળમેજી પરિષદ’, 1935માં હિંદ સરકારનો કાયદો.

Saturday 24 October 2015

♥ પૃથ્વી અને આકાશનું અજબગજબ ♥

* અવકાશમાંથી જોઈએ તો આઠે ગ્રહોમાં પૃથ્વી સૌથી વધુ તેજસ્વી દેખાય છે.

* પૃથ્વી પર દક્ષિણ ધ્રુવમાં ૩ થી ૪ કિલોમીટર જાડું બરફનું પડ છવાયેલું છે. ત્યાં હંમેશાં માઈનસ ૭૦ ડિગ્રી તાપમાન રહે છે.

* પર્શિયન અખાતના સમુદ્રનું પાણી સૌથી વધુ ગરમ છે. ઉનાળામાં તેનું પાણી ૩૫ ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ગરમ હોય છે.

* પૃથ્વી પર ૫૪૦ જ્વાળામુખીઓ જાણીતા છે. સમુદ્રના પેટાળમાં આવેલા જ્વાળામુખીઓ વિશે પૂરી માહિતી પણ મેળવી શકાઈ નથી.

* સૂર્યમાળાનો સૌથી મોટો જ્વાળામુખી મંગળ પરનો ઓલિમ્પસ મોન્સ ૨૭ કિલોમીટર ઊંચો છે અને ૬૦૦ કિલોમીટર વિસ્તાર રોકે છે.

* સૂર્યમાંથી નીકળતાં પ્રકાશ અને ઊર્જા પૃથ્વી પર આઠ મિનિટમાં પહોંચી જાય છે. પરંતુ સૂર્યના કેન્દ્રમાંથી નીકળતી ઊર્જાને સૂર્યની સપાટી સુધી આવતાં હજારો વર્ષ લાગે છે.

* ન્યૂટ્રોન સ્ટાર બ્રહ્માંડનો સૌથી વજનદાર પદાર્થ છે. તેના એક ચમચી જેટલા જથ્થાનું વજન લગભગ પૃથ્વી જેટલું થાય.

♥ પેન્સિલ ♥

લખવા માટે બોલપેનની શોધ પછી પેન્સિલનો ઉપયોગ ઘટી ગયો છે. પરંતુ ૧૮મી અને ૧૯મી સદીમાં પેન્સિલ મહત્વનું સાધન હતી આજે ભલે રોજીંદા જીવનમાં પેન્સિલનો ઉપયોગ ઓછો થયો છે પરંતુ તેનું વેચાણ ઘટયું નથી.

-પેન્સિલ શબ્દ લેટિન ભાષાના પેનિસિલસ શબ્દ ઉપરથી બન્યો છે તેનો અર્થ થાય છે, 'ટૂંકી પૂંછડી'

-માટીની ભૂંગળીમાં ગ્રેફાઇટની સળી નાખીને વિશ્વની પ્રથમ પેન્સિલ ઇ.સ. ૧૭૯૫માં નિકોલસ જેક્વીસે બનાવેલી.

-પેન્સિલ છોલવાનું શાર્પનર ઇ.સ. ૧૮૨૮માં બર્નાર્ડ લેસીમોરે શોધેલું.

-૧૯મી સદીમાં પેન્સિલ, પેન્સિલ છોલવાનું શાર્પનર અને ભૂંસવા માટેનું રબ્બર ઓફિસ અને શાળાઓના અનિવાર્ય સાધનો હતા.

-પેન્સિલમાં રહેલ ગ્રેફાઇટના રજકણો કાગળના ફાઇલર પર ચોંટી જાય એટલે તે લખવા માટે ઉપયોગી થઈ છે.

-પેન્સિલ વડે ઝીરો ગ્રેવિટીમાં પણ લખી શકાય છે એટલે અવકાશયાત્રામાં અવકાશયાત્રીઓને પેન્સિલ રાખવી ફરજિયાત છે.

-ચીન સૌથી વધુ પેન્સિલ ઉત્પાદન કરે છે.

♥ વિશ્વવિક્રમોઃ કોણ, કેવી રીતે અને શું કામ કરે છે? ♥

♥ તડકભડક : સૌરભ શાહ ♥
♥ સાભાર : સંદેશ સમાચાર ♥

મારી પાસે 'ગિનેઝ વર્લ્ડ રેકોર્ડસઃ૨૦૧૬'ની તાજી પબ્લિશ થયેલી હાર્ડ બાઉન્ડ એડિશન આવી છે. એનાં રંગબેરંગી પાનાં ફેરવતાં એક વિચાર સતત મનમાં રમ્યા કરે છે કે વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિક્રમો સર્જનારા આ હજારો લોકો દુનિયાનાં બાકીના અબજો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. તમે પોતે એ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા હો કે નહીં, કોઈ ફરક પડતો નથી. તમને એ વિષયની ઝાઝી જાણકારી હોય કે ન હોય, આ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ માટેના તમારા અહોભાવમાં તસુભાર ફરક પડવાનો નથી.

