આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Tuesday 28 February 2017

♥ જીવ જગતમાં સૌથી ઝડપી ♥



👉🏻 દરેક પશુ-પક્ષીમાં કંઇક ખાસ એવી વસ્તુ હોય છે જે તેમને ખાસ બનાવી દે છે,  દરેક ખાસ આદત વિશે આપણને ભાગ્યે જ ખબર હોય છે, આપણાં મનપસંદ પશુ કે પક્ષીની ખાસિયત આપણે જાણતા હોઇએ છીએ, પણ વાત જ્યારે બીજા પશુ-પક્ષીઓની આવે ત્યારે એવું બને કે તેમની ખાસિયત આપણે નથી જાણતા. મનુષ્યોમા દર વર વર્ષે ઓલીમ્પિક્સ રમતોમાં દોડવાના નવા નવા રેકોર્ડ સ્થાપિત થતા હોય છે, પરંતુ પ્રાણીઓને પણ ઓલીમ્પીકમાં દોડવા મળે તો? ચાલો તપાસીએ કયા પ્રાણીની કેટલી ઝડપ છે, પંખીઓની ઉડવાની કેટલી ઝડપ છે

🌸 કોસ્મોપોલીટન સેલ નામની માછલી એક કલાકના ૧૦૫ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જે ખરેખર ઘણી જ ઝડપ કહી શકાય.

🌸 જમીન ઉપર વસતાં પ્રાણીઓમાં સૌથી ઝડપી પ્રાણી અમેરિકન પ્રોંગહોર્ન નામનું હરણ છે. તે બીજા બધા જ જમીન ઉપર વસતાં પ્રાણી કરતાં વધારે તેજ ગતિથી દોડી શકે છે. આ હરણ ૫૫ કિલોમીટરની ઝડપે ખૂબ લાંબા સમય સુધી મતલબ કે સતત ચાર કલાક સુધી  દોડી શકે છે.

🌸 સૌથી ઝડપી ઉડનાર જંતુઓમાં સૌથી પહેલું નામ ડ્રેગન ફ્લાયનું આવે છે. આ જંતુ કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 જમીન ઉપર વસતાં પ્રાણીમાં સૌથી ઝડપી શિકાર કરતું પ્રાણી ચિત્તો છે. તે એક કલાકમાં ૧૧૨ કિલોમીટરની ઝડપે પોતાના શિકાર પાછળ દોડે છે, અને શિકારને થોડી જ મિનિટોમાં પોતાના પંજામાં દબોચી નાખે છે.

🌸 સૌથી ઝડપી શિકારી પક્ષીઓમાં પેરેગ્રીન બાજ મોખરે છે. આ બાજ કલાકના ૩૨૦ કિલોમીટરની ઝડપે જમીન ઉપર ઉતરાણ કરે છે.

🌸 સૌથી ઝડપી જમીન ઉપર દોડનાર જંતુ વંદો છે, તે કલાકના ૪ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 જમીન ઉપર સૌથી ઝડપી દોડનારું પક્ષી શાહમૃગ છે. તે દર કલાકે ૭૦ કિલોમીટરની ઝડપે દોડે છે.

🌸 સૌથી ઝડપી પક્ષી તરીકે કબૂતરનો પહેલો નંબર આવે છે, કારણ કે કબૂતર કલાકના ૧૬૦ કિલોમીટરની ઝડપે ઊડી શકે છે.

🌸 સૌથી ઝડપી પાણીમાં તરી શકતા પ્રાણીમાં  કેલિફોર્નિયા સી લાયનનો પહેલો નંબર આવે છે. કારણ કે તે ૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હવામાં ઊડે છે.

🌸 સૌથી ઝડપી વ્હેલ કિલર ઓટકા વ્હેલ છે, તે કલાકના ૯૦ કિલોમીટરની ઝડપે તરી શકે છે.

🌸 કૂતરાની જાતમાં સૌથી ઝડપી કૂતરા તરીકે ગ્રેહાઉન્ડનો સમાવેશ થાય છે. આ કૂતરા કલાકના ૭૨ કિલોમીટરની ઝડપે દોડી શકે છે.

🌸 સૌથી ઝડપી દરિયામાં તરતા પક્ષીમાં ગેન્ટુ પેગ્વિનનું નામ મોખરે આવે છે. તે કલાકના ૩૫ કિલોમીટરની ઝડપે તરી શકે છે.

♥ અલ્બાટ્રોસ ♥



💓 અલ્બાટ્રોસ એક દરિયાઈ પક્ષી છે. તે ઉત્તર પેસેફિક અને દક્ષિણ મહાસાગર આસપાસ જોવા મળે છે. વિશાળ પાંખ ધરાવતા પક્ષીઓની પ્રજાતિઓમાંની એક એટલે અલ્બાટ્રોસ. આ પક્ષીને નરી આંખે જોવું તે આપણા માટે એક અદ્ભુત નજારો હોઈ શકે છે.

💓 આ પક્ષીની પાંખોની લંબાઈ લગભગ ૩.૪ મીટર એટલે કે ૧૧ ફૂટ જેટલી હોય છે. આટલી લંબાઈની પાંખો તો બીજા કોઈ પક્ષીની નથી હોતી.

💓 અલ્બાટ્રોસ એક ભ્રમણ કરતું પક્ષી છે. તેના જેવી બીજી લગભગ બે ડઝન વિવિધ પ્રજાતિઓમાં અલ્બાટ્રોસ સૌથી મોટી પ્રજાતિ છે. દરિયાઈ પવનમાં લહેરાવું આ પક્ષીને ખૂબ પ્રિય છે. તેમની વિશાળ પાંખોને ફેલાવીને તેઓ કલાકો સુધી વિશ્રામ લીધા વગર દરિયા પર ઊડી શકે છે. તે સમુદ્રની સપાટી પર તરી પણ શકે છે. આ પક્ષી જ્યારે સમુદ્રની સપાટી પર તરતું હોય ત્યારે બીજા જળચર તેનો શિકાર કરે તેવી શક્યતાઓ વધી જાય છે.

💓 બીજા અમુક દરિયાઈ પક્ષીની જેમ અલ્બાટ્રોસ પણ ખારું પાણી પીવે છે.

💓 આ પક્ષી દીર્ઘ આયુષ્ય ભોગવનારું હોય છે. દસ્તાવેજી પુરાવા મુજબ અલ્બાટ્રોસની મહત્તમ ઉંમર હાલમાં ૫૦ વર્ષ સુધી નોંધાયેલી છે. તેઓ ભાગ્યે જ જમીન પર જોવા મળે છે.

💓 તેઓ સંવનન માટે જ ટોળામાં એકત્ર થાય છે અને તે સમયગાળામાં આ પક્ષીઓ દૂરના કોઈ શાંત ટાપુ પર મોટી વસાહતો રચે છે. દરેક જોડી એક ઈંડું આપે છે અને બંને વારાફરતી તેને સેવે છે. બેબી અલ્બાટ્રોસ જન્મ પછીના લગભગ ૩ થી ૧૦ મહિનાની અંદર ઊડતા શીખી જાય છે.

