આ બ્લોગમાં વર્તમાનપત્રો, મેગેઝિનો, વિકીપીડીયા,GK ની વેબસાઇટો, વગેરે માધ્યમોનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામા આવેલ છે જે માટે સૌનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છુ.બ્લોગથી મને લેશમાત્ર આવક નથી.જેની નોંધ લેશો.

Saturday 22 April 2017

♥ કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકો ♥

👉 આગ્રા કિલ્લો - અકબર
👉 લાલ કિલ્લો - શાહ જહાં
👉 જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉 ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉 બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉 તાજ મહેલ - શાહ જહાં
👉 કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉 ફતેહપુરસીક્રી - અકબર
👉 સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉 હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉 મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉 જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉 મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉 ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉 ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉 સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉 બેલૂર મઠ - રવીન્દ્રનાથ ટાગોર
👉 જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉 લાલ બાગ હૈદર અલી
👉 સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉 આનંદ ભવન - નહેરુ
👉 બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉 જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉 શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉 અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
👉 સાચી સ્તૂપ - અશોક
👉 મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉 ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉 નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

Tuesday 18 April 2017

♥ પતંગિયાનું અનોખું જીવન ♥

🌀 પ્રાણી,પક્ષીઓ અને જંતુઓના જીવનમાં અનેક આશ્ચર્યજનક વિવિધતા જોવા મળે. કેટલાક જીવો જન્મે ત્યારે જુદા સ્વરૂપ હોય અને મોટાં થઈને જુદું જ રૂપ ધરે. જંતુઓમાં આ વિશેષતા વધુ જોવા મળે છે.

🌀 રંગબેરંગી પાંખોવાળું પતંગિયું જન્મે ત્યારે સામાન્ય ઇયળ હોય છે. તેમાંથી સુંદર પાંખોવાળુ પતંગિયું કેવી રીતે બને તે પણ જાણવા જેવું છે.

🌀 માદા પતંગિયું કોઈ ફૂલની પાંખડી કે પાંદડા પર ઇંડા મૂકે છે. તેના ઇંડા આપણને નરી આંખે દેખાય નહીં. તેટલા ઝીણા હોય છે. ઇંડામાંથી સુક્ષ્મકદની ઇયળ બહાર આવે છે. ઇયળ વનસ્પતિ ખાઈને મોટી થાય છે. તે મોટી થાય એટલે તેની ચામડી ઉતરવા માંડે અને નવી ચામડી આવે. આ નવી ચામડી સખત બનીને નાનકડો કોશેટો બને. ઝીણા કદનો લંબગોળ પણ સખત કોશેટો પાંદડા પર ચોંટી રહે છે.

🌀 દરમિયાન અંદરની ઇયળનું શરીર તૂટીને જંતુ આકાર લે છે. તેને પગ અને પાંખો ઊગે છે. તે મોટું થયા પછી કોશેટો તોડીને બહાર આવે છે. ઇંડામાંથી પતંગિયુ બનાવાના જીવનચક્ર દરમિયાન વિવિધ રૂપાંતર પર હવામાનની અસર થાય છે. પરંતુ ઇંડામાંથી ઇયળ બહાર નીકળ્યા પછી નાનાં પતંગિયા ૯ મહિનાથી એક વર્ષ જીવે છે.

🌀 પતંગિયાં ઇયળ સ્વરૂપે હોય ત્યારે વનસ્પતિ ખાઈને મોટા થાય પરંતુ પતંગિયું બન્યા પછી તે ખાઈ શકતાં નથી. માત્ર ફૂલોનો રસ ચૂસી શકે છે.

♥ જાપાનીઝ સ્પાઈડર ક્રેબ ♥



🔷 કરચલા શરીર પર કવચ ધરાવતા દરિયાઈ જીવ છે. આડા પગે ચાલનારા કરોળિયાની અનેક જાત છે. તેમાં જાપાનનો સ્પાઈડર ક્રેબ સૌથી મોટો છે.

🔷 જાપાનીઝ સ્પાઈડર ક્રેબ ના આઠ પગનો ઘેરાવો ૧૩ ફૂટ હોય છે. મોટા પગ જ નહીં પણ વજનમાં પણ વિક્રમી છે.

🔷 તેનું વજન લગભગ ૩૦ કિલોની આસપાસ થાય છે. આ કરચલો સૌથી મોટો અષ્ટપગી જીવ છે.

🔷 તેના શરીર પરનું કવચ દરિયાના તળિયાના ખડકો જેવા રંગનું હોય છે. તે સમયાંતરે ઉતરીને નવું આવે છે.

🔷 દરિયામાં તે ૧૬૦ ફૂટની ઊંડાઈએ રહે છે અને ૨૦૦૦ ફુટની ઊંચાઈ સુધી જોવા મળે છે.

🔷 સ્પાઇડર ક્રેબના આઠ પગ પૈકી આગળના બે પગ હાથ જેવું કામ કરે છે. તેના છેડે પંજા હોય છે. તેની આંગળીઓ શક્તિશાળી હોય છે.