★ તમને ખબર છે? આ દુનિયામાં બે માણસો એવા છે જેઓ એક નહીં, બે નહીં, કુલ ૨૧ વખત એવરેસ્ટની ટોચ પર જઈને સહીસલામત પાછા આવ્યા છે. એમાંનો એક છે અપા શેરના જે ૧૯૯૦માં કે ૨૮ વર્ષની ઉંમરે પહેલ વહેલી વાર એવરેસ્ટની ટોચે પહોંચ્યો. ૨૦૧૧માં એણે આ કામ છોડી દીધું ત્યાં સુધી એ દર વર્ષે એવરેસ્ટની ટોચ પર જતો. ૪૪ વર્ષનો કુરબાતાશી શેરના પણ ૨૧ વખત એવરેસ્ટની ટોચે જઈ આવ્યો છે. આપણને થાય કે એક વખત પણ એવરેસ્ટ આરોહણ કરવું કેટલી મોટી સિધ્ધી ગણાય, અને આ લોકો તો એકવીસ-એકવીસ વખત ચડઉતર કરી આવ્યા. આપણે તો સાતમા માળના ફ્લેટ સુધી પણ એકવીસ વખત દાદરા ચડીને ગયા નથી!

★ એંશી વર્ષની ઉંમર એટલે દુનિયાને જે શ્રીકૃષ્ણ કહી દેવાની ઉંમર એવું આપણામાંના મોટાભાગના ઓ માનતા હશે. જપાનના યુઈકિરો મિઉરા નામના દાદા ૨૩ મે ૨૦૧૩ના રોજ એવરેસ્ટની ટોચે પહોંચ્યા, ત્યારે એમની ઉંમર ૮૦ વર્ષ ૨૨૩ દિવસની હતી. જો કે, નીચે ઉતરતી વખતે એમને કેમ્પ-ટુ પરથી હેલિકોપ્ટરમાં કાઠમંડુ પાછા લાવવા પડતા હતા. કાંચનઝંઘા દુનિયાનો થર્ડ હાઈએસ્ટ માઉન્ટન છે. સ્પેનના ૬૦ વર્ષ ૨૧૦ દિવસના દાદા ઓસ્કાર કાડિયાપાક ઓક્સિજનનો બાટલો લીધા વિના ૨૦૧૩માં આ પહાડ પર ચડી ગયા હતા. કાંચનઝંઘાની હાઈટ એવરેસ્ટ કરતાં લગભગ હજારેક ફીટ જ ઓછી છે.

★ ફોર્મ્યુલા-વન રેસિંગમાં ભાગ લેતા ડ્રાયવરોની કારનું તાપમાન પચાસ ડિગ્રી જેટલું થઈ જતું હોય છે, અને એમના હદયના ધબકારા ડબલ થઈને મિનિટ દીઠ બસો થઈ જતા હોય છે, અને રેસ દરમ્યાન એમના શરીરમાંથી ૩ લિટર જેટલુ પ્રવાહી ઓછુ થઈ જતું હોય છે, અને એમની રેસિંગ કારના એન્જિનની આવરદા માત્ર બે કલાક જેટલી જ હોય છે. જર્મનીનો લેજન્ડરી 'ડ્રાયવર' માઈકલ શુમાકર ૧૯૯૨ અને ૨૦૦૬ દરમ્યાન ફોર્મ્યુલા વનની ૯૧ ગ્રાંપી જીતી ચૂક્યો છે અત્યારે ૪૬ વર્ષની ઉંમર ધરાવતા શુમાકરને બે વર્ષ પહેલાં સ્કીઈંગ કરતી વખતે એક્સિડન્ટ થયો. બ્રેઈન ઈજનેરી થઈ છ મહિના કોમામાં રહ્યો, અત્યારે પેરેલિટિક છે, વ્હીલ ચેર વિના હલનચલન કરી શક્તો નથી.

★ ભારતમાં મેરેથોનની સિઝન આવી રહી છે અને અનિલ અંબાણી સહિતના લોકો રોજ દોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ૨૦૧૪માં કેન્યાના ડેનિસ કિમેટોએ બર્લિન મેરેથોનમાં અગાઉના તમામ વર્લ્ડ રેકોર્ડસ તોડયા. ૪૨ પોઈન્ટ ૧૯૫ કિલોમીટરનું અંતર એણે દોડીને બે કલાક બે મિનિટ ૫૭ સેકન્ડસમાં પૂરું કર્યું.