💓 એક વાર બેબી અલ્બાટ્રોસ ઊડતા શીખી જાય પછી તે પોતાની જન્મભૂમિને છોડીને નીકળી પડે છે. ત્યારબાદ લગભગ ૫ થી ૧૦ વર્ષના સમયગાળામાં તે પરિપક્વ થઈ જાય છે અને તે સંવનન માટે પોતાના સાથીની ખોજ શરૂ કરે છે.

💓 અલ્બાટ્રોસનો ખોરાક દરિયાઈ સ્ક્વિડ અને સ્કુલિંગ ફીશ હોય છે.

- સાભાર ''બાલ સંદેશ''

Monday 27 February 2017

♥ વિશ્વનો સૌથી લાંબો અંકોડી ગૂંથણવાળો ધાબળો ♥









🌹 ધ લાર્જેસ્ટ ક્રોશે બ્લેન્કેટ ઈન ધ વર્લ્ડ’ કે ‘વિશ્વનો સૌથી લાંબો અંકોડી ગૂંથણવાળો ધાબળો’ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ લાંબો બ્લેન્કેટ બનાવનાર ભારતીય સ્ત્રીઓનું જૂથ છે, જેનું નામ છે ‘મધર ઈન્ડિયાઝ ક્રોશે ક્વીન્સ’.

🌹 આખી ફૂટબોલ પિચને આવરી લેતા આ બ્લેન્કેટનું માપ ૧૧,૧૪૮.૫ મીટર સ્ક્વેર જેટલું થયું હતું.

🌹 આ અદ્ભુત પ્રોજેક્ટનો આઈડિયા એક ૪૪ વર્ષની એક મહિલાને આવ્યો હતો. અંકોડી ગૂંથણની કળા પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતા આ મહિલાનું નામ છે સુબાશ્રી નટરાજન.

🌹 તેમણે નાની ઉંમરથી જ અંકોડી ગૂંથણ શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હું નાની હતી ત્યારે યાર્ન સાથે રમતા-રમતા મેં સુંદર ગૂંથણ કરવાના સપનાં જોયા હતા. હું ખૂબ જ મહત્ત્વાકાંક્ષી બાળક હતી. મને જીવનમાં સદા શ્રેષ્ઠ વસ્તુઓ જ મેળવવી હતી. દુનિયામાં કશુંક મહાન કાર્ય કરવાનું મારું આ સપનું પણ મારી સાથે મોટું થતું ગયું. હું હંમેશા કોઈ તકની રાહ જોતી રહી…પણ પછી મેં નક્કી કર્યું કે રાહ જોવાને બદલે મારે ખુદ જ એ તક સર્જવી પડશે. અને ત્યારે મેં અંકોડી ગૂંથણ સંબંધિત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટ્સ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું.

🌹 પહેલા સુબાશ્રીએ વિચાર્યું કે તે એકલી જ આ પ્રોજેક્ટ પર કામ કરશે, પરંતુ બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે તેમને મદદની જરૂર પડશે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વની ભારતીય મહિલાઓને પોતાના અંકોડી ગૂંથણના પ્રોજેક્ટમાં જોડાવા આમંત્રિત કરી. ૧૩ ભિન્ન દેશમાંથી, ૮ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીની સહભાગી સુબાશ્રી સાથે જોડાઈ.

🌹 આ બધી મહિલાઓના ફાળાથી ૪૦*૪૦ના માપના હજારોની સંખ્યામાં ધાબળા બનાવીને તેને એક બીજા સાથે સીવીને એક વિશાળ ધાબળો બનાવવામાં આવ્યો. આ રેકોર્ડને ગિનિસનું સમર્થન મળ્યા બાદ ક્રોશે બ્લેન્કેટના એ નાના ભાગ અલગ કરીને તેનું જરૂરિયાતમંદોને દાન કરવામાં આવ્યું હતું.

♥ રોક ગાર્ડન ( નેકચંદ ગાર્ડન ) - ચંદીગઢ ♥

💓 ભારતમાં ચંદીગઢમાં તદ્દન હટકે ગાર્ડન આવેલું છે, સામાન્ય રીતે ગાર્ડનમાં આપણે જઇએ એટલે ફૂલ, છોડ, વૃક્ષો, વેલીઓ, ચારે તરફ હરિયાળી અને બાળકો માટે રમવા થોડા એલિમેંટસ રાખવામાં આવ્યા હોય છે, પરંતુ ચંદીગઢનો આ ગાર્ડન તદ્દન અલગ છે, છતાં લોકોને આ ગાર્ડન ખાસ આકર્ષે છે. અહીં ફૂલ છોડ કે હરિયાળી નથી. આ ગાર્ડન સિરામિકસનું બનેલું છે. જી હા, ચંદીગઢમાં આવેલું રોક ગાર્ડન સિરામિકસનું બનેલું ગાર્ડન છે. આ ગાર્ડનમાં હરીયાળીની જગ્યાએ સિરામિકસથી બનાવેલા સ્ટેચ્યુ રાખવામાં આવ્યા છે. તો ચાલો જાણી લઇએ ચંદીગઢમાં આવેલાં આ અનોખા રોક ગાર્ડન વિશે.





💓 રોક ગાર્ડનને નેકચંદના ગાર્ડન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ ગાર્ડનની સ્થાપના નેકચંદ નામના સરકારી કર્મચારીએ કરી છે. મિત્રો તમે ઘણીવાર તમારા ઘરની કોઇ વેસ્ટ આઇટમમાંથી બેસ્ટ આઇટમ બનાવી હશે. રોક ગાર્ડન પણ વેસ્ટમાંથી બેસ્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જી હા મિત્રો આપણે ઘરમાં વપરાતા કપ-રકાબી કે કોઇપણ સિરામિકસની વસ્તુ જ્યારે નકામી બની જાય ત્યારે ફેંકી દઇએ છીએ, બસ આ જ વેસ્ટ ફેંકાયેલી વસ્તુમાંથી ૪૦ એકરમાં ફેલાયેલો આખો આ ગાર્ડન બનાવ્યો છે.

💓 વર્ષો પહેલાં ૧૯૫૭માં નેકચંદે સિરામિકસ ફેક્ટરીઓ અને ઘરની ફેંકાયેલી વેસ્ટ સિરામિકસની વસ્તુઓમાંથી ગુપ્તરીતે માનવ સ્કલ્પચર બનાવવાનું શરૂ કર્યું હતું.





💓 ૧૯૫૭માં નેકચંદે પશુઓ, પક્ષીઓ અને માનવીઓના સ્કલ્પચર વેસ્ટ સિરામિકસ માલમાંથી બનાવ્યા હતાં. મજાની વાત એ છે બાળમિત્રો કે આવી અદ્ભુત કલાકૃતિને નેકચંદ કોઇને જાણ ન થાય તેમ ગુપ્તરીતે બનાવતા હતા.