🔷 આ કરચલો નાની માછલીઓનો શિકાર કરે છે.

🔷 આ કરોળિયા પોતાની જાતને છુપાવવા માટે આસપાસના વાતાવરણમાં રંગીન શેવાળ  અને નાના કોટલા ખેંચીને શરીરને રંગીન બનાવે છે.

🔷 જાપાનના લોકો આ કરચલાને ઘરના એકવેરિયમમાં પણ રાખે છે.

♥ રેડક્રોસ ♥





🌹 આંતરરાષ્ટ્રીય રેડક્રોસ એ વિશ્વનું સૌથી મોટું માનવતા લક્ષી અભિયાન છે. તેમાં ૧૮૬ દેશો સભ્ય છે.

🌹 હેન્રી ડૂમાન નામના સ્વિસ બેન્કના માલિકે યુધ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે રેડ ક્રોસની સ્થાપના કરેલી. તેણે સ્વિટ્ઝર્લેન્ડના રાષ્ટ્રધ્વજની વિપરીત એવી લાલ ચોકડીનું પ્રતીક રાખ્યું.

🌹 રેડક્રોસ વિશ્વમાં ગમે ત્યાં યુધ્ધ મેદાન પર ઘાયલ સૈનિકો નિષ્પક્ષ સેવા કરે છે.

🌹 રેડક્રોસના વાહન પર કોઈ હુમલો કરી શકતું નથી.

🌹 ઇ.સ. ૧૮૬૩માં જીનીવામાં રેડક્રોસની સ્થાપના થયેલી.

🌹 રેડક્રોસના સ્થાપક સહિત સંસ્થાને સૌથી વધુ ચાર વખત નોબેલ શાંતિ એવોર્ડ એનાયત થયા છે.

🌹 રેડક્રોસ યુધ્ધના મેદાનમાં જ નહીં . પરંતુ ભૂકંપ, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતોમાં પણ લોકોને મદદ કરવા પહોંચી જાય છે.

🌹 રેડક્રોસના કુદરતી આફતમાં મદદરૃપ થતી આઈએફઆર સી સંસ્થામાં નવ કરોડથી વધુ કર્મીઓ, સ્વયંસેવકો અને કાર્યકરો છે.

Saturday 15 April 2017

♥ क्यो मनाते है बैसाखी ? ♥



बैसाखी का आगमन प्रकृति के परिवर्तन को दर्शाता है। बैसाखी के समय आकाश में विशाखा नक्षत्र होता है l विशाखा नक्षत्र पूर्णिमा में होने के कारण इस माह को बैसाखी कहते हैं l कुल मिलाकर, वैशाख माह के पहले दिन को बैसाखी कहा गया है l इस दिन सूर्य मेष राशि में प्रवेश करता है, इसलिए इसे मेष संक्रांति भी कहा जाता है l

बैसाखी त्यौहार अप्रैल माह में तब मनाया जाता है, जब सूर्य मेष राशि में प्रवेश करता है l यह घटना हर साल 13 या 14 अप्रैल को ही होती है l

बैसाखी का यह खूबसूरत पर्व अलग अलग राज्यों में अलग-अलग नामों से जाना जाता है। केरल में यह त्योहार 'विशु' कहलाता है। बंगाल में इसे नब बर्षा, असम में इसे रोंगाली बीहू, तमिलनाडु में पुथंडू और बिहार में इसे वैषाख के नाम से जाना जाता है। बैसाखी का पर्व पंजाब के साथ-साथ पूरे उत्तर भारत में धूमधाम से मनाया जाता है।

बैसाखी का संबंध फसल के पकने की खुशी का प्रतीक है। इसी दिन गेहूं की पक्की फसल को काटने की शुरूआत होती है। किसान इसलिए खुश हैं कि अब फसल की रखवाली करने की चिंता समाप्त हो गई है। इस दिन किसान सुबह उठकर नहा धोकर मंदिरों और गुरुदृारे में जाकर भगवान को अच्छी फसल होने का धन्यवाद देते हैं। इस पर्व पर पंजाब के लोग अपने रीति रिवाज के अनुसार भांगड़ा करते हैं।

बैसाखी के ही दिन 13 अप्रैल 1699 को सिखों के दसवें गुरु गुरु गोविंद सिंह जी ने खालसा पंथ की स्थापना की थी। सिख इस त्योहार को सामूहिक जन्मदिवस के रूप में मनाते हैं।

बैसाखी का पर्व जब आता है उस समय सर्दियों की समाप्ति और गर्मियों का आरंभ होता है। इसी के आधार स्वरूप लोक परंपरा धर्म और प्रकृति के परिवर्तन से जुड़ा यह समय बैसाखी पर्व की महत्ता को दर्शता है।

★ SOURCE ★

- SANSKAR -

Monday 10 April 2017

♥ અજબ ગજબ જીવસૃષ્ટિ ♥

👉🏻 ચીનનું વોટર ડિયર નામનું હરણ જેવું પ્રાણી જન્મે ત્યારે આપણી હથેળીમાં સમાય તેટલું નાનું હોય છે.