★ બ્રિટનના ૭૧ વર્ષીય સર રેન્લ્ફ ફેઈન્ઝ દોડવાની અને સાહસો કરવાની દુનિયામાં ઘણા જાણીતા છે. એક જમાનામાં બ્રિટિશ આર્મીના ઓફિસર રહી ચૂકેલા સર રેન્લફ ૬૫ વર્ષની ઉંમરે એવરેસ્ટની ટોચે જઈ આવ્યા છે, એ પહેલાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને પર જઈ આવનારા વિશ્વના સૌ પ્રથમ માનવીનું બિરુદ મેળવી ચૂક્યા છે, પગે ચાલીને એન્ટાર્કટિકા ક્રોસ કરનારા પહેલા માણસ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે. હદ તો ત્યારે થઈ ગઈ, કે ૨૦૦૩માં એક હાર્ટ એટેક આવ્યા પછી ડબલ બાયપાસ કરાવ્યાના ચાર જ મહિના પછી એમણે માત્ર સાત દિવસમાં દુનિયામાં સાત ખંડમાં યોજાતી સાત અલગ અલગ મેરેથોન રેસ પૂરી કરીઃ ૨૬ ઓક્ટોબરે સાઉથ અમેરિકા,૨૭ ઓક્ટોબરે ફોકલેન્ડ આઈલેન્ડ, ૨૮ ઓક્ટોબરે સિડની, ૨૯ ઓક્ટોબરે સિંગાપોર, ૩૦ ઓક્ટોબરે લંડન, ૩૧ ઓક્ટોબરે કાયરો અને ૧ નવેમ્બરે ન્યુયોર્ક. અને બીજી એક વાત. ૯ વર્ષ પહેલાં ૨૦૦૬માં બાસઠ વર્ષની ઉંમરે તેઓ એલિઝાબેથ નામની દીકરીના સગા બાપ બન્યા. સર રેન્લ્ફ ફેઈન્ઝે દોઢ ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે.

★ ક્રિકેટમાં તો સચિન તેન્ડુલકરનો ટેસ્ટ મેચમાં સૌથી વધારે રન બનાવવાનો વિશ્વવિક્રમ છે જ-૧૫, ૯૨૧.

★ હોટએર બલૂનમાં એટલાન્ટિક સમુદ્ર પાર કરવાનો વિશ્વવિક્રમ ર્વિજન એરલાઈન્સ ના માલિક સર રિચર્ડ બ્રેન્સન નો છે.

★ ૧૦૦ મીટરની દોડમાં યુસૈન બોલ્ટના રેકોર્ડને કોઈ આંબી શક્તું નથી. નવ પોઈન્ટ ૫૮ સેક્ન્ડ્સ.

★ રેડિયો પર લેવાયેલો સૌથી લાંબો ઈન્ટરવ્યુ? ઓસ્ટ્રેલિયામાં 'એબીસી સિડની' માટે રિચર્ડ ગ્લોવરે સ્પોર્ટ્સ સ્ટાર પીટર ફિટ્ઝસિમોન્સનો ઈન્ટરવ્યુ લીધો- પૂરા ૨૪ કલાક.

★ રેડિયો પર સ્પોર્ટસની કોમેન્ટરી આપનારાઓમાં અમેરિકાના બોબ વોલ્ફનો વર્લ્ડ રેકોર્ડ છે. ૧૯૩૯થી પ્રોફેશનલ બ્રોડકાસ્ટ તરીકે કેરિયર શરૂ કરનાર બોબ વોલ્ફે ૨૦૧૪માં રેડિયો કારકિર્દીના ૭૫ વર્ષ પૂરાં કર્યા.

★ ભારતીય ફિલ્મોમાં ગિનેઝ બુક ઓફ રેકોર્ડ્સે આમિર ખાનવાળી 'પીકે' ની નોંધ લીધી છે, અત્યાર સુધીની કમર્શ્યલી સૌથી સફળ ઈન્ડિયન ફિલ્મ તરીકે રિલીઝ થયાના એક જ મહિનામાં રૂપિયા ૩૩૪ કરોડનો ધંધો કર્યો.

★ હોલિવુડમાં સૌથી વધુ કમાણી કરાવી આપનારા ટોપ ટેન સ્ટાર્સમાં પહેલું નામ સ્ટીવન સ્ટીલબર્ગનું છે પછી બ્રેડ પિટ (નંબર ટુ), જ્હોની ડેપ (નંબર થ્રી), ટોમ ક્રુઝ (નં. સિક્સ), ટોમ હેન્ક્સ (નંબર સેવન), લિયોનાર્દો દ'કેપ્રિયો (નંબર નાઈન) અને મોર્ગન ફ્રીમન(નંબર ટેન)ના વારા આવે.