💓 ૧૯૫૭માં બનેલી આ કલાકૃતિ સરકારની નજરમાં ૧૯૭૫માં આવી હતી.

💓 સરકારે તે સમયે જોયું કે ૪૦ એકરમાં ફેલાયેલી જમીનમાં થોડા થોડા અંતરે સિરામિકસની વેસ્ટ આઇટમ્સ માંથી સિતાર વગાડતી નારીનું સ્કલ્પચર, તબલાં વગાડતા પુરુષનું સ્કલ્પચર, પશુ અને પક્ષીઓ એટલી સુંદર રીતે બનાવવામાં આવ્યાં હતાં કે જોતા વેત લોકોને ગમી જાય.





💓 સરકારે નેકચંદની આ કલાકૃતિઓને તે જગ્યાએ રહેવા દઇને એક ગાર્ડન બનાવ્યું અને ૧૯૭૬માં આ ગાર્ડન ચંદીગઢમાં લોકો માટે ખુલ્લું મૂકાયું. હાલમાં પણ આ ગાર્ડનની દેખરેખ રોક ગાર્ડન સમિતિ કરે છે.

💓 ગાર્ડનને જોવાનો સમય ૧૦થી ૬નો રાખવામાં આવ્યો છે. હજી પણ રોક ગાર્ડનમાં નવા સ્કલ્પચર બનાવવામાં આવે તે વેસ્ટ આઇટમ્સમાંથી જ બનાવવામાં આવે છે.





💓 આ ગાર્ડનમાં માનવસર્જિત તળાવ પણ બનાવવામાં આવ્યા છે. ચંદીગઢમાં આવેલું આ રોક ગાર્ડન ટૂરિસ્ટ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

🌹 TO SEE THE VIDEO OF ROCK GARDEN ↓ ↓

CLICK HERE

♥ વિશ્વનું સૌથી ઊંચાઇ ધરાવતું વૃક્ષ રેડવૂડ ♥



🌴 નાળિયેરી કે તાડના વૃક્ષોની હાઇટ આપણને ખૂબ લાગતી હોય છે, સામાન્ય રીતે આ વૃક્ષો ખૂબ ઊંચા હોય છે, પરંતુ ઉત્તર અમેરિકાના પેસેફિક સમુદ્ર કિનારાના કેલિફોર્નિયામાં થતાં રેડવૂડના વૃક્ષો વિશ્વના સૌથી ઊંચાઇ ધરાવતા વૃક્ષો છે.

🌴 રેડવૂડ ઊંચા તો છે જ સાથે સાથે તેમના નામે બીજો પણ એક રેકોર્ડ છે. તે બધા વૃક્ષોમાં સૌથી વધારે ૧૮૦૦ થી ૨૦૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. આ વૃક્ષોની બીજી વાતો પણ જાણવા જેવી છે.

🌴 રેડવૂડના વૃક્ષો સામાન્ય રીતે ૨૦૦ ફૂટ ઊંચા હોય છે, હાલમાં કેલિફોર્નિયાના નેશનલ પાર્કમાં સૌથી ઊંચું રેડવૂડ ૩૭૯ ફૂટનું ઊંચું છે. આ પાર્કમાં ૩૬૫ ફૂટથી વધુ ઊંચા ૪૧ રેડવૂડ પણ છે.

🌴 રેડવૂડના થડનો ઘેરાવો ૧૮ થી ૨૦ ફૂટ હોય છે. રેડવૂડના થડમાં નીચેના ભાગે બાકોરું પાડીને તેમાંથી કાર પસાર થઈ શકે તેવો રસ્તો પણ બને છે.

🌴 વિશ્વનું સૌથી વૃદ્ધ રેડવૂડ ૨૨૦૦ વર્ષનું આયુષ્ય ધરાવે છે. પૃથ્વી પર ડાઈનાસોર હતાં ત્યારે પણ રેડવૂડના જંગલો હતા.

🌴 રેડવૂડનું વૃક્ષ એક વર્ષમાં ૬ ફૂટ વધે છે. બીજ વાવ્યા પછી ૫૦ વર્ષમાં ૧૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચી જાય છે.

🌴 રેડવૂડના જંગલ અન્ય વૃક્ષો કરતાં વાતાવરણમાંથી સૌથી વધુ કાર્બન ડાયોકસાઈડનું શોષણ કરી હવા શુદ્ધ કરે છે.

🌴 રેડવૂડનું લાકડું આગ, જીવજંતુઓ અને રોગો સામે સૌથી વધુ પ્રતિકારકશક્તિ ધરાવે છે. મકાનો બાંધવામાં તેનો ઉપયોગ થાય છે.

🌴 રેડવૂડ બારેમાસ લીલા રહે છે. તેના પાન ટૂંકા હોય છે. રેડવૂડ પર એક ઈંચ વ્યાસના લંબગોળ કવથવાળા ફળ બેસે છે.

🌴 રેડવૂડના વૃક્ષો નદીનાં પૂર સામે વધુ પ્રતિકાર કરી શકે છે. એટલે દરિયાકાંઠાનું ધોવાણ અટકાવે છે.

♥ CRICKET FACTS (1) ♥










Sunday 26 February 2017

♥ भारत मे खनीज - सामान्य ज्ञान प्रश्नोतरी ♥



♥ भारत का भूगोल ♥



♥ सौरमंडल - सामान्य ज्ञान प्रश्नोतरी ♥



♥ कौन सी धातु के बर्तन में भोजन करने से क्या क्या लाभ और हानि होती है ? ♥

                         सोना

सोना एक गर्म धातु है। सोने से बने पात्र में भोजन बनाने और करने से शरीर के आन्तरिक और बाहरी दोनों हिस्से कठोर, बलवान, ताकतवर और मजबूत बनते है और साथ साथ सोना आँखों की रौशनी बढ़ता है।

                         चाँदी

चाँदी एक ठंडी धातु है, जो शरीर को आंतरिक ठंडक पहुंचाती है। शरीर को शांत रखती है  इसके पात्र में भोजन बनाने और करने से दिमाग तेज होता है, आँखों स्वस्थ रहती है, आँखों की रौशनी बढती है और इसके अलावा पित्तदोष, कफ और वायुदोष को नियंत्रित रहता है।

                           कांसा

काँसे के बर्तन में खाना खाने से बुद्धि तेज होती है, रक्त में  शुद्धता आती है, रक्तपित शांत रहता है और भूख बढ़ाती है। लेकिन काँसे के बर्तन में खट्टी चीजे नहीं परोसनी चाहिए खट्टी चीजे इस धातु से क्रिया करके विषैली हो जाती है जो नुकसान देती है। कांसे के बर्तन में खाना बनाने से केवल ३ प्रतिशत ही पोषक तत्व नष्ट होते हैं।

                            तांबा

तांबे के बर्तन में रखा पानी पीने से व्यक्ति रोग मुक्त बनता है, रक्त शुद्ध होता है, स्मरण-शक्ति अच्छी होती है, लीवर संबंधी समस्या दूर होती है, तांबे का पानी शरीर के विषैले तत्वों को खत्म कर देता है इसलिए इस पात्र में रखा पानी स्वास्थ्य के लिए उत्तम होता है. तांबे के बर्तन में दूध नहीं पीना चाहिए इससे शरीर को नुकसान होता है।