👉🏻 તમામ પ્રકારના સાપ જંતુભક્ષી હોય છે તે દૂધ કે વનસ્પતિ ખાતા નથી.

👉🏻 વિશ્વનાં અર્ધા ઉપરાંતના ડૂક્કર એકલા ચીનમાં જ છે.

👉🏻 ચીનના ખેડૂતો ડુક્કર પાળે છે.

👉🏻 કીડીઓ કદી ઉંઘતી નથી, કીડીને ફેફસાં હોતાં નથી.

👉🏻 આફ્રિકામાં થતું એક જાતનું પતંગિયું છ બિલાડીને મારી શકે તેટલું ઝેર ધરાવે છે.

👉🏻 બિલાડીના દરેક કાનમાં ૩૨ સ્નાયુઓ હોય છે

♥ ગ્રહમાળાનો રાજા - ગુરુ ♥

🌕 સૂર્યમાળાનો સૌથી મોટો ગ્રહ ગુરુ માત્ર કદમાં જ નહીં પરંતુ અનેક રીતે વિશિષ્ટ અને સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. સંસ્કૃતમાં તેને ' દેવગુરુ' ની ઉપમા આપી છે. તે જ્ઞાાનનો સાગર અને બધા દેવોનો ગુણ મનાય છે.

🌕 ગ્રીક દંતકથાઓમાં પણ ગુરુ જુનો કે દેવોના દેવ તરીકે ઓળખાય છે. ગુરુની ઉત્પતિ પણ જુદી રીતે થઈ હતી.

🌕 ગુરુ સૂર્યથી વધુ અંતરે હોવાથી સૂર્યની ૧૨મા ભાગની ઉર્જા તેને મળે છે. પૃથ્વી કરતાં તે ૧૨ ગણી મોટી છે.

🌕 ગુરુની ઘનતા એક ચોરસ સેન્ટિમીટરે ૧.૩૩ ગ્રામ છે તેનું ગુરુત્વાકર્ષણ બળ પણ વધુ છે. ગુરુ વિરાટ અને વજનદાર હોવા છતાય તે પોતાની ધરી પર ઝડપથી ફરે છે.

🌕 તે આપણા ૧૦ કલાકમાં એક ચક્ર પૂર્ણ કરે છે.

🌕 ગુરુના કેતુમાં ધાતુઓ અને ખડકો છે. હાઇડ્રોજન અને હિલિયમ તેના મુખ્ય તત્વો છે. તે ઝડપથી ફરતો હોવાથી તેનું ચુંબકીપ ક્ષેત્ર બળવાન છે.

🌕 ગુરુને શનિ જેવી રિંગ પણ છે. તેને ૬ર ચંદ્રો છે.

🌕 ગુરુ સૂર્યથી દૂર હોવાથી સૂર્યની પ્રદક્ષિણા કરતાં આપણા ૧૨ વર્ષ લાગે છે.

♥ સસલું ♥



🐇 સસલા સુંવાળી અને સફેદ રૂવાંટીવાળા આકર્ષક પ્રાણી છે. સસલાની બે જાત ' રેબિટ' અને 'હેર' અલગ અલગ જાતના પ્રાણીઓ છે.  

🐇 સ્પેન સસલાનો ટાપુ કહેવાય છે.  ઇ.સ. પૂર્વે ૩૦૦ માં રોમન લોકો સસલા પાળતા.  

🐇 સસલાને ૨૮ દાંત હોય છે જે હંમેશા મોટા થાય છે અને ઘસાતાં રહે છે.  

🐇 સસલા ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.  

🐇 સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.  

🐇 સૌથી નાના સસલાની જાત નેધરલૅન્ડનું ડવાર્ફ રેબિટ માત્ર એક કિલો વજનનું હોય છે.  

🐇 સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. એટલે મૂછીના આધારે કેટલી સાંકડી જગ્યામાંથી પસાર થઈ શકાય તે અગાઊથી જાણી શકે છે.  

🐇 સસલાના આગલા પગમાં પાંચ અને પાછલા પગમાં ચાર આંગળીઓ હોય છે.

♥ ઓકટોપસ ♥



🐙 આઠ પગવાળા ઓકટોપસની સમુદ્રમાં ૩૦૦ જેટલી જાત જોવા મળે છે. સમુદ્રના ઊંડા પાણીમાં માછલી જેવી પાંખોવાળા ઓકટોપસ પણ હોય છે.

🐙 ઓકટોપસના શરીરમાં હાડકાં હોતાં નથી. તેના ગોળાકાર માથાની આસપાસ લાંબા રેસા જેવા આઠ પગ નીકળેલા હોય છે. ગોળાકાર માથા વચ્ચે પક્ષીની ચાંચ જેવું મોં હોય છે.