★ પોતાના માટે સૌથી વધુ કમાણી કરનાર હોલિવુડ એકટ્રેસ સેન્ડ્રા બુલોક છે,જેણે જૂન ૨૦૧૫માં પૂરા થતાં એક જ વર્ષમાં ૫૧ મિલિયન ડોલર્સની કમાણી કરી. સેન્ડ્રા બુલોકની અત્યાર સુધીની ગ્રેટેસ્ટ હિટ ૨૦૧૩માં રિલીઝ થયેલી 'ગ્રેવિટી' હતી. જેણે વર્લ્ડવાઈડ ૭૧૬ મિલિયન ડોલર્સનો ધંધો કર્યો હતો.

★ નાટકની દુનિયામાં અગાથા ક્રિસ્ટીનું 'માઉસ ટ્રેપ' સૌથી લાંબુ ચાલેલું નાટક છે, અને હજુય ચાલે છે, એની લગભગ સૌ કોઈને જાણ છે, પણ આ વાતની ખબર બધાને નહીં હોય, કે ડિઝનીની 'લાયન કિંગ' નામની એનિમેશન ફિલ્મ ૧૯૯૪માં રિલીઝ થઈ એ પછી ૧૯૯૭માં એ જ નામનું નાટક અમેરિકામાં બનેલું. ફિલ્મ પરથી નાટક બનાવવામાં આવ્યું એ પહેલાં ફિલ્મ જબરજસ્ત સક્સેસફુલ થઈ પણ ફિલ્મ કરતાં વધુ કમાણી નાટકે કરી છે, લગભગ પાંચગણી - સાડા પાંચ બિલિયન ડોલર્સ! વધારે મગજ ચલાવવું હોય તો જાણી લો ૧ બિલિયન એટલે ૧,૦૦૦ મિલિયન અને ૧ મિલિયન એટલે આપણા ૧૦ લાખ અને આ લખાય છે એ દિવસે ડોલરનો ભાવ છે ૬૪ રૂપિયા ૭૯ પૈસા. ગણ્યા કરો તમ તમારે.

★ ન્યૂયોર્કની રંગભૂમિ 'બ્રોડવે' તરીકે ઓળખાય છે અને લંડનની 'વેસ્ટ એન્ડ' તરીકે. બ્રોડવે પર સૌથી લાંબુ ચાલી રહેલું મ્યુઝિકલ (ગીત સંગીત ભર્યું નાટક) છે. 'ધ ફેન્ટમ ઓફ ધ ઓપેરા' એ ૨૦૧૨માં ૧૦,૦૦૦ શોઝ પૂરા કર્યા અને છેલ્લામાં છેલ્લી જાણકારી મુજબ, એના ૧૧,૨૬૩ પ્લસ શોઝ થયા છે.

★ વેસ્ટ એન્ડ પર છેલ્લાં ત્રીસ વર્ષથી વિક્ટર હ્યુગોની મહાન નવલકથા 'લ મિઝરેબલ' (જેનો સુંદર ગુજરાતી અનુવાદ 'દુખિયારા'ના નામે ઉપલબ્ધ છે) પરથી બનેલું મ્યુઝિકલ ચાલી રહ્યું છે, હજુય ચાલે છે.

★ વિશ્વવિક્રમોની દુનિયા ફેસિનેટિંગ હોય છે. જો કે, આ દુનિયામાં અનેક ગાંડાઘેલા જેવા રેકોર્ડ્સ પણ હોવાના. જર્મનીના આન્દ્રે ઓર્ટોલ્ફે કેવો વિશ્વવિક્રમ કર્યો છે, ખબર છે? ટેબલ પર મૂકેલા એક વટાણાને એક જ ફૂંકે ૨૪ ફીટ ૭ પોઈન્ટ ૬ ઈંચ દૂર ધકેલી દેવાનો વર્લ્ડ રેકોર્ડ એના નામે છે.... તાળીઓ.... અને જેમનું ગજું ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ થવાનું ન હોય એમણે શું કરવું? અરે ભાઈ, ઘરદીવડાઓ માટે 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ' તો છે જ ને!

♦ આપણે નિષ્ફળતાઓમાંથી શીખતા હોઈએ છીએ, સફળતાઓમાંથી નહીં. ♦
- બ્રેમ સ્ટોકર

('ડ્રેક્યુલા'ના રાઈટર)