                           पीतल

पीतल के बर्तन में भोजन पकाने और करने से कृमि रोग, कफ और वायुदोष की बीमारी नहीं होती। पीतल के बर्तन में खाना बनाने से केवल ७ प्रतिशत पोषक तत्व नष्ट होते हैं।

                           लोहा

लोहे के बर्तन में बने भोजन खाने से  शरीर  की  शक्ति बढती है, लोह्तत्व शरीर में जरूरी पोषक तत्वों को बढ़ता है। लोहा कई रोग को खत्म करता है, पांडू रोग मिटाता है, शरीर में सूजन और  पीलापन नहीं आने देता, कामला रोग को खत्म करता है, और पीलिया रोग को दूर रखता है. लेकिन लोहे के बर्तन में खाना नहीं खाना चाहिए क्योंकि इसमें खाना खाने से बुद्धि कम होती है और दिमाग का नाश होता है। लोहे के पात्र में दूध पीना अच्छा होता है।

                           स्टील

स्टील के बर्तन नुक्सान दायक नहीं होते क्योंकि ये ना ही गर्म से क्रिया करते है और ना ही अम्ल से. इसलिए नुक्सान नहीं होता है. इसमें खाना बनाने और खाने से शरीर को कोई फायदा नहीं पहुँचता तो नुक्सान भी  नहीं पहुँचता।

                        एलुमिनियम

एल्युमिनिय बोक्साईट का बना होता है। इसमें बने खाने से शरीर को सिर्फ नुक्सान होता है। यह आयरन और कैल्शियम को सोखता है इसलिए इससे बने पात्र का उपयोग नहीं करना चाहिए। इससे हड्डियां कमजोर होती है. मानसिक बीमारियाँ होती है, लीवर और नर्वस सिस्टम को क्षति पहुंचती है। उसके साथ साथ किडनी फेल होना, टी बी, अस्थमा, दमा, बात रोग, शुगर जैसी गंभीर बीमारियाँ होती है। एलुमिनियम के प्रेशर कूकर से खाना बनाने से 87 प्रतिशत पोषक तत्व खत्म हो जाते हैं।

                            मिट्टी

मिट्टी के बर्तनों में खाना पकाने से ऐसे पोषक तत्व मिलते हैं, जो हर बीमारी को शरीर से दूर रखते थे। इस बात को अब आधुनिक विज्ञान भी साबित कर चुका है कि मिट्टी के बर्तनों में खाना बनाने से शरीर के कई तरह के रोग ठीक होते हैं। आयुर्वेद के अनुसार, अगर भोजन को पौष्टिक और स्वादिष्ट बनाना है तो उसे धीरे-धीरे ही पकना चाहिए। भले ही मिट्टी के बर्तनों में खाना बनने में वक़्त थोड़ा ज्यादा लगता है, लेकिन इससे सेहत को पूरा लाभ मिलता है। दूध और दूध से बने उत्पादों के लिए सबसे उपयुक्त हैमिट्टी के बर्तन। मिट्टी के बर्तन में खाना बनाने से पूरे १०० प्रतिशत पोषक तत्व मिलते हैं। और यदि मिट्टी के बर्तन में खाना खाया जाए तो उसका अलग से स्वाद भी आता है।

पानी पीने के पात्र के विषय में 'भावप्रकाश ग्रंथ' में लिखा है....

*जलपात्रं तु ताम्रस्य तदभावे मृदो हितम्।*
*पवित्रं शीतलं पात्रं रचितं स्फटिकेन यत्।*
*काचेन रचितं तद्वत् वैङूर्यसम्भवम्।*
(भावप्रकाश, पूर्वखंडः4)

अर्थात् पानी पीने के लिए ताँबा, स्फटिक अथवा काँच-पात्र का उपयोग करना चाहिए। सम्भव हो तो वैङूर्यरत्नजड़ित पात्र का उपयोग करें। इनके अभाव में मिट्टी के जलपात्र पवित्र व शीतल होते हैं। टूटे-फूटे बर्तन से अथवा अंजलि से पानी नहीं पीना चाहिए।

Sunday 19 February 2017

♥ भारत के मंदिर ♥

♥ इन 6 लोगों के श्राप के कारण हुआ था रावण का सर्वनाश ♥

 हम सब जानते है की रावण बहुत ही पराक्रमी योद्धा था। उसने अपने जीवन में अनेक युद्ध किए। धर्म ग्रंथों के अनुसार उसने अपने जीवन में लड़े कई युद्ध तो अकेले ही जीत लिए थे। इतना पराक्रमी होने के बाद भी उसका सर्वनाश कैसे हो गया? रावण के अंत का कारण श्रीराम की शक्ति तो थी ही। साथ ही, उन लोगों का श्राप भी था, जिनका रावण ने कभी अहित किया था। धर्म ग्रंथों के अनुसार रावण को अपने जीवनकाल में मुख्यतः 6 लोगों से श्राप मिला था। यही श्राप उसके सर्वनाश का कारण बने और उसके वंश का समूल नाश हो गया। जानिए किन-किन लोगों ने रावण को क्या-क्या श्राप दिए थे-

(1) रघुवंश (भगवान राम के वंश में) में एक परम प्रतापी राजा हुए थे, जिनका नाम अनरण्य था। जब रावण विश्वविजय करने निकला तो राजा अनरण्य से उसका भयंकर युद्ध हुआ। उस युद्ध में राजा अनरण्य की मृत्यु हो गई, लेकिन मरने से पहले उन्होंने रावण को श्राप दिया कि मेरे ही वंश में उत्पन्न एक युवक तेरी मृत्यु का कारण बनेगा।

(2) एक बार रावण भगवान शंकर से मिलने कैलाश गया। वहां उसने नंदीजी को देखकर उनके स्वरूप की हंसी उड़ाई और उन्हें बंदर के समान मुख वाला कहा। तब नंदीजी ने रावण को श्राप दिया कि बंदरों के कारण ही तेरा सर्वनाश होगा।

(3) रावण ने अपनी पत्नी की बड़ी बहन माया के साथ भी छल किया था। माया के पति वैजयंतपुर के शंभर राजा थे। एक दिन रावण शंभर के यहां गया। वहां रावण ने माया को अपनी बातों में फंसा लिया। इस बात का पता लगते ही शंभर ने रावण को बंदी बना लिया। उसी समय शंभर पर राजा दशरथ ने आक्रमण कर दिया। उस युद्ध में शंभर की मृत्यु हो गई। जब माया सती होने लगी तो रावण ने उसे अपने साथ चलने को कहा। तब माया ने कहा कि तुमने वासनायुक्त मेरा सतित्व भंग करने का प्रयास किया इसलिए मेरे पति की मृत्यु हो गई। अत: तुम भी स्त्री की वासना के कारण मारे जाओगे।