🐙 ઓકટોપસ જળચર જીવોમાં બુધ્ધિશાળી ગણાય છે.

🐙 તે શરીરનો રંગ બદલી શકે છે અને ભયભીત થાય ત્યારે રંગીન ફૂવારો છોડી દુશ્મનને મુંઝવણમાં મૂકી દે છે. વધુ ભયભીત થાય તો એક પગ છૂટો પાડીને દૂર ફેંકે છે. એટલે શિકારી કે દુશ્મન તે તરફ દોડી જાય છે. અને ઓકટોપસ બચી જાય છે. કાપેલો પગ ફરી ઊગે છે.

🐙 ઓકટોપસ વિવિધ પ્રકારના અને કદના હોય છે. વિશ્વના સૌથી મોટા ઓકટોપસ પેસિફિક સમુદ્રમાં જોવા મળે છે. તેના પગ ૧૪ ફૂટ લાંબા હોય છે. અને તે ૧૫ કિલો વજનનાં હોય છે.

♥ ગરમી ♥



👉🏻 ગ્લોબલ વાર્મિંગ ને કારણે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. તે જાણીતી વાત છે. ઉનાળો ગરમીની સિઝન છે પરંતુ હવે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતું જાય છે. તમે હવામાન સમાચારમાં વિવિધ વિસ્તારોનાં તાપમાન વિશેના સમાચારો વાંચતા હશો. આ ગરમી અને ઉષ્ણાતામાનનું વિજ્ઞાન પણ અનોખું છે.

🔥 તાપમાન એટલે ટેમ્પરેચર અને ગરમી કે હીટ એ બે વસ્તુ જુદી છે. ઊંચું તાપમાન અને હીટેવેવ આ બંને પણ વિજ્ઞાનની ભાષામાં જુદા છે. ૪૦ ડિગ્રી સેલ્શિયસ તાપમાન હોય તેને પ્રચંડ ગરમી કહેવાય પણ તેને હીટવેવ કહેવાય નહીં.

વિજ્ઞાનીઓ કહે છે કે તાપમાનમાં એકાએક આઠ ડિગ્રીનો વધારો થાય તે સ્થિતિને હીટવેવ કહેવાય.

🔥 ઉનાળામાં જમીન પર એક ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં વર્ષે બે લાખ કેલરી ગરમી વરસે છે. સામાન્ય રીતે આપણે ગરમી અને ઠંડી એમ બે શબ્દોનો વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. આ શબ્દો અનુભવ અને હેતુ આધારિત છે.

🔥 વિજ્ઞાનીઓ ઠંડીને નીચા તાપમાન તરીકે જ ઓળખે. ગરમીના પ્રમાણને ટેમ્પરેચર નામ અપાયું છે. તેના મુખ્ય ત્રણ પ્રમાણ છે. કેલ્વીન, ફેરનહીટ અને સેલ્શિયસ.

🔥 સામાન્ય રીતે વ્યવહારમાં ગરમીનું માપ સેલ્સિયસ ડિગ્રીમાં માપવામાં આવે છે. કેટલાક દેશોમાં ફેરનહીટ પ્રચલિત છે. કેલ્વીન ડિગ્રી વિજ્ઞાન પ્રયોગોમાં ઉપયોગી છે. માઈનસ ૨૭૩.૫ સેલ્સિયશ ડિગ્રીએ કેલ્વીનનું માપ શૂન્યથી શરૂ થાય છે. ગરમી એ શક્તિ છે. તેના જથ્થાને કેલરી કહે છે.

🔥 એકસરખી ગરમી આપવાથી જુદી જુદી ચીજોનું તાપમાન જુદું જુદું હોઈ શકે છે

♥ લખનૌની ભૂલભૂલામણી : ભૂલભૂલૈયા મસ્જિદ ♥



👉🏻 ભારતમાં મોગલકાળમાં બંધાયેલી મસ્જિદ, મકબરા, અને મિનારા વિશ્વપ્રસિદ્ધ છે. આ બાંધકામોમાં જાત જાતની લાક્ષણિકતાઓ જોવા મળે છે. બિજાપુરનો ગોળગુંબજ તેના પડઘા માટે જાણીતો છે. કેટલાક ડોલતા મિનારા આશ્ચર્ય ઉપજાવે તેવા છે. પરંતુ લખનૌની ભૂલભૂલૈયા મસ્જિદમાં અંદર પ્રવેશો તો બહાર નિકળવાનો રસ્તો મળે નહીં, ફરી ફરીને હતા ત્યાં જ આવો.

🌺 અસદ ઉદ દૌલા નામના બાદશાહે ઇ.સ.૧૭૮૨માં આ મસ્જિદ બંધાવેલી. કહેવાય છે કે તે સમયે દુષ્કાળ હતો. બાદશાહે લોકોને રોજી આપવા માટે આ મોટું બાંધકામ કરાવેલું. ભૂલભૂલૈયા મસ્જિદનું બાંધકામ દસ વર્ષ ચાલ્યુ હતું.

