આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 24 January 2017

♥ એનેરોઈડ બેરોમીટર ♥



👉🏻 પૃથ્વીની આસપાસનું વાતાવરણ દબાણ કરે છે. દરિયાની સપાટી પર આ દબાણ પ્રત્યેક ચોરસ ઈંચે લગભગ ૬.૫ કિલોગ્રામ હોય છે.

👉🏻 જેમ ઉંચાઈ વધે તેમ દબાણ નીચું જાય છે. માઉન્ટ એવરેસ્ટની ટોચે આ દબાણ ત્રીજા ભાગનું થઈ જાય છે. આ દબાણ પૃથ્વીના હવામાન પર અસર કરે છે. આ દબાણ ફેરફારો થયા કરે છે તેમાં સૂર્યની મહત્વની ભૂમિકા છે.

👉🏻 વાતાવરણના દબાણની અસર આપણા શરીર પર થતી નથી. આપણા શરીરની અંદરની હવા તેને સમતોલ કરે છે.

👉🏻 ઈટાલીની વિજ્ઞાની ઈવાન્જેલિસ્ટા ટોરિસેલીએ પ્રથમવાર વાતાવરણનું દબાણની શોધ કરી. તેણે ચાંદીની ખાણોમાં ભરાયેલું પાણી ઉલેચવા હવાના દબાણથી કામ કરતો પંપ બનાવેલો.

👉🏻 તેણે હવાનું દબાણ માપવા પારા ભરેલી નળીનું બેરોમીટર બનાવ્યું.

👉🏻 ૧૭મી સદીમાં ગોરફ્રેડ લબનીજે પારા વિનાનું એનેરોઈડ બેરોમીટર બનાવ્યું. આ બેરોમીટર જટિલ છે. તે ઘડિયાળના ચંદા જેવું હોય છે. તેમાં કોપર અને બેરિસિયમ ધાતુની ૦.૦૫ મી.મી. જેટલી પાતળી પાંચ તકતીઓ એક ઉપર એક મૂકીને બીજા આવરણ વચ્ચે મઢી લેવાય છે.

👉🏻 હવાના દબાણમાં થતા સુક્ષ્મ ફેરફારોની અસર આ પ્લેટ ઉપર થતી હોય છે. અને તે જાડુ પાતળું થાય છે. પડ સાથે જોડાયેલો કાંટો ચંદા ઉપર ફરીને હવાનું દબાણ દર્શાવે છે. હવાનું દબાણ માપવાના ઈલેક્ટ્રોનિક સાધનો પણ વિકસ્યા છે.

👉🏻 આજે ઘડિયાળ અને મોબાઈલ ફોનમાં પણ હવાનું દબાણ દર્શાવે તેવી એપ્સ વિકસી છે. તેમ છતાં વેધશાળા અને પ્રયોગશાળાઓમાં એનેરોઈડ બેરોમીટરનો વધુ ઉપયોગ થાય છે.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.