(4) एक बार रावण अपने पुष्पक विमान से कहीं जा रहा था। तभी उसे एक सुंदर स्त्री दिखाई दी, जो भगवान विष्णु को पति रूप में पाने के लिए तपस्या कर रही थी। रावण ने उसके बाल पकड़े और अपने साथ चलने को कहा। उस तपस्विनी ने उसी क्षण अपनी देह त्याग दी और रावण को श्राप दिया कि एक स्त्री के कारण ही तेरी मृत्यु होगी।

(5) विश्व विजय करने के लिए जब रावण स्वर्ग लोक पहुंचा तो उसे वहां रंभा नाम की अप्सरा दिखाई दी। अपनी वासना पूरी करने के लिए रावण ने उसे पकड़ लिया। तब उस अप्सरा ने कहा कि आप मुझे इस तरह से स्पर्श न करें, मैं आपके बड़े भाई कुबेर के बेटे नलकुबेर के लिए आरक्षित हूं इसलिए मैं आपकी पुत्रवधू के समान हूं। लेकिन रावण नहीं माना और उसने रंभा से दुराचार किया। यह बात जब नलकुबेर को पता चली तो उसने रावण को श्राप दिया कि आज के बाद रावण बिना किसी स्त्री की इच्छा के उसको स्पर्श करेगा तो रावण का मस्तक सौ टुकड़ों में बंट जाएंगे।

(6) रावण की बहन शूर्पणखा के पति का नाम विद्युतजिव्ह था। वो कालकेय नाम के राजा का सेनापति था। रावण जब विश्वयुद्ध पर निकला तो कालकेय से उसका युद्ध हुआ। उस युद्ध में रावण ने विद्युतजिव्ह का वध कर दिया। तब शूर्पणखा ने मन ही मन रावण को श्राप दिया कि मेरे ही कारण तेरा सर्वनाश होगा।

♥ બાઇકનો ઇતિહાસ ♥



🌷 યુવાનોમાં લોકપ્રિય વાહન એટલે બાઈક. બાઈક સદીઓ પહેલાં પણ એટલું જ લોકપ્રિય અને રોમાંચક ગણાતું. તેનો ઇતિહાસ જાણવા જેવો છે.

🌷 ઇ.સ. ૧૮૬૮ માં સાયકલની શોધ થયા પછી લોકોએ તેમાં એન્જિન જોડીને ઝડપથી ચલાવાતા પ્રયાસો શરૂ કરેલા. તેમાં સૌ પ્રથમ ડબલ્યૂ ડબલ્યૂ ઓસ્ટિન નામના અન્જિનિયરે સાયકલના બંને વ્હિલ વચ્ચે પાણીની ટાંકી જોડી તેને ગરમ કરી તેને વરાળ વડે ચાલતું એન્જિન જોડીને પ્રથમ બાઈક બનાવી.

🌷 ઇ.સ. ૧૮૮૪ કોયલેન્ડ નામના એન્જિનિયરે ઓછા વજનવાળું અને નાના કદનું મશીન જોડીને બાઈક બનાવી. આ બાઈક લોકપ્રિય બનેલી તે જોઈને ઘણા એન્જિનિયરો નાના મોટા વ્હિલવાળી બાઈક બનાવવા લાગ્યા.

🌷 સૌથી ઉપયોગી બાઈક ૧૯૦૧માં ઓસ્કર હેડસ્ટોર્મે બનાયેલી તેણે પેટ્રોલથી ચાલતા કાર્બ્યુરેટરવાળા એન્જિન સાથેનું બનાવેલું.

🌷 ૧૯૦૨ માં ૨૨ ઇંચની ફ્રેમવાળી બાઈક બજારમાં મૂકાઈ. આ બાઈકના પાછળના ભાગે પેટ્રોલની ટાંકી હતી તેથી ઊંટ જેવી લાગતી. લોકો તેને ' કેમલ બેક બાઈક' કહેતાં. તેમ છતાં ૧૦ વર્ષ સુધી તે લોકપ્રિય બનેલી અને ખૂબ વેચાયેલી.

🌷 ઇ.સ. ૧૯૧૬ એટલે આજથી ૧૦૦ વર્ષ પહેલા બાઈક બનાવવનારી કંપની સ્પ્રિંગફિલ્ડમાં ૨૪૦૦ કારીગરો હતા અને વર્ષે ૨૫૦૦૦ બાઈક બનતી. તે જમાનામાં અન્ય વાહનો કરતાં બાઈક વધુ વપરાતી.

🌷 ઇ.સ. ૧૯૦૧ માં બ્રિટનની રોયલ એન્ફીલ્ડ કંપનીએ ચાર સિલિન્ડરના એન્જિનવાળી પ્રથમ બાઈક બજારમાં મૂકેલી. તે દરમિયાન મોટરસાયકલ રેસ પણ લોકપ્રિય બનેલી. પોલીસ અને સેના માટે ખાસ મોટર સાયકલો બનવા લાગેલી.

🌷 ૧૯૩૦ સુધીમાં બ્રિટનમાં લગભગ ૮૦ પ્રકારની બાઈક બજારમાં મૂકાઈ હતી. તેમાં નોર્ટન, ટ્રમ્ફ, એજેએસ, ગેરાર્ડ, વ્હિરવૂડ પ્રસિદ્ધ હતી.

🌷 ૧૯૩૭ માં કલાકના ૨૧૯ કિલોમીટરની ઝડપે દોડી શકે તેવી હાઈસ્પીડ બાઈક બનેલી.

♥ રણપ્રદેશ ♥



રણ એટલે રેતીનો સાગર, રણપ્રદેશો પૃથ્વીની સપાટીની વીસ ટકા જગ્યા રોકે છે. રણપ્રદેશમાં વનસ્પતિ, જળાશય, પહાડ, પર્વત હોતાં નથી માત્ર રેતી જ પથરાયેલી હોય છે. રણપ્રદેશ વિશે બીજી વાતો પણ જાણવા જેવી છે.

🌈 રણપ્રદેશમાં વર્ષે માંડ ૧૦ ઈંચ વરસાદ થતો હોય છે.

🌈 રણપ્રદેશો ગરમ જ હોય તેવું નથી. ગોબી અને એન્ટાર્કટિકાના રણ ઠંડાગાર છે.

🌈 રણપ્રદેશમાં વનસ્પતિ ઓછી જોવા મળે છે. કેટલાક રણમાં ઊંડે સુધી મૂળવાળા જાડી છાલવાળા કેકટ્સ જોવા મળે છે.

🌈 રણપ્રદેશમાં રહેતા પ્રાણીઓ પાણી વિના લાંબો સમય ચલાવી લે અને ખૂબજ ગરમી સહન કરી શકે તેવા હોય છે.

🌈 વિશ્વનું સૌથી મોટું રણ આફ્રિકાનું સહરા ૮૬ લાખ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે.

🌈 ઠંડું અને વિખ્યાત ગોબીનું રણ ચીન અને મોંગોલિયામાં છે.

🌈 ભારતના થર રણનો કેટલોક ભાગ પાકિસ્તાનમાં છે.