🌺 મસ્જિદનો મુખ્ય ખંડ ૫૦ મીટર લાંબો અને ૧૬ મીટર પહોળો છે. ૧૫ મીટર ઊંચાઈએ છત એક પણ થાંભલા વિના ટકી રહી છે.

🌺 થાંભલા કે વચ્ચે ટેકા વિનાનો વિશ્વનો આ સૌથી મોટો સ્લેબ છે.

🌺 મુખ્યખંડની ફરતે જુદી જુદી ઊંચાઈની આઠ ચેમ્બર છે. મસ્જીદમાં પ્રવેશવા લાંબી પરસાળ છે. તેમાં ૪૮૯ એકસરખા દેખાવનાં બારણાં છે.

🌺 ભારતમાં ભૂલભૂલામણીવાળું આ એક જ બાંધકામ છે.

🌺 મુખ્ય સંકુલમાં પ્રવેશવા માટે ૧૮ મીટર ઊંચાઈનો રૂમી દરવાજો પણ સુંદર છે.

♥ સૂર્ય ♥




🌠 સૂર્ય બ્રહ્માંડનો તેજસ્વી તારો છે. તેમાંથી છૂટા પડેલા ગ્રહો, લઘુગ્રહો અને અવકાશી પદાર્થો તેની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી તેમાંનો એક ગ્રહ છે. સૂર્ય પૃથ્વીને ઉર્જા અને પ્રકાશ આપે છે.

🌠 સૂર્યમાં રહેલા વાયુઓનો જથ્થો શાંત નથી પણ સતત ઉકળતા ચરુની જેમ અગનજ્વાળાઓ પ્રગટ કરે છે. સૂર્યના કેન્દ્રમાં પ્રચંડ તાપમાન હોય છે.

🌠 સૂર્યને ચાર આવરણ હોય છે.  કેન્દ્ર, રેડિયોએકિટવ ઝોન એટલે વિકિરણોનો વિસ્તાર,  કન્વેકિટવ ઝોન એટલે પ્રસારણ વિસ્તાર, અને ઉપલી સપાટી સૂર્યના ગોળામાં ૭૩ ટકામાં કાર્બન, નાઈટ્રોજન, સલ્ફર, સિલિકોન વગેરે ૫૦ જેટલા પદાર્થો હોય છે.

🌠 પ્રચંડ ગરમીને કારણે સૂર્યના પેટાળમાં ઉથલપાથલ થતી રહે છે. પરિણામે સપાટી પણ સતત પ્રવૃતિશીલ રહે છે. તેને કારણે સપાટી પર ઘણા પરિબળ પેદા થાય છે. સૌર પવનો અને સૌર કિરણો તેમાંના એક છે. સોલર વાઈન્ડ કે સૌર પવન એ પવન  નથી. પણ પ્રચંડ તાપમાનમાં હાઈડ્રોજન પ્લાઝમાં બની જાય તેના ઇલેકટ્રોન કણો પવનની જેમ બહાર ફેંકાય છે.

🌠 સૂર્યનો વ્યાસ ૬૯૫૦૦૦ કિલોમીટર છે.

🌠તે પોતાની ધરી પર આપણા ૨૬.૮ દિવસમાં એક ચક્ર પુરું કરે છે.

♥ AIR COOLER ♥



ઉનાળામાં ગરમી સામે રક્ષણ માટે ઘર અને ઓફિસોમાં પંખા, એરકુલર અને એરકન્ડિશનર જેવા સાધનો જાણીતા છે. પંખા ફરે અને હવા વિંઝાય છે. તેનાથી ગરમીમાં રાહત મળે છે. વધુ સુવિધા માટે એરકુલરનો ઉપયોગ થાય છે. એરકુલર ઠંડી હવા ફેંકતું સાદું સાધન છે.

એરકુલરની ચોરસ પેટીમાં એક તરફ પંખો હોય છે. પેટીના તળિયે પાણી ભરવામાં આવે છે. તેમાં વચ્ચે મુકેલી મોટર દ્વારા પાણી નળીમાં પાણી ઊંચે ચડે છે. નળી પંખા સિવાયની ત્રણ બાજુ સાથે વધુ શાખાથી જોડાયેલી છે. મોટર દ્વારા ચઢેલું પાણી પેટીની ત્રણ બાજુઓ પર લગાડેલી ખસની ટટ્ટી પર પડયા કરે છે.અને ટટ્ટી ભીની રહે છે. પંખો ચારે તરફથી હવા ખેંચીને બહાર ફેંકે છે. ભીની ટટ્ટીમાંથી પસાર થયેલી હવા ઠંડી થઈ રૃમમાં ફેંકાય છે. ખસ એ એક વનસ્પતિના મૂળિયા છે. તે સુગંધીદાર હોય છે. ઘાસ જેવા મૂળને એકઠા કરી ટટ્ટી બનાવાય છે. તેમાંથી પસાર થતી હવાં સુગંધીદાર અને ઠંડી બને છે.