♥ સૌથી નાની ઉંમરનો તબલચી ♥

તબલચી : માસ્ટર તૃપ્તરાજ

મિત્રો જો કોઇ વ્યક્તિ ધારે તો તે કંઇપણ કરી શકે છે, જો કોઇ ખાસ વસ્તુમાં રસ હોય તો વ્યક્તિ તેમાં પોતાની ખાસ સ્કિલ ડેવલપ કરીને તે વસ્તુમાં શ્રેષ્ઠ બની શકે છે. અને તેમાં ઉંમર પણ નથી નડતી, જી હા આપણે આજે એક એવા બાળકની વાત કરવાની છે જેના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે, અને આ વાત માત્ર વર્લ્ડ રેકોર્ડથી નથી અટકતી, તેને અનેક એવોર્ડસ પણ મળી ચૂક્યાં છે. જી હા, અમે વાત કરી રહયા છીએ માસ્ટર તૃપ્તરાજ પંડયાની. તૃપ્તરાજ આપણાં દેશનો સૌથી નાની ઉંમરનો તબલચી છે, તેને નાનપણથી જ તબલાં વગાડવાનો ખૂબ શોખ હતો, તે માત્ર ૧૮ મહિનાની ઉંમરથી તબલાં, ઢોલ, ડ્રમ, મંજીરા જેવા અનેક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો થઇ ગયો હતો. જે ઉંમરે બાળકો ટીવી જોવામાં કે નાના નાના રમકડાંથી રમવામાં પોતાનો સમય પસાર કરતાં હોય તે ઉંમરે તૃપ્તરાજ પંડયાએ પબ્લિક પરફોમન્સ આપ્યું હતું, તે સમયે તૃપ્તરાજ ૨ વર્ષને ૨ મહિના જ મોટો હતો. જનરલી આ સમયે આટલી ઉંમરના બાળકો ચાલતાં કે બોલતાં માંડ શીખ્યા હોય છે. વળી ત્રણ વર્ષની ઉંમરે તૃપ્તરાજે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પરફોમન્સ આપ્યંુ હતંુ. તો તે ચાર વર્ષનો થયો ત્યારે તેણે પોતાનું પહેલું ટેલિવિઝન રેકોર્ડિંગ કર્યું હતું. જ્યારે તૃપ્તરાજ સાડાચાર વર્ષનો થયો ત્યારે તેણે ૬૦૦૦ લોકોની સામે પોતાનું પહેલું લાઇવ પરફોમન્સ આપ્યું હતું. આટલાં લોકો સામે માત્ર સાડાચાર વર્ષની ઉંમરે પણ દમદાર પરફોમન્સ આપી તૃપ્તરાજે બધાને આૃર્યચકિત કરી દીધા હતાં. આમ તૃપ્તરાજ પંડયાના આ હુનરના વખાણ ચારેકોર થવા લાગ્યાં હતા, ૬ વર્ષની ઉંમરે તૃપ્તરાજને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી નાની ઉંમરના તબલચીનું સર્ટિફિકેટ પણ આપ્યું હતું.

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા લોકો વર્ષો વર્ષ કેટલીય મહેનત કરતાં હોય અને ત્યારબાદ તેમનું નામ વર્લ્ડ રેકોર્ડના પાને નોંધાતુ હોય છે, જ્યારે તૃપ્તરાજનું નામ માત્ર ૬ વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડના પેજ ઉપર આવી ગયું છે. તૃપ્તરાજ અનેક બાળકો માટે પ્રેરણા સમાન છે, માત્ર બાળકો જ નહીં પણ તૃપ્તરાજ પેરેન્ટ્સ માટે પણ એક પ્રેરણા જ છે, તમારા બાળકને નાનપણમાં કોઇ વસ્તુમાં રુચી હોય તો તેને તે રસ્તે આગળ વધવા દો, તેની રુચીને બીજે માર્ગે ન વાળો.

♥ એક અનોખો રેકોર્ડ ♥



લોકો વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા પોતાની અંદર એવી ખાસિયત વિકસાવે છે જે બીજા કોઇમાં ન હોય, વળી એ ખાસિયતને જોઇને લોકો પણ દંગ રહી જાય. વિએતનામમાં પણ આવો જ એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો, આ રેકોર્ડમાં બે ભાઇઓએ ભાગ લીધો હતો, બંને ભાઇઓએ વર્લ્ડ રેકોર્ડ જોવા આવનાર લોકોને આૃર્યથી દંગ કરી દીધા હતા. જીઆંગ નેગિક અને જીઆંગ કો નામના બંને ભાઇઓએ વિએતનામમાં હાલમાં જ બેલેસિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ બંને ભાઇઓમાંથી એક ભાઇ પગથિયાં ચડે અને બીજો ભાઇ તેના માથાના બળે પહેલા ભાઇના માથે ઊંધો થઇ જાય છે. નીચે રહેલો ભાઇ બેલેન્સ કરીને પગથિયાં ચડે છે.

માત્ર ૫૨ સેકન્ડમાં ૪૦ પગથિયાં માથે આટલું વજન બેલેન્સથી ઊંચકીને પગથિયાં ચડી જાય છે. આટલાં પગથિયાં માત્ર બાવન સેકન્ડમાં માથા ઉપર એક આખી વ્યક્તિને પકડયા વગર ઊંચકીને લઇ જવી છતાં પણ એકવાર બેલેન્સ કરવામાં તકલીફ નહોતી થઇ. આમ શ્રેષ્ઠ બેલેન્સનો વર્લ્ડ રેકોર્ડ જીઆંગ નેગિક અને જીઆંગ કોના નામે નોંધાયેલો છે.

♥ આધુનિક પરમાણુવાદના પ્રણેતા - પ્રોફેસર નીલ્સ બોહર ♥



🌳 નીલ્સ હેન્રીક ડેવિડ બોહરનો જન્મ ૧૮૮૫માં થયો હતો. બાળ નીલ્સ ભૌતિક વિજ્ઞાાનમાં અજબ રસ ધરાવતી. પ્રોફેસર બોહર યુરોપના એક નાનકડા દેશ ડેનમાર્કના વતની હતા, પરંતુ વિજ્ઞાાન જગતના મત પ્રમાણે તેઓ આજના મોટામાં મોટા ભૌતિક વિજ્ઞાાની હતા. પરમાણુ-રચનાનો સિદ્ધાંત તૈયાર કરવા માટે પ્રોફેસર બોહરનું સંશોધન માનવીના માનસિક વિજયોમાં એક છે. એ સિદ્ધાંતે અનેક પ્રયોગકારોને તેમના કાર્યમાં પ્રરેણા આપી છે. પરમાણુ વિભાજન અને પરમાણુ-રૂપાંતરની બાબતોમાં નીલ્સ બોહર આજના એક અગ્રગણ્ય વિચારક હતા અને પરમાણુને લગતા પ્રયોગોના પરિણામો સંપૂર્ણ સમજવામાં તેઓએ વિજ્ઞાાનની દુનિયામાં દોરવણી આપી હતી. વીસમી સદીના ભૌતિક વિજ્ઞાાન પર પ્રોફેસર બોહર ન ભૂસાય એવી છાપ મૂકી ગયા. નીલ્સ બોહર એટલે આધુનિક પરમાણુ વિજ્ઞાાનના પ્રણેતા.