Saturday 8 April 2017

♥ जानिए कर्ण को क्यों मिला श्राप ♥



कर्ण की शिक्षा अपने अन्तिम चरण पर थी। एक दोपहर की बात है, गुरू परशुराम कर्ण की जंघा पर सिर रखकर विश्राम कर रहे थे। कुछ देर बाद कहीं से एक बिच्छू आया और उसकी दूसरी जंघा पर काट कर घाव बनाने लगा। गुरु का विश्राम भंग ना हो इसलिए कर्ण बिच्छू को दूर ना हटाकर उसके डंक को सहता रहा। कुछ देर में गुरुजी की निद्रा टूटी, और उन्होंने देखा कि कर्ण की जांघ से बहुत रक्त बह रहा है। उन्होंने कहा कि केवल किसी क्षत्रिय में ही इतनी सहनशीलता हो सकती है कि वह बिच्छू डंक को सह ले, ना कि किसी ब्राह्मण में। परशुरामजी ने उसे मिथ्या भाषण के कारण श्राप दिया कि जब भी कर्ण को उनकी दी हुई शिक्षा की सर्वाधिक आवश्यकता होगी, उस दिन वह उसके काम नहीं आएगी। कर्ण, जो कि स्वयं यह नहीं जानता था कि वह किस वंश से है, ने अपने गुरु से क्षमा माँगी और कहा कि उसके स्थान पर यदि कोई और शिष्य भी होता तो वो भी यही करता। यद्यपि कर्ण को क्रोधवश श्राप देने पर उन्हें ग्लानि हुई पर वे अपना श्राप वापस नहीं ले सकते थे। तब उन्होनें कर्ण को अपना विजय नामक धनुष प्रदान किया और उसे ये आशीर्वाद दिया कि उसे वह वस्तु मिलेगी जिसे वह सर्वाधिक चाहता है - अमिट प्रसिद्धि।

परशुरामजी के आश्रम से जाने के पश्चात, कर्ण कुछ समय तक भटकता रहा। इस दौरान वह शब्दभेदी विद्या सीख रहा था। अभ्यास के दौरान उसने एक गाय के बछड़े को कोई वनीय पशु समझ लिया और उस पर शब्दभेदी बाण चला दिया और बछडा़ मारा गया। तब उस गाय के स्वामी ब्राह्मण ने कर्ण को श्राप दिया कि जिस प्रकार उसने एक असहाय पशु को मारा है, वैसे ही एक दिन वह भी मारा जाएगा जब वह सबसे अधिक असहाय होगा और जब उसका सारा ध्यान अपने शत्रु से कहीं अलग किसी और काम पर होगा।

आन्ध्र की लोक कथा के अनुसार एक बार कर्ण कहीं जा रहा था, तब रास्ते में उसे एक कन्या मिली जो अपने घडे़ से घी के बिखर जाने के कारण रो रही थी। जब कर्ण ने उसके सन्त्रास का कारण जानना चाहा तो उसने बताया कि उसे भय है कि उसकी सौतेली माँ उसकी इस असावधानी पर रुष्ट होंगी। कृपालु कर्ण ने तब उससे कहा कि बह उसे नया घी लाकर देगा। तब कन्या ने आग्रह किया कि उसे वही मिट्टी में मिला हुआ घी ही चाहिए और उसने नया घी लेने से मना कर दिया। तब कन्या पर दया करते हुए कर्ण ने घी युक्त मिट्टी को अपनी मुठ्ठी में लिया और निचोड़ने लगा ताकि मिट्टी से घी निचुड़कर घड़े में गिर जाए। इस प्रक्रिया के दौरान उसने अपने हाथ से एक महिला की पीड़ायुक्त ध्वनि सुनी। जब उसने अपनी मुठ्ठी खोली तो धरती माता को पाया। पीड़ा से क्रोधित धरती माता ने कर्ण की आलोचना की और कहा कि उसने एक बच्ची के घी के लिए उन्हें इतनी पीड़ा दी। और तब धरती माता ने कर्ण को श्राप दिया कि एक दिन उसके जीवन के किसी निर्णायक युद्ध में वह भी उसके रथ के पहिए को वैसे ही पकड़ लेंगी जैसे उसने उन्हें अपनी मुठ्ठी में पकड़ा है, जिससे वह उस युद्ध में अपने शत्रु के सामने असुरक्षित हो जाएगा।

इस प्रकार, कर्ण को तीन पृथक अवसरों पर तीन श्राप मिले। दुर्भाग्य से ये तीनों ही श्राप कुरुक्षेत्र के निर्णायक युद्ध में फलीभूत हुए, जब वह युद्ध में अस्त्र विहीन, रथ विहीन, और असहाय हो गया था।

कर्ण गुरु परशुराम के श्राप के कारण ब्रह्मास्त्र चलाना भूल गया था, नहीं तो वह युद्ध में अर्जुन का वध करने के लिए अवश्य ही अपना ब्रह्मास्त्र चलाता, और अर्जुन भी अपने बचाव के लिए अपना ब्रह्मास्त्र चलाता, और पूरी पृथ्वी का विनाश हो जाता। इस प्रकार गुरु परशुराम ने कर्ण को श्राप देकर पृथ्वी का विनाश टाल दिया।

धरती माता का श्राप यह था कि कर्ण के जीवन के सबसे निर्णायक युद्ध में धरती उसके रथ के पहिये को पकड़ लेंगी। उस दिन के युद्ध में कर्ण ने अलग-अलग रथों का उपयोग किया, लेकिन हर बार उसके रथ का पहिया धरती में धंस जाता। इसलिए विभिन्न रथों का प्रयोग करके भी कर्ण धरती माता के श्राप से नहीं बच सकता था, अन्यथा वह उस निर्णायक युद्ध में अर्जुन पर भारी पड़ता।

♥ ऊँ का महत्त्व ♥




🚩 हिंदुओं में ऊँ को पवित्र अक्षर माना जाता है। हर धार्मिक अनुष्ठान की शुरुआत ऊँ के उच्चारण से किया जाता है।

🚩 ऊँ शब्द तीन अक्षरों अ, उ और म से मिलकर बना है। पर इसमें ऐसा क्या खास है कि इसे हिन्दुओं ने अपना पवित्र धार्मिक प्रतीक मान लिया है। असंख्य शब्दों और चिह्नों में से ऊँ और स्वास्तिक को ही क्यों चुना गया। ये सवाल महत्त है। जरा देखें ओम के उच्चारण से क्या घटित और परिवर्तित होता है।

🚩 ऊँ की ध्वनि मानव शरीर के लिए प्रतिकूल डेसीबल की सभी ध्वनियों को वातावरण से निष्प्रभावी बना देती है।

🚩 विभिन्न ग्रहों से आनेवाली अत्यंत घातक अल्ट्रावायलेट किरणें ओम उच्चारित वातावरण में निष्प्रभावी हो जाती हैं।

🚩 इसके उच्चारण से इंसान को वाक्य सिद्धि की प्राप्त होती है।

🚩 चित्त एवं मन शांत एवं नियंत्रित हो जाते हैं।

🚩 सनातन धर्म ही नहीं, भारत के अन्य धर्म-दर्शनों में भी ऊँ को महत्व प्राप्त है।

🚩 बौद्ध दर्शन में ऊँ का प्रयोग जप एवं उपासना के लिए प्रचुरता से होता है। इस मंत्र के अनुसार, ऊँ को मणिपुर चक्र में अवस्थितमाना जाता है। यह चक्र दस दल वाले कमल के समान है। जैन दर्शन में भी ऊँ के महत्व को दर्शाया गया है। कबीर निर्गुण संत एवं कवि थे। उन्होंने भी ऊँ के महत्व को स्वीकारा और इस पर साखियां भी लिखीं।

🚩 यह ब्रह्मांड का नाद है एवं मनुष्य के अंतर में स्थित ईश्वर का प्रतीक। किसी भी मंत्र के पहले ऊँ जोड़ने से वह शक्ति संपन्न हो जाता है। एक बार ऊँ का जाप हजार बार किसी मंत्र के जाप से अधिक महत्वपूर्ण माना जाता है।

♥ मानव शरीर के बारे मे 25 रोचक तथ्य ♥

1. मनुष्य के एक बाल की आयु 3 से 7 साल तक की होती है।

2. मनुष्य के बाल न तो सर्दी द्वारा, न जलवायु द्वारा, न पानी द्वारा और न ही अन्य कुदरती बलों द्वारा नष्ट होते है और यह कई प्रकार के तेजाबों के प्रतीरोधक भी है।

3. आप के महिदे(stomatch) में जो तेजाब होता है वह बलेड़ को भी पचा सकता है। यह तेजाब Hydrochloric तेजाब होता है।

4. अपने जीवन काल के दौरान आप दो स्वीमिंग पुल जितनी लार बना लेते है। लार भोजन को पचाने और उसे सवादिस्ट बनाने के लिए महत्वपुर्ण भूमिका निभाती है।

5. एक औसतन मनुष्य दिन में लगभग 14 बार उदरवायु(पाद) अपने शरीर से बाहर निकालता है।

6. कान की मैल बनना सेहत के लिए अच्छा है। कुछ लोगों को यह बिलकुल पसंद नही होती पर यह हमारे रक्षा तंत्र के लिए बहुत जरुरी होती है। यह कानों को कई प्रकार के बैकटीरीया, उल्ली और कीड़ो से बचाती है। (Source – www.rochhak.com)

7. बच्चे अकसर नीली आखों के साथ जन्म लेते हैं। जन्म के थोड़ी बाद तक बच्चों को कुछ समय तक सब धुधला देखाई देता है मगर बाद में आखों का रंग सही हो जाता है।