🌳 ૧૯૩૯ ની શરૂઆતમાં પોફેસર બોહર અમેરિકાના પ્રવાસે નીકળ્યા. સ્ટીમર ઉપડવાની થોડીવાર હતી ત્યાં બે જર્મન નિર્વાસિત ભૌતિક વિજ્ઞાાનીઓ લીસે મેઈટનર અને ઓ.આર. ફ્રીચ્ચ બોહરને મળવા આવ્યા અને ભયપૂર્વક સમાચાર આપ્યાઃ ‘ર્બિલનના બે વિજ્ઞાાનીઓ ઓટો હાહ્ન અને ફ્રિટ્સ સ્ટ્રાસમાને યુરેનિયમ પરમાણુનું વિભાજન કર્યું છે. આ પરમાણુ વિભાજનની મદદ વડે નાઝીઓ પરમાણુ બોમ્બ તૈયાર કરી શકે.’ બોહરે આ સમાચાર અમેરિકાના પોતાના કેટલાક વિશ્વાસુ મિત્ર-વિદ્યાર્થીઓને કહ્યા. અમેરિકાએ પરમાણુ બોમ્બની બનાવટ અંગે પ્રયોગો શરૂ કર્યા. પ્રોફેસર બોહરે જાતે થોડો વખત પ્રિન્સટનમાં આ અંગે કામ કર્યું.

🌳 એક દિવસ શિયાળાની સાંજે કલમમાંથી પ્રયોગશાળામાં જતાં પ્રોફેસર બોહરની મૂંઝવણોનું નિરાકરણ સાંપડી ગયું. આ પરમાણુ ભંજનમાં યુરોનિયમ-૨૩૫ આઈસોટોપ મહત્ત્વનો છે. આ માહિતી અમેરિકાને ખૂબ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી નીવડી.

🌳 પોતાની સૂચના અનુસાર પરમાણુ બોમ્બ તૈયાર થયો પણ તેનો ધડાકો જોવા તેઓ ન ગયા. જિંદગીભર તેઓ પરમાણુ ધડાકાઓના વિરોધી હતા. ઊલટું તેઓ બોમ્બના ધડાકા નાબૂદ કરવાનો રસ્તો શોધ્યા કરતા હતા.

🌳 યુદ્ધ બાદ યુરોપને વિજ્ઞાાનની બાબતમાં પગભર કરવા બોહરે ખૂબ મહેનત કરી હતી. પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ શોધવા તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. જિનિવાની પરમાણુ શક્તિના શાંતિમય ઉપયોગો માટે પરિષદમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભાગ લીધો હતો.

🌳 વિજ્ઞાનજગતે તેમને અનેક માનચાંદથી નવાજ્યા હતા. આ ચંદ્રકોની સંખ્યા એટલી બધી છેકે તેઓ એક સાથે એ બધા પહેરી ન શકે અને માન એટલા બધાં છે કે એબીસીડીના બધા અક્ષરો તેમાં આવી જાય.

♥ સૌથી આળસુ પ્રાણી - સ્લોથ ♥




🌼 માત્ર માણસો જ શું કામ? પ્રાણીઓ પણ આળસુ હોય છે, જી હા માણસની જેમ ઘણાં પ્રાણીઓ પણ અતિશય આરામપ્રિય હોય છે. જોકે આમ તો માણસની માફક પ્રાણી કે પક્ષીઓને ભણવા કે નોકરી કરવા નથી જવાનું હોતું, પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓનું એકમાત્ર કામ પોતાનો ખોરાક શોધવા જવાનું હોય છે, પરંતુ આ ધરતી ઉપર એક પ્રાણી એવું પણ છે જે દુનિયાનું સૌથી મોટું આળસુ પ્રાણી છે. આ પ્રાણીનું નામ સ્લોથ છે, દેખાવે વાંદરા જેવું લાગતું સ્લોથ પ્રાણી ખરેખર જમીનમાં રહેતા હાડકાંના કવચ ધરાવતાં પ્રાણીઓમાનું એક પ્રાણી છે, પરંતુ સ્લોથ જમીનમાં નથી રહેતું.

🌼 મુખ્યત્વે સ્લોથ સાઉથ અમેરિકાનું પ્રાણી છે. તે સાઉથ અમેરિકાના ટ્રોપિકલ ફોરેસ્ટમાં જોવા મળે છે. કદમાં સ્લોથ બેથી અઢી ફૂટનું હોય છે, જ્યારે તેનું વજન ૩ કિલોગ્રામથી લઇને ૭.૭ કિલોગ્રામ સુધી વધે છે. દેખાવે વાંદરાની યાદ અપાવતા સ્લોથના હાથ વાંદરા જેવા જ લાંબા હોય છે, તેમજ બંને હાથ અને પગમાં આંગળાંની જગ્યાએ લાંબા ત્રણ નખ હોય છે, જે તેને શિકારીથી બચવામાં મદદરૂપ થાય છે. સ્લોથ વિશે અચંબિત કરે તેવી મોટી બાબત તેની ઊંઘ છે.

🌼 દિવસના ચોવીસ કલાકમાં સ્લોથ લગભગ ૨૦ કલાક ઊંઘ્યા કરે છે. આટલું જ નહીં તે ઝાડ ઉપર વસતાં બીજા પ્રાણીઓની માફક એજ જગ્યાએથી બીજી જગ્યાએ કૂદાકૂદ પણ નથી કરતું, તે અઠવાડિયામાં માત્ર એકવાર ઝાડ ઉપરથી નીચે ઉતરે છે, તેમજ તે મળ-મૂત્ર પણ અમુક દિવસોના અંતરે કરતું હોય છે.

🌼 એકદમ આળસુ પ્રકૃતિ ધરાવતાં પ્રાણી સ્લોથના શરીર ઉપર ખૂબ રૂવાંટી હોય છે, જે તેને ઠંડીમાં રક્ષણ આપે છે. સ્લોથની પૂંછડી તેના શરીર કરતાં લાંબી હોય છે, વળી ઝીણી ઝીણી આંખો જાણે હંમેશા દુઃખી રહેતી હોય તેમ લાગે છે. તેમજ તેના મોઢાનો આકાર એવો છે જેને જોઇને હંમેશા સ્લોથ હસતું રહેતું હોય તેમ લાગે છે.

🌼 તેની ગરદનમાં હાડકાં સાવ ઓછા હોવાથી સ્લોથ લગભગ તેના મોઢાને આખું ગોળ ફેરવી શકે છે. સ્લોથની આળસુ પ્રકૃતિના કારણે સ્લોથ બીજા પ્રાણીઓ જેટલું પ્રચલિત નથી. આમ આળસુ પ્રકૃતિ ધરાવતું સ્લોથ જ્યારે શિકારીને ઝપટમાં આવે છે ત્યારે તે એકદમ ડિફેન્સીવ બની જાય છે, તે પોતાને ઝપટમાં લેનાર શિકારી ઉપર નખ, મારીને હુમલો કરે છે.