8. बहुत ज्यादा खा लेने के बाद आपकी सुनने की समता थोड़ी कम हो जाती है।

9. आप की नाक लगभग 50,000 किस्म के गंध सूंघ सकती है और आँखे 1 करोड़ रंगो को पहचान सकती हैं।

10. साठ साल की उम्र के बाद 60% बुजुर्ग और 40% बुजुर्ग महिलाएँ सोते समय खराटे मारने लगते हैं।

11. सोमवार एक ऐसा दिन होता है जब heart attack (दिल के दौरे) होने के ज्यादा chance होते है। Scotland में हुए एक अध्ययन के अनुसार 20% लोग अन्य किसी दिन के बजाए सोमवार को दिल के दौरे से मरे।

12. लगभग 90% बिमारीयां तनाव(stress) की वजह से होती हैं। (Source – www.rochhak.com)

13. हम शाम के मुकाबले सवेर को 1 cm लंम्बे होते हैं।

14. मानव एकलौते ऐसे प्राणी हैं जो भावुक होकर रोते हैं।

15. आपके चेहरे के बाल अन्य किसी भाग के बालों से ज्यादा तेजी से बढ़ते हैं।अगर एक औसतन आदमी अपनी पूरी उम्र सेव न करे तो उसकी जिन्दगी दौरान वह 30 फीट तक बढ़ जाएगी जो कि एक killer whale से ज्यादा होगी।

16. एक औसतन मनुष्य के 1,00,000 बाल होते हैं। जिन के बाल काले होते है उनके औसतन 1,10,000 , जिनके भुरे होते है उनके 1,00,000 और जिनके लाल होते है उनके औसतन 86,000 बाल होते है।

17. अगर एक औसतन मनुष्य की खुन की वाहिकायों को जोड़ दिया जाए तो 96,000 किलोमीटर लंबी लड़ी बन सकती है जिससे धरती का ढाई बार चक्कर लगाया जा सकता है।

18. काले रंग के लोगो को गोरे रंग के लोगो से कम दिल का दौरा पड़ता है।

19. आप के फेफड़े की सतह को अगर फैला दिया जाए तो उसका क्षेत्रफल एक Tennis court के जितना होता है। (Source – www.rochhak.com)

20. मानव शरीर में सबसे बड़ा cell औरत का अंड़ा जबकि सबसे छोटा cell पुरूषों का शुक्राणु होता है।

21. आपके शरीर में 1 सैकेंड में 1 करोड़ लाल रकताणु बनते और मरते हैं।

22. जब तक बच्चा 2 साल का होता हैं तब तक बच्चे के मां-बाप उसकी वजह से 1055 घंटे कम सोते हैं।

23. अगर आप किसी सपने से जाग गए हैं और वापस उस सपने को देखना कहते हैं तो आपको जल्दी से आंखे बंद करके सीधे लेट जाना चाहिए। ये तरीका हर बार काम नहीं करता पर आप एक अच्छा सपना जरूर देख पाएंगे।

24. सुबह 3:00 से 4:00 बजे के बीच आपका शरीर सबसे कमज़ोर होता हैं। यही कारण है कि ज़्यादातर लोगों की नींद में मृत्यु इसी समय होती हैं।

25. अमेरिका के 8% लोग नंगे सोते हैं।

♥ અંગમરોડનો વર્લ્ડ રેકોર્ડ ♥

Saturday 1 April 2017

♥ એપ્રિલ ફૂલનો ઇતિહાસ ♥



આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે.

મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે.

ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે.

હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગાર ચૂકવવામાં આવેલો હતો.

ગ્રેગેરીયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ મહીનો જાન્યુઆરીથી શરુ થતો હતો આથી નવા વર્ષની ઉજવણી 1લી જાન્યુઆરીના રોજ શરુ કરી. પ્રજા તો રોમન જુલીયન કેલેન્ડર પ્રમાણે 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવા ટેવાયેલી હતી એટલે ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવા છતા પ્રજાએ 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવાનું ચાલુ રાખ્યુ. ( જુના રોમન જુલીયન કેલેન્ડરમાં નવાવર્ષનો પ્રારંભ એપ્રિલથી થતો આથી 1લી એપ્રિલને નવા વર્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવતો.)

રાજાને લાગ્યુ કે જો આમ જ ચાલતુ રહેશે તો નવા ગ્રેગેરીયન કેલેન્ડરનો કોઇ અર્થ નહી રહે આથી એમણે એક ખાસ આદેશ બહાર પાડ્યો અને જે માણસ 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને " FOOL" ( મૂરખ) નો ખીતાબ આપવાનો શરુ કર્યો એટલે લોકો 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવવાનું ભૂલી ગયા. બસ ત્યારથી 1લી એપ્રિલને FOOL's DAY અર્થાત મૂરખાઓના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.