♥ દુનિયાની સૌથી લાંબી પૂંછડી ધરાવતો કૂતરો ♥



🔵 માણસોની સાથે સાથે હવે કૂતરાંના નામે પણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા લાગ્યા છે. અલબત્ત અત્યારે જે કૂતરાની વાત કરવાની છે, તેને નામે અનોખો રેકોર્ડ નોંધાયો છે. આ અબોલ જાનવર પાસે કોઇ અઘરી ટ્રેઇનિંગ આપીને કોઇ કરતબ કરવાનો રેકોર્ડ નથી નોંધાયો, પરંતુ આ કૂતરાના નામે એક લાંબી લચક પૂંછડી ધરાવનાર પ્રાણીનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે.

🔵 બેલજીયમમાં રહેતા ઇસે લૂટસને કેઓસ નામનું એક કૂતરું છે. આ કૂતરાને માત્ર ૩ મહિનાની ઉંમરે લૂટસ ફેમિલીએ ખરીદ્યુ હતું. ઘરે લાવીને તેનું નામ કેઓસ રાખવામાં આવ્યું. કેઓસનો મતલબ હિંમતવાન સૈનિક થાય છે.

🔵 કેઓસ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ તેની પૂંછડીમાં પણ વધારો થતો ગયો. દિનપ્રતિદિન કેઓસની પૂંછડી લાંબી થતી તેમ તેમ લૂટસ પરિવારને ચિંતા થતી હતી, અંતે તેમણે કેઓસને ડોક્ટર પાસે લઇ ગયા ડોક્ટરે કહ્યું ગભરાવાની જરૂર નથી લાંબી પૂંછડીના કારણે કેઓસને કોઇ તકલીફ નહીં થાય.

🔵 ત્યાર બાદ લોટસ પરિવારના દીકરાની નજર એક દિવસ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એક કૂતરા ઉપર પડી જેના નામે ગિનિસ રેકોર્ડ નોંધાયેલો હતો. તે રેકોર્ડ મુજબ આ કૂતરાની પૂંછડી દુનિયાની સૌથી લાંબી પૂંછડી હતી, જેની લંબાઇ ૪૫ સેમી હતી. આ જોઇને આ પરિવારને એક વિચાર આવ્યો કે કેઓસની પૂંછડી તે કૂતરા કરતાં ઘણી લાંબી છે તો કેઓસનું નામ પણ આ રેકોર્ડ માટે નોંધાવું જોઇએ. અને બધાના આૃશ્ચર્ય સાથે કેઓસની પૂંછડીની લંબાઇ ૭૬.૮ સેમી હતી, એટલે લગભગ ૩૦.૨ ઇંચ લાંબી ગણાય. પછી શું હતું? મિસ્ટર કેઓસે બનાવી દીધો પોતાના નામે સૌથી લાંબી પૂંછડી ધરાવનાર કૂતરાનો રેકોર્ડ.

♥ સ્નેક બર્ડ : એનહિંગા ♥



શું કોઇ પક્ષીની ડોક સાપ જેવી હોય? શું કોઇ પક્ષીના પીંછાં વોટરપ્રૂફ હોય છે? આવા બે સવાલના જવાબ છે હા બિલકુલ હોય. અમેરિકાના ગરમ દરિયાકાંઠે લાંબી સર્પાકાર ડોક અને તીક્ષ્ણ ચાંચવાળું પક્ષી જોવા મળે છે. તેનું નામ એનહિંગા છે, નામે વિચિત્ર લાગતું આ પક્ષી સાચે જ ખૂબ વિચિત્ર છે. એનહિંગા નામનું આ પક્ષી કાળા પાણીના શેતાન પક્ષી તરીકે જાણીતું છે. સાપ જેવી ડોકને કારણે તેને સ્નેક બર્ડ પણ કહે છે. આ પક્ષી એક શિકાર પાછળ પડે તો કલાકો સુધી તેનો પીછો છોડતું નથી. ઊંડા પાણીમાં ડૂબકી મારવી તેના માટે રમત વાત છે. તેના વોટરપ્રૂફ પીંછાં તેને આમાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

🌸 એનહિંગાની તીક્ષ્ણ ચાંચ કરોડરજ્જુ સાથે જોડાયેલી હોવાથી તે ખૂબ જ શક્તિ સાથે શિકારને વીંધી શકે છે.

🌸 દક્ષિણ અમેરિકા ઉપરાંત આર્જન્ટિનામાં પણ આ પક્ષી જોવા મળે છે. એનહિંગાને ગરમ વાતાવરણ ગમે છે. શિયાળો આવતા તે ઉષ્ણકટિબંધ તરફ સ્થળાંતર કરે છે.

🌸 એનહિંગા લાંબી ડોક સહિત ૩ ફૂટ લાંબુ હોય છે. તેની પાંખનો ઘેરાવો ૪ ફૂટ હોય છે. તેની પીઠ કાળા ટપકાંવાળી સફેદ હોય છે તેની પૂંછડી કાળી હોય છે અને છેડે રંગીન પીંછાં હોય છે.

🌸 એનહિંગાની ચાંચ તેના માથા કરતાં બમણી અને અણીદાર હોય છે મોટે ભાગે તે માછલીનો શિકાર કરે છે.

🌸 એનહિંગા પાણીમાં તરતા રહીને માછલીનો શિકાર કરે છે. શિકાર કરી લીધા બાદ તે માણસની જેમ જ કિનારા પર આવી જમીન પર પાંખો અને પીંછાં ફેલાવી તડકામાં બેસે છે અને પીછાં સૂક્વે છે.

🌸 એનહિંગા હજારો ફૂટની ઊંચાઈ સુધી ઊડી શકે છે. ઊડતી વખતે તે પાંખો સ્થિર અને સીધી રાખે છે.

♥ મધમાખી ♥



🐝 મધમાખી પૃથ્વી પર એક કરોડ વર્ષથી અસ્તિત્વમાં છે.  

🐝 મધમાખી લાખો કિલોમીટરનો પ્રવાસ કરી ફૂલો ઉપરથી રસ ચૂસી મધ એકઠું કરે છે.   

🐝 મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે.

🐝 મધમાખી એક સેંકડમાં ૧૧૦૦ વખત પાંખ ફફડાવીને ૨૨ કિલોમીટરની ઝડપે ઊડે છે.

🐝 મધમાખી નૃત્ય દ્વારા બીજી મધમાખીને સંદેશો આપે છે.

🐝  મધમાખીના ડંખ ઝેરી હોય છે. તેના ઝેર અને મધનો દવામાં ઉપયોગ થાય છે.

🐝 માદા મજૂર મધમાખી ૮ સપ્તાહ જીવે છે.